January 19, 2025
ગુજરાત

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજાઈ

રાષ્ટ્રવાદી યોધ્ધાઓનુ રણ સંગ્રામ જન મહામંથન માટે નમો સેના દ્વારા ગુજરાતના રાષ્ટ્રવાદી અગ્રણીઓ‌ સાથે બેઠક યોજવામાં આવી હતી.

જનરલ જીડી બક્ષી, પુષપેન્દ્ર કુલશ્રેષ્ઠ, અશ્વની ઉપાધ્યક્ષજી સમર્થનમાં આગામી દિવસોમાં અમદાવાદ ખાતે નમો સેના દ્વારા યોજાનાર જન મહામંથન માટે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

અમદાવાદ નમો સેના ઇન્ડિયા સંગઠનના કાર્યાલય ખાતે એક સમાન શિક્ષા, એક સમાન નાગરિક સંહિતા, ધર્માંતરણ નિયંત્રણ, જનસંખ્યા નિયંત્રણ, ભારતીય સંસ્કૃતિ સાધુ-સંતોની રક્ષા, ગૌરક્ષા તથા ગુજરાતના ગૌરવ એકતા અખંડિતતા ને માટે અમદાવાદ ખાતે જન મહામંથન કાર્યક્રમ યોજાવા માટે બેઠક યોજાઇ હતી.

આ બેઠકમાં સંસ્થાપક શ્રી સંજયભાઈ ગોસ્વામી, બજરંગદળના પ્રભારી શ્રી જનકસિહ પરમાર,નમો સેના ઈંડિયા સંગઠનના ગુજરાત પ્રદેશ નવ નિયુક્ત અધ્યક્ષ ગૌરવ સિંહ ચૌહાણ, સંગઠન મંત્રી શ્રી દિપકભાઈ સાકરીયા, ઠાકુર નિરજસિહ,વિશાલ પાટણકર, યુવા ઉપાધ્યક્ષ રોહિત પ્રજાપતિ, અરૂણભાઇ મોદી સુમનભાઈ પ્રજાપતિ વિગેરે ઉપસ્થિત રહ્યા હતા જેમા સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હિન્દુ રાષ્ટ્ર, રાષ્ટ્રહિત માટે જાણીતા રાષ્ટ્રવાદી યોધ્ધા શ્રી જનરલ બક્ષી સાહેબ, પુષપેન્દ્ર કુલશ્રેષ્ઠ સાહેબ, અશ્વની ઉપાધ્યાયજીની અતિથી વિશેષ તરીકે ઉપસ્થિત તથા ગુજરાતમાંથી રાષ્ટ્રવાદી યોધ્ધાઓને મંચ પર તક આપવા માટે જન મહામંથન કાર્યક્રમ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી તથા નમો સેના ઇન્ડીયા સંગઠનમાં નવિનીકરણ સાથે નવી નિયુક્તિ કરવા માટે ચર્ચા કરવા આવી હતી.

હાલના અધ્યક્ષ તરીકે વિનુભાઈ મુંગળાજીની તબીયતને લઈને તેમને સ્થાને કરણી સેનાના ઉપાધ્યક્ષ શ્રી ગૌરવ સિંહ ચૌહાણ જીની નિયુક્તિ કરવામાં આવી છે તથા જનકસિહ જે બદલ સમગ્ર કાર્યકર્તાઓમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.

New up 01

Related posts

કોરોનાની ગાઈડલાઈનનું પાલન ન કરવામાં આવતા તમામ બજાર અને રેસ્ટોરાં બંધ કરાવવામાં આવ્યા

Ahmedabad Samay

શું તમે ધો.૦૮ પાસ છો, તો હવે તમે પણ ખોલી શકો છો પોતાની પોસ્ટ ઓફિસ

Ahmedabad Samay

આખુ દેશ શોકમાં ડુબ્યુ,વડાપ્રધાન નરેન્‍દ્રભાઇ મોદીના માતા હીરાબા મોદીનું ૧૦૦ વર્ષની વયે અવસાન પામ્યા

Ahmedabad Samay

ભાજપ સત્તાનો દૂર ઉપયોગ કરીને મધ્યસ્થ કાર્યલય બંધ કરવાનું પ્રયાસ કરી રહી છે: વિક્રમસિંહ

Ahmedabad Samay

નિકિતા તોમરને ન્યાય મળી રહે માટે અખિલ વિશ્વ હિન્દુ એકતા મંચ દ્વારા કલેકટર શ્રીને આવેદન પત્ર અપાયું.

Ahmedabad Samay

હવે સરકાર ગ્રામ ઉજાલા અંતર્ગત માત્ર ૧૦રૂ.માં બલ્બ આપશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો