March 21, 2025
ગુજરાત

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

મકરબા વિસ્તારમાં ઈનસેપ્ટન બિલ્ડીંગમાં ત્રીજા માળની દિવાલ ધરાસાયી થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું જ્યાં પાર્ટિશન હટાવતી વખતે આ ઘટના બની હતી. જો કે, શ્રમિકને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તેઓ બચી શક્યા નહોતા.

અમદાવાદમાં આ ચોમાસા દરમિયાન દિવાલ, મકાન કે જર્જરીત આવાસો પડવાની ઘટના જાણે આમ થઈ ગઈ હોય લાગી રહ્યું છે. અમદાવાદમાં ફરી એકવાર મકરબા વિસ્તારની અંદર દિવાલ ધરાસાયી થતા એક શ્રમિકનું મોત નિપજ્યું હતું.

શ્યામલાલ દોડીયા નામના શ્રમિકનું મોત નિપજ્યું છે.  જો કે, આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતા ટીમ ત્યાં પહોંચી હતી અને કાટમાળને ખસેડવામાં આવ્યો હતો જો કે, મૃતકનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક રાજસ્થાનના રહેવાસી હતા.

મકરબા વિસ્તારમાં ઈન્સેપ્ટન બિલડીંગનું રીનોવેશનનું કામ ચાલતું હતું ત્યાં દિવાલ ધરાસાયી થતા કાટમાળની નીચે શ્રમિક આવી ગયો હતા. જો કે, કાટમાળ એટલો બધો હતો કે તેમનું બચવું મુશ્કેલ બની ગયું હતું જેના કારણે શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.  . .

Related posts

અમદાવાદઃ આગામી 3થી 4 દિવસમાં આ વિસ્તારમાં માવઠાની આગાહી! જાણો ક્યાં કેવું રહેશે તાપમાન?

admin

લોકડાઉનમાં બંધ રહેવાને કારણે સ્ટ્રીટ ફૂડવાનનું ભાડું માફ,ટેક્સ રીબેટની મુદત વધારીને 15 જુલાઈ કરવામાં આવી

Ahmedabad Samay

શ્રી અજયસિંહ ભદૌરીયાએ ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી

Ahmedabad Samay

અમદાવાદ શહેરના પોલીસ કોન્સ્ટેબલોનું અનોખું સન્માન કરવામાં આવનાર છે

Ahmedabad Samay

રથયાત્રાને લઇ ચાલતી અટકળોનો આવ્યો અંત,શરતો આધીન રથયાત્રા નીકળશે

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો