June 24, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પડઘમ વાગી રહ્યા છે અને ઉમેદવારોના નામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છારાનગરમાં ભાજપના ૨૫૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શશીકાંત પટેલ અને દિનેશ શર્માની હાજરીમાં ભાજપનું કમળ છોડીને કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો. રાજ્યમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકરો આ રીતે કોંગ્રેસમાં ગયા તે મહત્ત્વનું સૂચક મનાય છે.

અમદાવાદના કુબેરનગર વોર્ડના કાર્યકરોનું કહેવું છે કે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ભાજપમાં છે. તેઓ આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારને સતત ચૂંટીને મોકલતા હોવા છતાં પણ અમારા વિસ્તારનો વિકાસ થયો નથી. આ સિવાય તેઓ અમારા વિસ્તારની સમસ્યાઓ પણ સાંભળવા માટે તૈયાર નથી. આટલું ઓછું હોય તેમ ૨૦૧૮ માં પોલીસે અમને ઘરમાં ઘૂસીને માર્યા હતા. આ સિવાય સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો અમારી સાથે રહેવાના બદલે અમને ગંદકી કહે છે. તેની સામે કોંગ્રેસ અમને આવકારવા માટે તૈયાર છે. જો ભાજપમાં આટલા વર્ષો સુધી સેવા આપી હોવા છતાં પણ તે અમને ગંદકી કહેતા હોય અને અમારા વિસ્તારનો વિકાસ કરતાં ન હોય તો પછી અમે કોંગ્રેસમાં શા માટે ન જોડાઈએ.

Related posts

સંસદમાં રાહુલ ગાંધીએ આરોપ લગાવ્યો છે કે અદાણીના કેસ અને એપસ્ટીન ફાઈલના દબાણ હેઠળ સરકારે ઉતાવળમાં અમેરિકા સાથે સમજૂતી કરી

Ahmedabad Samay

જાહેર ચેતાવણી.

Ahmedabad Samay

ઈસનપુર અને મણીનગર પોલીસ સ્ટેશનમાં સ્કુલની વિદ્યાર્થીનીઓ એ પોલીસ કર્મચારીઓ ને રાખડી બાંધી રક્ષા આશિષ મેળવ્યા.

Ahmedabad Samay

અમદાવાદ: શાહીબાગમાં આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમાની રાજપૂત સમાજના યુવકો દ્વારા સફાઈ કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઈ

Ahmedabad Samay

પૂર્વ કેન્દ્રીય મંત્રી સત્યવ્રત મુખર્જીનું કલકત્તામાં 91 વર્ષની વયે નિધન, વાજપેયી સરકારમાં રહ્યા હતા મંત્રી

Ahmedabad Samay

અમદાવાદ: ગુજરાત હાઈકોર્ટે કૃષિ મંત્રીને ફોજદારી માનહાનિના કેસમાં આપી રાહત, લગાવ્યો કાર્યવાહી પર સ્ટે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો