June 24, 2026
દેશ

લેબેનોનનું પાટનગર બૈરૂત બંદરે ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) વિસ્ફોટ

લેબેનોનનું પાટનગર બૈરૂત દેશનું મોકાનું આંતરરાષ્ટ્રીય બંદર છે. ત્યાં ૨૭૫૦ ટન એટલે કે અંદાજે (૧.૧ કિલો ટન ટી.એન.ટી.) અતિ વિસ્ફોટક એમોનિયમ નાઈટ્રેટ વેરહાઉસમાં સ્ટોર કરવામાં આવ્યા હતા. બંદર મેનેજમેન્ટની બેદરકારી એ હદની બહાર આવી કે કોઈ સલામતિ કે જ્વલનશીલ સંપર્કથી તે દૂર રહે તેની તકેદારી નહોતી રખાઈ. આ ધડાકો એ હદનો હતો કે ૪૦૭ ફૂટની ત્રીજ્યા ધરાવતો ૧૪૧ ફૂટ ઉંડો ખાડો પડી ગયો હતો. પાંચ ચોરસ કિલોમીટર સુધીના બંદર નજીક ઉભા થયેલા વેરહાઉસ, પાર્ક થયેલી ૧૦૦૦ હજારથી વધુ કાર, કન્ટેઈનરના ફૂડચા થઈ ગયા હતા.

બંદર મજૂરના આવાસો ધરતીકંપની જેમ ધણધણી ઉઠયા હતા. જો કે ધડાકા પછી થોડી આગ પ્રસરતા વાર લાગી તેને લીધે બે હજારથી વધુ જાનહાનિ ટળી હતી. આમ છતાં ૨૦૫ના મૃત્યુ થયા. ૬૫૦૦ ઈજાગ્રસ્ત થયા જેમાંથી ૧૫૦ કાયમ માટે અપંગ બની ગયા. ૧૫ અબજ ડોલર જેટલું તો નુકસાન થયું. નાગરિકોમાં ભારે રોષ ફાટી નીકળતા સરકાર સામે દેખાવો થયા. લેબેનોનની આખી સરકારે રાજીનામુ આપી નૈતિક જવાબદારી સ્વીકારી

Related posts

લદ્દાખની ગલવાન ઘાટીમાં ભારત – ચીન સૈનિકો વચ્ચે હિંસક અથડામણ

Ahmedabad Samay

છત્રપતિ શિવાજી મહારાજના ૧૨ કિલ્લાઓ વિશ્વ ધરોહર બન્યા, જાણો ૧૨ કિલ્લા વિશે માહિતી

Ahmedabad Samay

ઈન્‍ડિગો ફલાઇટ રદ થવાથી દેશભરમાં અંધાધૂંધી ફેલાઈ, ભારતીય રેલવેએ કમાન સંભાળી અને ૩૭ ટ્રેનોમાં વધારાના ૧૧૬ કોચ ઉમેર્યા

Ahmedabad Samay

IIT દિલ્હીએ બનાવ્યું શાકાહારી માસ

Ahmedabad Samay

સંજય દત્ત ઉજ્જૈનના વિશ્વપ્રસિદ્ધ શ્રી મહાકાલેશ્વર મંદિર પહોંચ્યા. તેમણે બાબા મહાકાલની ભસ્મ આરતીમાં ભાગ લીધો

Ahmedabad Samay

હવે ગ્રાહક IMPS દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો