June 22, 2026
ગુજરાત

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગમાં આગ લાગતા ૦૭ ગાડીઓ બળી ખાખ

અમદાવાદના ઘોડાસર વિસ્તારમાં ગઈકાલે રાત્રે ખાનગી બસોમાં આગ લાગવાનો બનાવ બન્યો હતો. કોઈ કારણોસર આગ ફાટી નીકળતા 7 ગાડીઓને ભારે નુકસાન થયું હતુ. ફાયર વિભાગે તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને કાબૂમાં લીધી હતી. જોકે, આગ કન્ટ્રોલમાં આવે તે પહેલાજ બસો બળીને ખાખ થઈ ગઈ હતી. જેમાં બે બસોને ભારે નુકસાન થુયં હતું. જેમાં એક કાર પણ બળીને ખાખ થઈ ગઈ હતી.

ઘોડાસર બીઆરટીએસ રોડ પર બ્રહ્માણી ટ્રાવેલ્સનું પ્રાઈવેટ પાર્કિંગ આવેલું છે. અહી ગઈકાલે કેટલીક ખાનગી બસો પાર્ક કરવામાં આવી હતી. મોડી રાત્રે કોઈ કારણોસર એક ગાડીમાં આગ લાગી હતી. જોતજોતામાં આગ પાર્ક કરાયેલી અન્ય ગાડીઓમાં પણ ફેલાઈ ગઈ હતી. સ્થાનિકોએ આગને જોતા જ રાત્રે 3.43 કલાકે ફાયર વિભાગને જાણ કરી હતી, અને 3.45 કલાકે ફાયર વિભાગની ગાડીઓ પહોંચી ગઈ હતી. ફાયર વિભાગની 7 ગાડીઓએ ઘટનાસ્થળે પહોંચીને આગ બૂઝવવાનું શરૂ કર્યું હતુ. 10 મિનીટમાં આગ કાબૂમાં આવી હતી.

પરંતુ તે સુધીમાં ગાડીઓ બળી ગઈ હતી. કુલ 7 ગાડીઓને નુકસાન પહોંચ્યું હતું. જેમાં 6 બસ અને એક કાર સામેલ છે. જોકે, આ આગ કયા કારણોસર લાગી છે તે હજી જાણ શકાયું નથી. ઘટના સ્થળે તાત્કાલિક પહોંચેલા બસ માલિક દિપક પટેલે કહ્યું કે, અમે રાત્રે સૂતા હતા ત્યારે ફોન આવ્યો કે તમારી બસોમાં આગ લાગી છે. રસ્તામાં મેં પણ ફાયરને ફોન કર્યો તો જાણ કરી અમે ગાડી પહેલે જ મોકલી છે. એક બસમાંથી બીજી બસોમાં નુકસાન. અમારી કુલ 7 ગાડીને નુકસાન થયું છે. પણ

Related posts

અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

Ahmedabad Samay

અમદાવાદ – આંખ આવવાના કેસોમાં વધારો, સિવિલમાં જ રોજના 298 કેસો, અર્બન હેલ્થ સેન્ટર પર 1600

Ahmedabad Samay

નરોડામાં શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ અભ્યાન શરૂ

Ahmedabad Samay

વિરમગામ અને સોલા સિવિલ હોસ્પિટલ ખાતે આરોગ્ય વિભાગ દ્વારા કોરોના સંદર્ભે મોક ડ્રીલ કરવામાં આવી.

Ahmedabad Samay

વરસાદની આગાહીને પગલે અમરેલીમાં આવેલા જાફરાબાદના માછીમારોને દરિયો ન ખેડવા સૂચનાઓ પણ આપવામાં આવી છે.

Ahmedabad Samay

અમદાવાદના સરસપુર વિસ્તારમાં આવેલી 400 વર્ષ જૂની મંસા મસ્જિદનો એક ભાગ રોડ પહોળો કરવા માટે તોડી પાડવામાં આવશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો