June 24, 2026
ગુજરાતઅપરાધ

નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સસ્ટિટ્યૂની દાદાગીરી,ફી ભરવા બાબતે વાલી પર દબાણ કરવામા આવ્યુ

અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી પંચામૃત નર્સિંગ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા  ફી મુદ્દે દાદાગીરી કરવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓના વાલી પર ફી ભરવા બાબતે દબાણ કરવામાં આવી રહ્યું છે. ‘ફી ના ભરી શકતા હોવ તો કેમ ઇન્સ્ટિટ્યૂટમાં પ્રવેશ લીધો’ એવું કહી વાલીઓ સામે સંચાલકો દાદાગીરી કરી રહ્યાં છે.

આ મામલે વાલીઓએ ઇન્સ્ટિટ્યૂટ પર  વિરોધ કરવામાં આવ્યો છે, લુહારી કામ કરતા વિદ્યાર્થીનીના પિતાએ ઇન્સ્ટિટ્યૂટથી ફી ભરવા સમય માગ્યો છતાંય સપ્ટેમ્બર પહેલા 65 હજાર રૂપિયા ફરજીયાત ભરવા માટે કહેવામાં આવ્યું. પિતાની આર્થિક સ્થિતિ અને ઇન્સ્ટિટ્યૂટની દાદાગીરી અને ફી ભરવાના દબાણથી પરેશાન થઈ વિદ્યાર્થીનીએ કહ્યું કે હવે મારે અભ્યાસ જ નથી કરવો.

ઇન્સ્ટિટ્યૂટ દ્વારા ફી ભરવા દબાણ કરીને કહેવામાં આવ્યું કે પૂરી ફી નહીં ભરો તો પરીક્ષામાં નહીં બેસવા દઈએ. આખરે ઇન્સ્ટિટ્યૂટની જોહુકમી સામે વાલીઓએ પોતે મેદાનમાં આવવું પડ્યું.

Related posts

કેન્દ્ર સરકાર ના વિવિધ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન માં ખેડૂતો સાથે ભાજપ ના આગેવાનો દ્વારા છેતરપિંડી કરાઈ હોવાના આક્ષેપ સાથે કોંગ્રેસ અગ્રણી સંદીપ માંગરોલા ની રજુઆત

Ahmedabad Samay

જાણો આ સપ્તાહનો રાશિફળ જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઇ જોષી દ્વારા, તા-૨૬ જુલાઇ – ૦૧ ઓગષ્ટ ૨૦૨૧ નું રાશિફળ

Ahmedabad Samay

RTEમાં અમાન્ય થયેલા અરજદારોને વધુ એક તક આપવામાં આવી છે. રદ થયેલા અરજદારો ફરી અરજી કરી શકશે

Ahmedabad Samay

મતદાન શરૂ,રાજ્યના કુલ 50,788 મતદાન મથકો પૈકી 25 હજારથી વધુ મતદાન મથકોની કામગીરીનું લાઈવ વેબકાસ્ટિંગ કરાશે

Ahmedabad Samay

બપોર સુધી મતદાન રહ્યું સારું, દિગજ નેતાઓએ કર્યું મતદાન, ઘણી જગ્યાઓએ EVM બગડ્યા

Ahmedabad Samay

અંબાજીના ગબ્બર પર્વત પર જવા માટેની સૌથી સુવિધાજનક એવી ‘રોપ-વે’ સેવા આગામી સોમવારથી સતત ૬ દિવસ માટે બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો