March 25, 2026
ગુજરાત

તમામ બ્રિજ ખોલવાના હોવા છતાં પાંચ બ્રિજ બંધ

લોકડાઉન ૪.૦ ના અંતિમ દિવસે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ઉચ્ચ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ હતી. જેમાં શહેરના તમામ બ્રિજ સવારે ૭વાગે ખોલવાનો નિર્ણય લેવાયો  હતો. તેમ છતા શહેરના પાંચ બ્રિજ બંધ દેખાયા હતા.

અમદાવાદ શહેરના સરદાર બ્રિજ, દધીચી બ્રિજ બંધ, આંબેડકર બ્રિજ, ઈન્દિરા બ્રિજ અને ગાંધીબ્રિજ બંધ  દેખાયા હતા. જેને પગલે લોકોને AMCની બેદરકારીનો સામનો કરવો પડ્યો હતો. અંતે લોકોએ જાતે બેરીકેડ હટાવી અવર જવર શરૂ કરી દીધી હતી. અમદાવાદમાં ચોથા લોકડાઉનનાં તબક્કામાં માત્ર બે બ્રિજ ચાલુ રાખવામાં આવ્યા હતા. જેના કારણે  અગાઉ લોકોને અવરજવર કરવામાં તકલીફ પડતી હતી.

આજથી  અમદાવાદ શહેરના તમામ બ્રિજ ચાલુ થઈ જતા લોકોની મુશ્કેલીઓ દૂર થઈ છે. આ ઉપરાંત આજથી અમદાવાદમાં BRTSની સેવા પણ શરૂ થઈ છે, જે સવારે ૭થી સાંજના  ૭ સુધી ચાલશે. સરકારી- બિનસરકારી ઓફિસ સંપૂર્ણ સ્ટાફ સાથે કાર્યરત રહેશે. ઓફિસ- દુકાનના માલિક- કર્મચારીઓ કન્ટેઈનમેન્ટ વિસ્તારમાંથી આવી નહિ શકે.  ન્યુ કલોથ માર્કેટ, કાપડ માર્કેટ, મસ્કતી માર્કેટ વગેરે જે કન્ટેઈનમેન્ટ ઝોનમાં ન આવતા હોય તે ચાલુ રાખી શકાશે.

Related posts

કિંજલ દવેને જન્મ દિનની હાર્દિક શુભેચ્છા

Ahmedabad Samay

અમદાવાદ – અડાલજ પાસે સ્કૂલ બસ ડિવાઈડર ચડીને વૃક્ષ સાથે અથડાતા અકસ્માત

Ahmedabad Samay

ગાંધીનગર-તલાટીની પરીક્ષામાં આજે 1 વાગ્યાથી ડાઉનલોડ કરી શકો છો કોલલેટર

Ahmedabad Samay

દિલ્હી માં ફરી લોકડાઉન વધારવાના એંધાણ

Ahmedabad Samay

૨૦૨૧ ના શરૂઆતમાં મળશે કોરોના વેકસીન,

Ahmedabad Samay

બ્રિટિશ સરકાર દ્વારા ઇસ.૧૮૮૯માં બનાવેલ પોલીસ ચોકીનું સમારકામ હાથધરાયું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો