March 23, 2026
દેશ

હવે ગ્રાહક IMPS દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકશે

આરબીઆઇએ પણ લોકોને ડિજીટલ લેણ-દેણ કરવાની અપીલ કરી છે. ગવર્નર શકિતકાંત દાસે કહ્યું હતું કે, કોરોના દેશ માટે દરેક રીતે મોટું સંકટ છે અને બચાવ માટે ડિજીટલ લેણ-દેણ જરૂરી છે. લોકો ઘર પર રહીને જ ડિજીટલ લેણ-દેણ કરે તેના માટે ડેબિટ કાર્ડ, ક્રેડીટ કાર્ડ અને અન્ય મોબાઇલ એપ ઉપયોગ કરી શકાય છે. ડિજીટલ લેણ-દેણ કરો અને સુરક્ષિત રહો. તેને ધ્યાનમાં આજે કેન્દ્રીય બેંકે મોટી ઘોષણા કરી છે.

રીઝર્વ બેંકે તાત્કાલિક ચુકવણીની સેવા દ્વારા થતાં લેણદેણની મર્યાદા વધારી દીધી છે. હવે ગ્રાહક આઇએમપીએસ દ્વારા એક દિવસમાં બે લાખના બદલે પાંચ લાખ લેણદેણ કરી શકે છે એટલે કે હવે ઓનલાઇન ફંડ ટ્રાન્સફર કરવું સરળ થશે.

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાના ગવર્નર શકિતકાંત દાસે આઈએમપીએસ સર્વિસને લઈને મોટી જાહેરાત કરી છે. હવે ગ્રાહક એક દિવસમાં ૫ લાખથી વધારેના ટ્રાંજેકસન કરી શકશે. આ અગાઉ આ લિમિટ ૨ લાખ રૂપિયાની હતી. આપને જણાવી દઈએ કે, ભારતમાં ઓનલાઈન બેંકીંગના માધ્યમથી કે પછી કયાંયથી કોઈ પણ જગ્યાએ પૈસા મોકલી શકાય છે. પણ પૈસા મોકલવાની રીત અલગ અલગ છે. હકીકતમાં જોઈએ તો, ઓનલાઈન બેંકીંગથી પૈસા ટ્રાન્સફર કરવામાં પણ ત્રણ રીત છે. જે દ્વારા આરીટીજીએસનું નામ શામેલ છે.

IMPS એટલે કે, ઈમીડિયેટ મોબાઈલ પેમેન્ટ સર્વિસ કહે છે. જો સરળ શબ્દોમાં કહીએ તો, આઈએમપીએસ દ્વારા કોઈ પણ ખાતા ધારકને કયાં પણ કયારેય પણ પૈસા મોકલી શકાય છે.

તેમાં પૈસા મોકલવાના સમયને લઈને પ્રતિબંધો નથી. આપ અઠવાડીયાના સાતેય દિવસ અને ૨૪ કલાક ગમે ત્યારે આઈએમપીએસ દ્વારા થોડીક સેકન્ડોમાં જ પૈસા ટ્રાંસફર કરી શકો છો.

RBIના નવા નિર્ણય બાદ ગ્રાહક આઈએમપીએસ દ્વારા ૫ લાખ રૂપિયા સુધીની લેવડ દેવડ કરી શકે છે. આ અગાઉ આ લિમિટ ૨ લાખ રૂપિયાની હતી. આઈએમપીએસથી પૈસા ટ્રાંસફર કરવા પર કેટલીય કોઈ બેંક કોઈ ફીસ લેતી નથી.

Related posts

શ્રી રાજપુત કરણી સેના મુંબઈએ યશરાજ ફિલ્મને અલ્ટીમેટમ આપ્યું

Ahmedabad Samay

બાબા વેંગા ની ભવિષ્યવાણી ફરી ચર્ચામાં

Ahmedabad Samay

દિલ્હીના સીએમ ને લાફો મારનાર ના માતાએ કર્યા મોટા ખુલાસા, હાલમાં માનસિક તકલીફ પણ ધરાવે છે. તે ગમે ત્‍યારે ગુસ્‍સો થઇ જાય તો ઘરમાં અમને પણ મારકુટ કરી લેતો જણાવ્યું

Ahmedabad Samay

ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની સહમતિ સધાયાના થોડા જ કલાકોમાં પાકિસ્તાન તરફથી યુદ્ધવિરામનું ઉલ્લંઘન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એલ.આઇ.સી. આઈ.પી.ઓ.નો ૧૦ ટકા હિસ્સો વીમા ધારકો માટે સુરક્ષિત રખાશે

Ahmedabad Samay

નાણામંત્રી નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ માટે સામાન્‍ય બજેટ રજૂ કર્યુ છે, જાણો બજેટની મહત્વની વાતો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો