May 15, 2026
ગુજરાત

ધો.૦૮ – ૧૦ પાસ માટે સુવર્ણ તક, રાજ્યની તમામ આઇ. ટી.આઇ માં ટેકનીકલ કોર્ષની પ્રવેશ પ્રક્રિયા શરૂ.

વડાપ્રધન     મોદીના આત્મ નિર્ભર ભારત નિર્માણ, પ્રોજેકટ માટે ટેકનીકલ શિક્ષણ મેળવી કોઇપણ વિદ્યાર્થી આત્મ નિર્ભર બની શકશે.

રાજયની તમામ આઇ.ટી.આઇ.માં ધોરણ ૮ થી ૧૦ સુધીના વિદ્યાર્થીઓ માટે ૬ માસથી લઇને બે વર્ષ સુધીના ટેકનીકલ કોર્ષ ચાલતા હોય છે જે જે આઇટીઆઇમાં જરૂરી સાધનો અને ઇન્સ્ટ્રકટર હાજર હોય તે મુજબના કોર્ષ શીખવવામાં આવે છે.

આઇટીઆઇમાં કોમ્પ્યુટર ઓપરેટર કમ પ્રોગ્રામીંગ આસીસ્ટંટ (કો.પા.) કોમ્પ્યુટર હાર્ડવેર એન્ડ નેટવર્કીંગ મેઇન્ટેન્સ, ઇલેકટ્રીશ્યન, વાયરમેન, ફીટર, ટર્નર, આર્મેચર મોટર રીવાઇડીંગ, સુઇંગ ટેકનોલોજી, મોબાઇલ-ટીવી-લેપટોપ, મોટર મીકેનીક, ડીઝલ મીકેનીક, ટેલરીંગ, હોમ એપ્લાયન્સીઝ જેવા કે ફ્રીઝ, એસી., ઘર ઘંટી, વોટર હીટર, મીકસર જેવા અનેક સાધનો રીપેરીંગ માટેના ટેકનીકલ કોર્ષનું જ્ઞાન આપવામાં આવે છે.

આ તમામ પ્રકારના કોર્ષનો સમય ગાળો ૬ માસથી લઇને ર વર્ષ સુધીનો હોય છે આઇટીઆઇમાં અભ્યાસ કર્યા બાદ સરકાર તરફથી ટેકનીકલ શિક્ષણ મેળવ્યાનું પ્રમાણ પત્ર આપવામાં આવે છે આ પ્રમાણ પત્રના આધારે મોટી કંપનીઓમાં એપ્રેન્ટીસ તરીકે જોડાવા માટે અગ્રતા આપવામાં આવે છે.

આમ ટેકનીકલ શિક્ષણ બાદ મોટી કંપનીઓમાં એપ્રેન્ટીસશીપ કર્યા બાદ કોઇપણ યુવાન મીનીમમ ૧૦ હજારથી ૧પ-ર૦ હજાર સુધીના પગાર મેળવવા સક્ષમ બની શકે છે. અથવા ટેકનીકલ શિક્ષણના સર્ટીફીકેટના આધારે વડાપ્રધાનશ્રીની આત્મનિર્ભર ભારત યોજના હેઠળ નાના પાયે કોઇપણ ઉમેદવારને ધંધો કરવા માટે બેંકમંથી લોન પણ મળી શકે છે.

ગુજરાતની તમામ આઇટીઆઇમાં ટેકનીકલ કોર્ષના અભ્યાસનો ગાળો ઓગસ્ટથી શરૂ થાય છે અને જુલાઇમાં ઓનલાઇન અરજીમાં માંગવામાં આવે છે. ધોરણ ૮ થી ૧૦ સુધી જ અભ્યાસ કરેલા બેરોજગાર યુવાનોને તેમની રૂચી મુજબના ટેકનીકલ કોર્સનો અભ્યાસ કરી ટેકનીશ્યન બનવાની સુવણ તક ઝડપી લેવી જોઇએ

Related posts

અખિલ ભારતીય મહાસભા ટ્રસ્ટની પ્રથમ બેઠનું આયોજન કરાયું

Ahmedabad Samay

હિન્દુહ્રદયસમ્રાટ, શ્રીછત્રપતિ શિવાજી મહારાજની ૩૯૫મી જન્મજયંતી નિમિત્તે ભવ્ય મહારેલીનું આયોજન કરવામાં આવ્યું છે

Ahmedabad Samay

SG હાઈવે ઉપર અંદાજે ૨૫ હજાર ચોરસ મીટર જગ્‍યામાં રુપિયા ૨૦ કરોડના ખર્ચથી લોટસ પાર્ક બનાવવામાં આવશે

Ahmedabad Samay

ધોરણ-૧ર બોર્ડની વાર્ષિક પરીક્ષાઓ તા. ૧ જુલાઇ ર૦ર૧ ગુરુવાર થી યોજાશે

Ahmedabad Samay

કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટના સભ્યો મરાઠી પહેરવેશમાં પહોંચ્યા છાવા ફિલ્મ નિહાળવા

Ahmedabad Samay

કોરોના વકરતા નવી ગાઈડલાઈન જાહેર કરાઇ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો