June 24, 2026
અપરાધગુજરાત

હરિયાણામાં બનેલા બનાવ બીજીવાર ન બને માટે કાનુન બદલવાની જરૂર છે: રાજ શેખાવત

હરિયાણામાં બનેલા નિકિતા હત્યા કાંડની કરણી સેના ના અધ્યક્ષ શ્રી રાજ શેખાવતે નિંદા કરતા જણાવ્યું હતું કે “ જ્યારે સંપૂર્ણ ઘટના ની CCTV ફૂટેજ મળી ગયેલ છે અને હત્યાનો આરોપી ની પુષ્ટિ પણ થઈ ચૂકી છે તો પ્રશાસન કેમ હજુ તે હત્યારાઓ ને સજા નહી આપી શકી, હજુ સુધી તે આરોપીઓ ને કેમ સજા આપવામાં આવી નથી. હવે જનતાએ જાગવું પડશે અને આ લોકશાહીના દેશમાં જનતા દ્વારા ચૂંટાઈ આવેલી સરકારે આવા હત્યાકાંડ અને બળાત્કારકાંડ વિશે કંઈક વિચારવું પડશે, આવા આરોપીઓ માટે હવે કાનૂન ના નીતિ નિયમો બદલવા જોઈએ અરબના દેશોમાં આવા અપરાધો માટે કડક માં કડક સજા છે તેવુ આપના દેશમાં લાગુ કરવા જોઈએ તોજ આપના દેશમાં આવા અપરાધો બંધ થશે, જો સરકાર થી કઈ ના થતું હોયતો આવા અપરાધીઓને પ્રજાને હવાલે કરી દેવા જોઈએ કાતો આવા નરાધમોને ચાર રસ્તા પર લટકાવી ખુલ્લેઆમ સજા આપવી જોઈએ અને એવી સજા આપવી જોઈએ કે આપણી બહેન,માં સામે કોઈ આંખ ઉચી કરી જોવાનું સાહસ કરે કે વિચારે પણ તેની આત્મા કાંપી જવી જોઈએ, જો આવી સજા આપવાની પદ્ધતિ અપનાવીશું તોજ આપણી બહેનો, માં અને દીકરીઓ સુરક્ષિત રહી શકશે , સરકાર આવી બાબતે ધ્યાન નથી આપતી માટેજ કરણી સેના ને આવા અન્યાય સામે બહેન અને દીકરીઓ ના રક્ષણ માટે લડવું પડેછે અને કરણી સેના ગૌ હત્યા, બહેન અને દીકરીઓ પર થતા અત્યાચાર માટે લડતું આવ્યું છે, લડતું રહેશે અને જો સરકાર હજુ પણ આવી ગંભીર બાબતો પર ધ્યાન નહિ આપે અને આવા અપરાધો માટે કાનુન નહિ બદલશે તો હું અને મારી કરણી સેના બહેન, માં અને દીકરીઓ ના રક્ષણ હથિયાર પણ ઉપાડવા પડશે તો તે પણ કરીશું, જો નરાધમો આપણી બહેનો અને દીકરીઓને સાથે આવુ કૃત્ય કરતા વિચારતા નથી તો આપણે પણ તેમને ક્રુરમાં ક્રૂર સજા આપવા માટે પીછેહટ ન કરવી જોઈએ.

Related posts

અંગદાનનો અમદાવાદથી પ્રારંભ, ગત વર્ષે 203 બ્રેઇનડેડ વ્યક્તિઓના અંગોનું થયું દાન

Ahmedabad Samay

ખેડૂતોનું આંદોલન હવે રાજ્યના પાટનગર અમદાવાદ સુધી પહોંચી ગયું

Ahmedabad Samay

શહીદ એ આઝમ ભગતસિંહની ૧૧૭મી જન્મજયંતિ નિમિત્તે જાણો તેમની રસપ્રદ વાતો

Ahmedabad Samay

અમદાવાદ બોડકદેવ, સોલા રોડ વિસ્તારમાં આવેલી હોસ્પિટલોમાં થતાં લિંગ પરીક્ષણનો ખુલ્યો ભેદ, સોનોગ્રાફી મશીન સીલ, ડૉક્ટર દંપત્તિ પર કાર્યવાહી

Ahmedabad Samay

અમદાવાદની જીસીએસ હોસ્પિટલમાં ફાયર સેફ્ટી અંગે મોક ડ્રિલ યોજાઈ

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે જુનિયર ક્લાર્કની પરીક્ષા, હસમુખ પટેલે PCમાં કહ્યું- ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત, અયોગ્ય પ્રવૃત્તિઓ પર રહેશે ચાંપતી નજર…

admin

એક ટિપ્પણી મૂકો