June 24, 2026
દેશ

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત કેસ પર સીબીઆઈની તપાસ પર પ્રશ્ન ઉઠાવયા

એક્ટર સુશાંત સિંહ રાજપૂતે પોતાના મુંબઈ સ્થિત એપાર્ટમેન્ટમાં ફાંસી લગાવીને આત્મહત્યા કરી લીધી. સુશાંતના મોતથી દેશભરના લોકોને મોટો ઝાટકો લાગ્યો હતો. સુશાંત સિંહ રાજપૂતની મોતના મુદ્દે અનેક પ્રશ્ન ઉઠ્યા હતા અને તેમના પરિવાર દ્વારા શંકા વ્યક્ત કરવામાં આવી હતી કે, કોઈએ તેમની હત્યા કરી હતી.

આ મામલાની તપાસ મુંબઈ પોલીસે કરી હતી અને તેમને મર્ડર જેવું કશું મળ્યું નથી. જોકે, સુશાંતને ન્યાય અપાવવાની મુહિમ સોશિયલ મીડિયા પર શરૂ થઈ હતી અને ફેન્સે માંગ કરી કે, મુંબઈ પોલીસની જગ્યાએ સીબીઆઈ પાસે સુશાંત કેસની તપાસ કરાવવામાં આવે જેથી સત્ય સામે આવે. હવે સીબીઆઈની તપાસને શરૂ થઇ તેના પાંચ મહિના થઈ ગયા, પરંતુ સુશાંત કેસમાં કોઈ અપડેટ સામે આવી નથી. એવામાં મહારાષ્ટ્રના ગૃહમંત્રીએ પ્રશ્ન ઉભો કર્યો છે.

મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખે સુશાંત કેસ પર સીબીઆઈની તપાસ પર પ્રશ્ન ઉઠાવતા કહ્યું કે, તપાસને શરૂ થયે પાંચ મહિના થઈ ગયા છે અને અત્યાર સુધી તે વાત સ્પષ્ટ થઈ નથી કે, સુશાંતની હત્યા થઈ હતી કે, તેમને આત્મહત્યા કરી હતી. તેમને કહ્યું કે, આ તપાસમાં સીબીઆઈને જે પણ જાણકારી મળી છે, તેનો ખુલસો ઝડપીમાં ઝડપી કરે.

Related posts

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay

CBSE ધોરણ 9થી 12 સુધીના વિદ્યાર્થીઓ માટે ઓપન બુક પરીક્ષા લેશે

Ahmedabad Samay

લોકડાઉનનો નિર્ણય બધા રાજયોના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા બાદ લેવાશે: અમિત શાહ

Ahmedabad Samay

સારા લોકોની વાર્તાઓ આ મુશ્કેલ સમયમાં આશા અને સકારાત્મકતાની કિરણ તરીકે ઉભરી: રાજકુમાર રાવ

Ahmedabad Samay

તાજમહેલ કોણે બનાવ્યો, પહેલા અભ્યાસ કરો’, તાજ મહેલના ૨૨ રૂમ ખોલવા મામલે અરજદારને હાઈકોર્ટે ફટકાર લગાવી

Ahmedabad Samay

બોર્ડર 2′ બહેરીન, કુવૈત, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રીલીઝ કરવામાં આવશે નહીં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો