March 23, 2026
ગુજરાત

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

લોકડાઉન ૪.૦ ના અંતિમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના તમામ બ્રિજ સવારે ૭વાગે ખોલવાનો નિર્ણય લેવાયો  હતો. તેમ છતા શહેરના પાંચ બ્રિજ બંધ દેખાયા હતા.

અમદાવાદ શહેરના સરદાર બ્રિજ, દધીચી બ્રિજ બંધ, આંબેડકર બ્રિજ, ઈન્દિરા બ્રિજ અને ગાંધીબ્રિજ બંધ  દેખાયા હતા. જેને પગલે લોકોને AMCની બેદરકારીનો સામનો કરવો પડ્યો હતો. અંતે લોકોએ જાતે બેરીકેડ હટાવી અવર જવર શરૂ કરી દીધી હતી. અમદાવાદમાં ચોથા લોકડાઉનનાં તબક્કામાં માત્ર બે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા. જેના કારણે  અગાઉ લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી.

આજથી  અમદાવાદ શહેરના તમામ બ્રિજ ચાલુ થઈ જતા લોકોની મુશ્કેલીઓ દૂર થઈ છે. આ ઉપરાંત આજથી અમદાવાદમાં BRTSની સેવા પણ શરૂ થઈ છે, જે સવારે ૭થી સાંજના  ૭ સુધી ચાલશે. સરકારી- બિનસરકારી ઓફિસ સંપૂર્ણ સ્ટાફ સાથે કાર્યરત રહેશે. ઓફિસ- દુકાનના માલિક- કર્મચારીઓ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી આવી નહિ શકે.  ન્યુ કલોથ માર્કેટ, કાપડ માર્કેટ, મસ્કતી માર્કેટ વગેરે જે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ન આવતા હોય તે ચાલુ રાખી શકાશે.

Related posts

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

અમદાવાદના માધુપુરામાં ભત્રીજાનો કાકાના આખા પરિવાર ઉપર એસિડ એટેક

Ahmedabad Samay

દિવાળી પર્વે અમદાવાદના બજારોમાં વેપારીઓના સુપર સ્પ્રેડર્સ કોરોના ટેસ્ટ શરૂ કર્યા

Ahmedabad Samay

દેશની સૌથી મોટી દૂધ ઉત્‍પાદક બ્રાન્‍ડ અમૂલ અને મધર ડેરીના દૂધના ભાવમાં તાત્‍કાલિક રાહત મળશે.

Ahmedabad Samay

જોઇન્ટ પોલીસ કમિશનર અજય કુમાર ચૌધરીના ફરજ નિષ્ઠા અંગે સીપી અને ગૃહ મંત્રાલય પણ ખુશ

Ahmedabad Samay

“મહારાજા ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ”નું આયોજન કરાયું, ગુજરાત ખાતેનો સૌ પ્રથમ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ & એવોર્ડ્સ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો