November 13, 2025
ગુજરાતરાજકારણ

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પડઘમ વાગી રહ્યા છે અને ઉમેદવારોના નામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છારાનગરમાં ભાજપના ૨૫૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શશીકાંત પટેલ અને દિનેશ શર્માની હાજરીમાં ભાજપનું કમળ છોડીને કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો. રાજ્યમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકરો આ રીતે કોંગ્રેસમાં ગયા તે મહત્ત્વનું સૂચક મનાય છે.

અમદાવાદના કુબેરનગર વોર્ડના કાર્યકરોનું કહેવું છે કે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ભાજપમાં છે. તેઓ આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારને સતત ચૂંટીને મોકલતા હોવા છતાં પણ અમારા વિસ્તારનો વિકાસ થયો નથી. આ સિવાય તેઓ અમારા વિસ્તારની સમસ્યાઓ પણ સાંભળવા માટે તૈયાર નથી. આટલું ઓછું હોય તેમ ૨૦૧૮ માં પોલીસે અમને ઘરમાં ઘૂસીને માર્યા હતા. આ સિવાય સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો અમારી સાથે રહેવાના બદલે અમને ગંદકી કહે છે. તેની સામે કોંગ્રેસ અમને આવકારવા માટે તૈયાર છે. જો ભાજપમાં આટલા વર્ષો સુધી સેવા આપી હોવા છતાં પણ તે અમને ગંદકી કહેતા હોય અને અમારા વિસ્તારનો વિકાસ કરતાં ન હોય તો પછી અમે કોંગ્રેસમાં શા માટે ન જોડાઈએ.

Related posts

સમાનતા ફાઉન્ડેશન સંસ્થા દ્વારા “મધર્સ ડે” અને “ફેમિલી ડે” આ બન્ને દિવસોની સંયુક્ત ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો

Ahmedabad Samay

આજે રાત્રે ૧૨ વાગ્યા બાદ પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો

Ahmedabad Samay

દમણમાં ભાજપે ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે “ઇ-વિદ્યા એપ” નું અનાવરણ કર્યું

Ahmedabad Samay

અમદાવાદ સ્કૂલ ઑફ એજ્યુકેશન કેમ્પસ દ્વારા ૧૫ મી ઓગષ્ટની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

મુખ્યમંત્રીના રાજકોટ ખાતે યોજાનારા સંભવિત ત્રિવિધ કાર્યક્રમના આયોજન અંગે સમીક્ષા બેઠક યોજાઈ…

Ahmedabad Samay

અમદાવાદમાં પઠાણ ફિલ્‍મનો વિરોધ કરાયો,વિશ્વ હિન્‍દુ પરિષદ અને બજરંગ દળે તોડફોડ કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો