May 13, 2026
દેશ

એમડીએચ મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું આજરોજ સવારે થયું નિધન

એમડીએચ મસાલાના માલિક મહાશય ધર્મપાલ ગુલાટીનું ગુરૂવાર સવારે નિધન થયું છે. સવારે લગભગ ૫.૩૮ વાગ્યે મહાશય ધર્મપાલ ગુલાટીએ અંતિમ શ્વાસ લીધા. મહાશય ધર્મપાલ ગુલાટી ૯૮ વર્ષના હતા. થોડા દિવસો પહેલા તેઓ કોરોના સંક્રમિત થયા હોવાના અહેવાલો સામે આવ્યા હતા પરંતુ બાદમાં તેઓ સંક્રમણ મુકત થઈ ગયા હતા.  ગયા વર્ષે તેમને પદ્મ ભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા.

મહાશય ધર્મપાલ ગુલાટી વર્ષોથી એમડીએચ મસાલાની જાહેરાતોમાં જોવા મળતા હતા. ધર્મપાલ ગુલાટીના પિતાએ પાકિસ્તાનના સિયાલકોટમાં વર્ષ ૧૯૨૨માં એક નાની દુકાનથી આ સફરની શરૂઆત કરી હતી. દેશના ભાગલા બાદ તેમનો પરિવાર દિલ્હી આવી ગયો. એવા પણ અહેવાલો સામે આવ્યા હતા કે દિલ્હી આવ્યા બાદ સંઘર્ષના સમયમાં ધર્મપાલ ગુલાટીએ ઘોડાગાડી પણ ખરીદી હતી. જેનાથી તેઓ સવારીને લાવવા અને લઈ જવાનું કામ કરતા હતા.  ૧૯૫૩માં તેઓએ ચાંદની ચોકમાં એક દુકાન લીધી, જેનું નમ ‘મહાશયાં દી હટ્ટી’ રાખ્યું. ત્યારથી આ દુકાન MDHના નામથી જાણીતી બની. ધીમે ધીમે ધર્મપાલ ગુલાટીના મસાલા લોકોને એટલા પસંદ આવવા લાગ્યા કે તેમના મસાલાની નિકાસ દુનિયાભરમાં થવા લાગી. વર્ષ ૨૦૧૭માં તેઓએ ભારતમાં કોઈ પણ FMCG કંપનીના સૌથી વધુ ચૂકવનારા CEO પણ જાહેર કરવામાં આવ્યા હતા.

Related posts

પશ્ચિમ બંગાળ અને આસામમાં ભાજપ માટે જંગી વિજય

Ahmedabad Samay

ઈટાલીના સ્પેશિયલ ઓલિમ્પિક્સ વર્લ્ડ વિન્ટર ગેમ્સમાં મહેસાણાની દીકરી આશાબેન ઠાકોર અને દાહોદના પિન્કલબેન ચૌહાણે ફ્લોરબૉલ રમતમાં બ્રોન્ઝ મેડલ જીતીને ગુજરાત અને ભારતનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

ભારતીય હવામાન વિભાગે 9 મે 2026ના રોજ ઉત્તર પ્રદેશ સહિત દેશના અનેક રાજ્યોમાં કુદરતી આફતની ચેતવણી આપી

Ahmedabad Samay

૧૭મી બાદ ગ્રીન ઝોનમાં મોલ, સિનેમા હોલ અને સ્થાનિક રીટેલ સ્ટોલને રાત્રે શરૂ કરવાની છૂટ આપે તેવી શકયતાઃ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકર

Ahmedabad Samay

નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (NMIA) પરથી વિધિવત રીતે વ્‍યાપારિક વિમાની સેવાઓનો પ્રારંભ

Ahmedabad Samay

કાલે લોકડાઉન ને લઈ થશે નિર્ણય, વડાપ્રધાન તમામ રાજ્યના મુખ્યમંત્રી સાથે કરશે બેઠક

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો