May 9, 2026
ગુજરાત

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

લોકડાઉન ૪.૦ ના અંતિમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના તમામ બ્રિજ સવારે ૭વાગે ખોલવાનો નિર્ણય લેવાયો  હતો. તેમ છતા શહેરના પાંચ બ્રિજ બંધ દેખાયા હતા.

અમદાવાદ શહેરના સરદાર બ્રિજ, દધીચી બ્રિજ બંધ, આંબેડકર બ્રિજ, ઈન્દિરા બ્રિજ અને ગાંધીબ્રિજ બંધ  દેખાયા હતા. જેને પગલે લોકોને AMCની બેદરકારીનો સામનો કરવો પડ્યો હતો. અંતે લોકોએ જાતે બેરીકેડ હટાવી અવર જવર શરૂ કરી દીધી હતી. અમદાવાદમાં ચોથા લોકડાઉનનાં તબક્કામાં માત્ર બે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા. જેના કારણે  અગાઉ લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી.

આજથી  અમદાવાદ શહેરના તમામ બ્રિજ ચાલુ થઈ જતા લોકોની મુશ્કેલીઓ દૂર થઈ છે. આ ઉપરાંત આજથી અમદાવાદમાં BRTSની સેવા પણ શરૂ થઈ છે, જે સવારે ૭થી સાંજના  ૭ સુધી ચાલશે. સરકારી- બિનસરકારી ઓફિસ સંપૂર્ણ સ્ટાફ સાથે કાર્યરત રહેશે. ઓફિસ- દુકાનના માલિક- કર્મચારીઓ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી આવી નહિ શકે.  ન્યુ કલોથ માર્કેટ, કાપડ માર્કેટ, મસ્કતી માર્કેટ વગેરે જે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ન આવતા હોય તે ચાલુ રાખી શકાશે.

Related posts

લોકડાઉનમાં DTH યૂઝર્સ માટે એક ખરાબ સમાચાર છે.

Ahmedabad Samay

ગુરુકુળ એજ્યુકેશન અને ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઇ

Ahmedabad Samay

વડોદરામાં લવ જેહાદનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે

Ahmedabad Samay

સાબરમતીમાં બુટલેગરો મસ્ત અને આમ જનતા ત્રસ્ત, વર્ષ વિતિગ્યું, આત્મહત્યા પણ કરી છતાં ન્યાયન મળ્યું

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

રાજ્યમાં આગામી 15 દિવસ સુધી ટ્રાફિક પોલીસની ઝુંબેશ હાથ ધરાશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો