June 22, 2026
ગુજરાતદેશ

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

૦૯/૦૯/૨૦૧૯ માં સુપ્રીમ કોર્ટના ચુકાદા આવ્યા બાદ ભારત સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામનું ટ્રસ્ટ બનાવ્યું જેમાં દેશના અગ્રણી લોકોનો સમાવેશ થાય છે જેમાં દેશના અનેક સંતો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં સંતોનો આહવાન હતું કે છેલ્લા 34 વર્ષથી હિન્દૂ સમાજ આ આંદોલન ચલાવે છે માટે આ મંદિર બનાવવાની જવાબદારી પણ હિન્દુઓની હોવી જોઈએ એટલે સંતોના આ આહવાન થી દરેક હિન્દુઓના ઘરે ઘરે જઈને જન ભાગીદારી આ મંદિર બનાવવામાં આવે તે માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ બનાવવા માં આવી છે, જેમાં આખા ભારત દેશના કુલ છ લાખ જેટલા ગામડાઓમાં ફરીને સમ્પર્ક કરીને જેટલું બને તેટલું ભંડોળ એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે તે સંકલ્પ પૂર્ણ કરવા આ સમિતિ પૂર્ણ પ્રયત્ન કરશે.

ભારતનો દરેક નાગરિક કહી શકે કે આ મંદિરમાં મારી પણ ભાગીદારી છે તે માટે દરેક હિન્દુના ઘરે ઘરે થી ભંડોળ એકત્રિત કરાશે, જિલ્લા સ્તરે તાલુકા સ્તરે અને દરેક ગામની અંદર નાની નાની સમિતિઓ બનવવામાં આવી છે આ સમિતિઓ દ્વારા ૧૦રૂપિયા થી ૧૦૦ રૂપિયા સુધી કે તેથી વધુ યથા શક્તિ પ્રમાણે દાન લેવામાં આવશે અને પ્રભુ શ્રી રામના મંદિરનું ભવ્ય નિર્માણ થાય તેમાં યોગદાન કરવામાં આવશે.

Related posts

ભારતની સ્ટાર શૂટર ઇલાવેનિલ વાલારિવનએ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

અસારવા ના કોર્પોરેટર આવ્યા કોરોનોના ઝપેટમાં

Ahmedabad Samay

આનંદ અમૃત ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૯મી જરુરીયાતમંદ દીકરીના નિઃશુલ્ક લગ્ન કરવામાં આવ્યા

Ahmedabad Samay

AIMIMને વિપક્ષ તરીકેનું સ્થાન આપવાની મેયરને રજૂઆત કરવામાં આવી

Ahmedabad Samay

૨૪ કલાકમાં પોણા બસો કેસ આવ્યા સામે,કોરોનાની ગાઇડલાઇનનું કડક પાલન થાય તે માટે પોલીસને વધુ સક્રિય થવા જણાવ્યું,

Ahmedabad Samay

અમદાવાદ: જુનિયર કલાર્કની પરીક્ષા શરૂ, ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત વચ્ચે મોબાઈલ, સ્માર્ટ વોચ, ટેબલેટ, પર્સ પર પ્રતિબંધ!

admin

એક ટિપ્પણી મૂકો