June 24, 2026
દેશ

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે સારવાર દરમ્યાન થયું નિધન

જેસલમેર રજવાડાના પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહનું સોમવારે નિધન થયું હતું. બ્રિજરાજસિંહે દિલ્હીની મેદાંતા હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા.

 

બ્રિજરાજસિંહને લિવરની સમસ્યાથી પીડાતા હતા, ૧૭ ડિસેમ્બરે બ્રિજરાજસિંહની તબિયત ખરાબ હોવાને કારણે તેમને એર એમ્બ્યુલન્સ દ્વારા જોધપુરથી દિલ્હી ખસેડવામાં આવ્યા હતા.મહારાવલ બ્રિજરાજ સિંહ ૫૨ વર્ષના હતા. તેમના અવસાન બાદ જેસલમેર જિલ્લામાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
પૂર્વ મહારાવલ બ્રિજરાજ સિંહ બાદ તેમના પરિવારમાં પત્ની રાજેશ્વરી રાજ્ય લક્ષ્મી અને બે પુત્રો કુંવર ચેતન્યરાજસિંહ ભાટી અને જન્મય રાજસિંહ ભાટી છે. બ્રિજરાજસિંહનો જન્મ ૩૧ નવેમ્બર ૧૯૬૮ ના રોજ જેસલમેરમાં થયો હતો. રાજેશ્વરી એ રાજ્ય લક્ષ્મી નેપાળના સિસોદિયા રાણા રાજવી પરિવારની રાજકુમારી છે, જેણે ૧૯૯૩ માં જેસલમેર રાજવી પરિવારના વંશજ બ્રિજરાજ સિંહ સાથે લગ્ન કર્યાં હતાં.

જેસલમેરના મહારાવલ બ્રિજરાજ સિંહનું નામ એશિયાના સુંદર રાજાઓમાં શામેલ હતું. આ સાથે, ભૂતપૂર્વ મહારાવાલ બ્રિજરાજ સિંહ પણ તેમના  વ્યવહાર માટે પ્રખ્યાત હતા.

મહારાવલ બ્રિજરાજસિંહ ના અગ્નિદાન સમયે રાજપૂતોએ બંદૂકો ચલાવી સલામી આપી હતી.

Related posts

નવા વર્ષમાં બની મોટી દુર્ઘટના, વૈષ્ણવદેવીમાં ભાગ દોડ થતા ૧૨ લોકોના મોત

Ahmedabad Samay

તીરંદાજ દીપિકા કુમારીએ ટોક્યો ઓલમ્પિક મહિલા સિંગલ્સની કવાર્ટર ફાઇનલમાં પ્રવેશ કર્યો

Ahmedabad Samay

જમ્મુ-કાશ્મીરમાં કમાલકોટ સેક્ટરમાં અંકુશ રેખા પર પાકિસ્તાને ગોળીબાર. ભારતીય સેનાના વળતા જવાબમાં પાકિસ્તાન ઘબરાયું, પાક.ના ૦૮ સૈનિકો ઠાર

Ahmedabad Samay

ભારતીય સૈનિકો નો પાક.ને વળતો જવાબ, પાકિસ્તાન ની ૦૪ ચોકી ફૂંકીમાંરી

Ahmedabad Samay

ખેડૂત આંદોલનમાં બાજ પક્ષી બન્યું આકર્ષણનું કેન્દ્ર

Ahmedabad Samay

કુખ્યાત નક્સલવાદી નેતા અને આંધ્ર-ઓડિશા બોર્ડર (AOB)ના સચિવ સી. નારાયણ રાવે તેના 8 સાથીઓ સાથે પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો