May 9, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પડઘમ વાગી રહ્યા છે અને ઉમેદવારોના નામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છારાનગરમાં ભાજપના ૨૫૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શશીકાંત પટેલ અને દિનેશ શર્માની હાજરીમાં ભાજપનું કમળ છોડીને કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો. રાજ્યમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકરો આ રીતે કોંગ્રેસમાં ગયા તે મહત્ત્વનું સૂચક મનાય છે.

અમદાવાદના કુબેરનગર વોર્ડના કાર્યકરોનું કહેવું છે કે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ભાજપમાં છે. તેઓ આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારને સતત ચૂંટીને મોકલતા હોવા છતાં પણ અમારા વિસ્તારનો વિકાસ થયો નથી. આ સિવાય તેઓ અમારા વિસ્તારની સમસ્યાઓ પણ સાંભળવા માટે તૈયાર નથી. આટલું ઓછું હોય તેમ ૨૦૧૮ માં પોલીસે અમને ઘરમાં ઘૂસીને માર્યા હતા. આ સિવાય સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો અમારી સાથે રહેવાના બદલે અમને ગંદકી કહે છે. તેની સામે કોંગ્રેસ અમને આવકારવા માટે તૈયાર છે. જો ભાજપમાં આટલા વર્ષો સુધી સેવા આપી હોવા છતાં પણ તે અમને ગંદકી કહેતા હોય અને અમારા વિસ્તારનો વિકાસ કરતાં ન હોય તો પછી અમે કોંગ્રેસમાં શા માટે ન જોડાઈએ.

Related posts

૨૩ ફેબ્રુઆરી એ આવી રહી છે “જયા એકાદશી”જાણો શું છે મહત્વ, પૂજા અર્ચના,ધ્યાન કેવી રીતે કરવું અને તેના શુ છે ફાયદા.

Ahmedabad Samay

26 મી જાન્યુઆરી ના પાવન દિવસે 251 ફૂટ ના રાષ્ટ્ર ધ્વજ સાથે યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

લોકડાઉન ૨ માં વધુ રાહત, વધુ કલાકો માટે દુકાનો અને રેસ્ટોરન્ટ ખુલ્લી રાખવા મંજૂરી

Ahmedabad Samay

કેન્‍દ્રીય ગૃહમંત્રી  શાહના નજીકના સાથી જગદીશ વિશ્વકર્મા ગુજરાતમાં પાર્ટીના નવા અધ્‍યક્ષ

Ahmedabad Samay

સરદારનગર વોર્ડના ભાજપના પૂર્વ પ્રમુખની અશ્લીલ હરકતો આવી સામે,મિત્રને દારૂ પીવડાવી લિંગપર સલાડ અને શાક નાખતો ચંદુ ભક્તણીનો વીડિયો કર્યો વાયરલ

Ahmedabad Samay

વાઇબ્રન્ટ ઉત્સવથી કેટલા લોકોને રોજગારી મળી તે જાહેર કરો:ડો. મનીષ દોશી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો