May 7, 2026
ગુજરાતદેશ

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

૦૯/૦૯/૨૦૧૯ માં સુપ્રીમ કોર્ટના ચુકાદા આવ્યા બાદ ભારત સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામનું ટ્રસ્ટ બનાવ્યું જેમાં દેશના અગ્રણી લોકોનો સમાવેશ થાય છે જેમાં દેશના અનેક સંતો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં સંતોનો આહવાન હતું કે છેલ્લા 34 વર્ષથી હિન્દૂ સમાજ આ આંદોલન ચલાવે છે માટે આ મંદિર બનાવવાની જવાબદારી પણ હિન્દુઓની હોવી જોઈએ એટલે સંતોના આ આહવાન થી દરેક હિન્દુઓના ઘરે ઘરે જઈને જન ભાગીદારી આ મંદિર બનાવવામાં આવે તે માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ બનાવવા માં આવી છે, જેમાં આખા ભારત દેશના કુલ છ લાખ જેટલા ગામડાઓમાં ફરીને સમ્પર્ક કરીને જેટલું બને તેટલું ભંડોળ એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે તે સંકલ્પ પૂર્ણ કરવા આ સમિતિ પૂર્ણ પ્રયત્ન કરશે.

ભારતનો દરેક નાગરિક કહી શકે કે આ મંદિરમાં મારી પણ ભાગીદારી છે તે માટે દરેક હિન્દુના ઘરે ઘરે થી ભંડોળ એકત્રિત કરાશે, જિલ્લા સ્તરે તાલુકા સ્તરે અને દરેક ગામની અંદર નાની નાની સમિતિઓ બનવવામાં આવી છે આ સમિતિઓ દ્વારા ૧૦રૂપિયા થી ૧૦૦ રૂપિયા સુધી કે તેથી વધુ યથા શક્તિ પ્રમાણે દાન લેવામાં આવશે અને પ્રભુ શ્રી રામના મંદિરનું ભવ્ય નિર્માણ થાય તેમાં યોગદાન કરવામાં આવશે.

Related posts

રાજ્યના ૦૭ IPSને બઢતી અપાઈ

Ahmedabad Samay

મોરબીમાં ઝૂલતો પુલ તૂટ્યો,જાણો ક્યાં કારણો સર તૂટ્યો પુલ.

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ:સીઆર પાટીલ

Ahmedabad Samay

ગુજરાતમાં ઠંડી અને માવઠાની શક્યતા વ્યક્ત કરી છે. 6 થી 10 ડિસેમ્બર વચ્ચે વાતાવરણમાં મોટો ફેરફાર થવાની શક્યતા

Ahmedabad Samay

ભાજપ શહેર પ્રમુખ અમિત શાહ થયા કોરોના પોઝિટિવ, સોશિયલ મીડિયા પર કર્યું જાહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો