June 24, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પડઘમ વાગી રહ્યા છે અને ઉમેદવારોના નામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છારાનગરમાં ભાજપના ૨૫૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શશીકાંત પટેલ અને દિનેશ શર્માની હાજરીમાં ભાજપનું કમળ છોડીને કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો. રાજ્યમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકરો આ રીતે કોંગ્રેસમાં ગયા તે મહત્ત્વનું સૂચક મનાય છે.

અમદાવાદના કુબેરનગર વોર્ડના કાર્યકરોનું કહેવું છે કે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ભાજપમાં છે. તેઓ આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારને સતત ચૂંટીને મોકલતા હોવા છતાં પણ અમારા વિસ્તારનો વિકાસ થયો નથી. આ સિવાય તેઓ અમારા વિસ્તારની સમસ્યાઓ પણ સાંભળવા માટે તૈયાર નથી. આટલું ઓછું હોય તેમ ૨૦૧૮ માં પોલીસે અમને ઘરમાં ઘૂસીને માર્યા હતા. આ સિવાય સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો અમારી સાથે રહેવાના બદલે અમને ગંદકી કહે છે. તેની સામે કોંગ્રેસ અમને આવકારવા માટે તૈયાર છે. જો ભાજપમાં આટલા વર્ષો સુધી સેવા આપી હોવા છતાં પણ તે અમને ગંદકી કહેતા હોય અને અમારા વિસ્તારનો વિકાસ કરતાં ન હોય તો પછી અમે કોંગ્રેસમાં શા માટે ન જોડાઈએ.

Related posts

મહાનગરપાલિકાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના ઉમેદવાર જાહેર કર્યા

Ahmedabad Samay

આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ દ્વારા તૃતીય વાર્ષિક સ્નેહમિલન અને વિધાર્થી સન્માન કાર્યક્રમ આયોજન કરાયું

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ મંચ દ્વારા કમલમમાં બનેલ ઘટનાના આરોપીઓ ઉપર સખત કાર્યવાહી કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું.

Ahmedabad Samay

જાણો ૧૮ તારીખ સુધી ગુજરાતના કયા ક્યાં રાજ્યોમાં પડશે વરસાદ

Ahmedabad Samay

મુખ્યમંત્રીના હસ્તે આટકોટની પરવાડીયા હોસ્પિટલમાં હૃદય રોગ વિભાગ, બે ઓ.ટી.નું લોકાર્પણ: ડોક્યુમેન્ટ્રી ફિલ્મનું પણ પ્રસારણ

Ahmedabad Samay

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો