May 9, 2026
દેશ

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે સારવાર દરમ્યાન થયું નિધન

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે નિધન થયું હતું. બ્રિજરાજસિંહે દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

 

બ્રિજરાજસિંહને લિવરની સમસ્યાથી પીડાતા હતા, ૧૭ ડિસેમ્બરે બ્રિજરાજસિંહની તબિયત ખરાબ હોવાને કારણે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા જોધપુરથી દિલ્હી ખસેડવામાં આવ્યા હતા.મહારાવલ બ્રિજરાજ સિંહ ૫૨ વર્ષના હતા. તેમના અવસાન બાદ જેસલમેર જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહ બાદ તેમના પરિવારમાં પત્ની રાજેશ્વરી રાજ્ય લક્ષ્મી અને બે પુત્રો કુંવર ચેતન્યરાજસિંહ ભાટી અને જન્મય રાજસિંહ ભાટી છે. બ્રિજરાજસિંહનો જન્મ ૩૧ નવેમ્બર ૧૯૬૮ ના રોજ જેસલમેરમાં થયો હતો. રાજેશ્વરી એ રાજ્ય લક્ષ્મી નેપાળના સિસોદિયા રાણા રાજવી પરિવારની રાજકુમારી છે, જેણે ૧૯૯૩ માં જેસલમેર રાજવી પરિવારના વંશજ બ્રિજરાજ સિંહ સાથે લગ્ન કર્યાં હતાં.

જેસલમેરના મહારાવલ બ્રિજરાજ સિંહનું નામ એશિયાના સુંદર રાજાઓમાં શામેલ હતું. આ સાથે, ભૂતપૂર્વ મહારાવાલ બ્રિજરાજ સિંહ પણ તેમના  વ્યવહાર માટે પ્રખ્યાત હતા.

મહારાવલ બ્રિજરાજસિંહ ના અગ્નિદાન સમયે રાજપૂતોએ બંદૂકો ચલાવી સલામી આપી હતી.

Related posts

વીજળી પડવાથી ૯૦થી વધુ લોકોના મૃત્યુ, બિહાર માં આશરે ૮૩ અને ઉત્તર પ્રદેશમાં ૦૯ લોકોના મૃત્યુ

Ahmedabad Samay

ઈન્ડિગો 15 ડિસેમ્બર સુધી રદ કરાયેલી ફ્લાઇટ્સ માટે રિફંડની પ્રક્રિયા કરવામાં કરવામાં આવશે

Ahmedabad Samay

શેરીટ અને ઝેન્ડર ના વિકલ્પમાં વાપરો આ એપ્લિકેશન

Ahmedabad Samay

શું આપ જાણો છો વિશ્વની સૌથી મોટી શિવલિંગ ક્યાં આવેલ છે ?

Ahmedabad Samay

ઝુબીન ગર્ગનું શુક્રવારે સિંગાપોરમાં સ્‍કુબા ડાઇવિંગ અકસ્‍માત બાદ નિધન થયું,જુવો તેનો અંતિમ વીડિયો

Ahmedabad Samay

વડાપ્રધાન મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં મોટી ખામી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો