June 24, 2026
ગુજરાત

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

લોકડાઉન ૪.૦ ના અંતિમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના તમામ બ્રિજ સવારે ૭વાગે ખોલવાનો નિર્ણય લેવાયો  હતો. તેમ છતા શહેરના પાંચ બ્રિજ બંધ દેખાયા હતા.

અમદાવાદ શહેરના સરદાર બ્રિજ, દધીચી બ્રિજ બંધ, આંબેડકર બ્રિજ, ઈન્દિરા બ્રિજ અને ગાંધીબ્રિજ બંધ  દેખાયા હતા. જેને પગલે લોકોને AMCની બેદરકારીનો સામનો કરવો પડ્યો હતો. અંતે લોકોએ જાતે બેરીકેડ હટાવી અવર જવર શરૂ કરી દીધી હતી. અમદાવાદમાં ચોથા લોકડાઉનનાં તબક્કામાં માત્ર બે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા. જેના કારણે  અગાઉ લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી.

આજથી  અમદાવાદ શહેરના તમામ બ્રિજ ચાલુ થઈ જતા લોકોની મુશ્કેલીઓ દૂર થઈ છે. આ ઉપરાંત આજથી અમદાવાદમાં BRTSની સેવા પણ શરૂ થઈ છે, જે સવારે ૭થી સાંજના  ૭ સુધી ચાલશે. સરકારી- બિનસરકારી ઓફિસ સંપૂર્ણ સ્ટાફ સાથે કાર્યરત રહેશે. ઓફિસ- દુકાનના માલિક- કર્મચારીઓ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી આવી નહિ શકે.  ન્યુ કલોથ માર્કેટ, કાપડ માર્કેટ, મસ્કતી માર્કેટ વગેરે જે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ન આવતા હોય તે ચાલુ રાખી શકાશે.

Related posts

ચૂંટણી અધિકારી અને ઉદય કાનગડ વિરૂધ્ધ ચૂંટણીપંચમાં ફરિયાદ દાખલ કરીશ: રેશ્મા પટેલ

Ahmedabad Samay

રાજપૂત અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે મુસ્લિમ ગરાસિયા સમાજ ના આગેવાનો પણ જોડાયા

Ahmedabad Samay

અમદાવાદ મનપાના 48 વોર્ડની કુલ 192 બેઠકો માટે ભાજપની સેન્સ પ્રક્રિયા દરમિયાન અંદાજે 2364 જેટલા લોકોએ દાવેદારી માટે ફોર્મ ભર્યા

Ahmedabad Samay

જીસીએસ હોસ્પિટલ દ્વારા વિશ્વ આરોગ્ય દિવસ નિમિત્તે કુહા ખાતે વૃદ્ધાશ્રમમાં નિઃશુલ્ક નિદાન કેમ્પ યોજાયો

Ahmedabad Samay

ભારત વિશ્વ મહાસત્તામાં ત્રીજા સ્થાને

Ahmedabad Samay

કઠવાડામાં આવેલ શિવા ઇન્ટરનેશનલ પ્રિ-પ્રાઇમરી સ્કૂલમાં વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો