May 9, 2026
ગુજરાતરાજકારણ

અમદાવાદના છારાનગરમાં એકસાથે ૨૫૦ કાર્યકરોએ કોંગ્રેસમાં જોડાયા

રાજ્યમાં વિધાનસભા પેટાચૂંટણી પડઘમ વાગી રહ્યા છે અને ઉમેદવારોના નામને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે અમદાવાદમાં છારાનગરમાં ભાજપના ૨૫૦ કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. તેમણે શશીકાંત પટેલ અને દિનેશ શર્માની હાજરીમાં ભાજપનું કમળ છોડીને કોંગ્રેસનો હાથ ઝાલ્યો હતો. રાજ્યમાં યોજાનારી ચૂંટણી પૂર્વે ભાજપના કાર્યકરો આ રીતે કોંગ્રેસમાં ગયા તે મહત્ત્વનું સૂચક મનાય છે.

અમદાવાદના કુબેરનગર વોર્ડના કાર્યકરોનું કહેવું છે કે તેઓ છેલ્લા ૨૦ વર્ષથી ભાજપમાં છે. તેઓ આ વિસ્તારમાંથી ભાજપના ઉમેદવારને સતત ચૂંટીને મોકલતા હોવા છતાં પણ અમારા વિસ્તારનો વિકાસ થયો નથી. આ સિવાય તેઓ અમારા વિસ્તારની સમસ્યાઓ પણ સાંભળવા માટે તૈયાર નથી. આટલું ઓછું હોય તેમ ૨૦૧૮ માં પોલીસે અમને ઘરમાં ઘૂસીને માર્યા હતા. આ સિવાય સ્થાનિક નેતાઓ અને ધારાસભ્યો અમારી સાથે રહેવાના બદલે અમને ગંદકી કહે છે. તેની સામે કોંગ્રેસ અમને આવકારવા માટે તૈયાર છે. જો ભાજપમાં આટલા વર્ષો સુધી સેવા આપી હોવા છતાં પણ તે અમને ગંદકી કહેતા હોય અને અમારા વિસ્તારનો વિકાસ કરતાં ન હોય તો પછી અમે કોંગ્રેસમાં શા માટે ન જોડાઈએ.

Related posts

અનાજના વહેપારીઓ દ્વારા ઉઘાડી લૂંટ, ગ્રાહકો પાસે થી બજાર ભાવ કરતા વધારે પૈસા વસુલવામાં આવી રહ્યાની ફરિયાદ

Ahmedabad Samay

તડ ને ફડ બે બાક બોલ: વિશાલ પાટણકર .આવી ગયો છે ધર્મની રક્ષણ કરવાનું સમય

Ahmedabad Samay

બીનાબહેન પટેલના દળદાર કોફીટેબલ બુક ‘ સનાતનનો જયઘોષ ‘ નું વિમોચન કરાયું

Ahmedabad Samay

રાષ્ટ્રપતિ શ્રી દ્રૌપદી મુંર્મૂએ નવા ગુજરાત વિધાનસભાનું લોકાર્પણ કર્યું

Ahmedabad Samay

બેન્ક ઓફ બરોડામાં હવે ડિજિટલ ધિરાણ પ્લેટફોર્મ દ્વારા ૩૦ મિનિટમાં હોમ લોન, કાર લોન

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા પરપ્રાંતીયો ને શહેર છોડી ન જવા અપીલ કરાઇ, હેલ્પલાઇન નંબર જાહેર કરાયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો