June 22, 2026
ગુજરાત

અમદાવાદ – મકરબા વિસ્તારમાં બિલ્ડીંગની દિવાલ પડતા એક મજૂરનું થયું મોત

મકરબા વિસ્તારમાં ઈનસેપ્ટન બિલ્ડીંગમાં ત્રીજા માળની દિવાલ ધરાસાયી થતા એક શ્રમિકનું મોત નિપજ્યું છે. રીનોવેશનનું કામ ચાલી રહ્યું હતું જ્યાં પાર્ટિશન હટાવતી વખતે આ ઘટના બની હતી. જો કે, શ્રમિકને બહાર કાઢવામાં આવ્યા હતા પરંતુ તેઓ બચી શક્યા નહોતા.

અમદાવાદમાં આ ચોમાસા દરમિયાન દિવાલ, મકાન કે જર્જરીત આવાસો પડવાની ઘટના જાણે આમ થઈ ગઈ હોય લાગી રહ્યું છે. અમદાવાદમાં ફરી એકવાર મકરબા વિસ્તારની અંદર દિવાલ ધરાસાયી થતા એક શ્રમિકનું મોત નિપજ્યું હતું.

શ્યામલાલ દોડીયા નામના શ્રમિકનું મોત નિપજ્યું છે.  જો કે, આ ઘટનાની જાણ ફાયર બ્રિગેડની ટીમને થતા ટીમ ત્યાં પહોંચી હતી અને કાટમાળને ખસેડવામાં આવ્યો હતો જો કે, મૃતકનું મોત થયું હતું. પ્રાપ્ત વિગતો અનુસાર મૃતક રાજસ્થાનના રહેવાસી હતા.

મકરબા વિસ્તારમાં ઈન્સેપ્ટન બિલડીંગનું રીનોવેશનનું કામ ચાલતું હતું ત્યાં દિવાલ ધરાસાયી થતા કાટમાળની નીચે શ્રમિક આવી ગયો હતા. જો કે, કાટમાળ એટલો બધો હતો કે તેમનું બચવું મુશ્કેલ બની ગયું હતું જેના કારણે શ્રમિકનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું.  . .

Related posts

ભવાનીસિંહ શેખાવત, ગજેન્દ્રસિંહ રાઠોડ અને તેમની ટીમ દ્વારા ૧૧૦૦ જેટલા માસ્કનું વિતરણ કરાયુ

Ahmedabad Samay

વરસાદે કોર્પોરેશનની પોલ ખોલી અમદાવાદમાં ૧૬૦૦ થી વધુ ખાડા પડયા, AMC એ પ્રિમોન્સૂનની તૈયારી ક્યાં કરી હતી ?

Ahmedabad Samay

મોરબી દુર્ઘટનાના લોકોના જીવ બચાવનાર રિયલ હીરો સમાન ગુજરાત પોલીસને દિલથી સલામ

Ahmedabad Samay

આરોગ્ય તંત્ર જાગ્યું. એરપોર્ટ પર આવતા તમામ મુસાફરોનો ટેસ્ટ શરૂ કરાયા

Ahmedabad Samay

તિસ્તા સેતલવાડ બાદ પૂર્વ ડીજીપી આરબી શ્રીકુમારને ગુજરાત રમખાણોના કેસમાં મળ્યા જામીન

Ahmedabad Samay

ઉત્તરાયણે દારૂ પી રહેલા લોકોને યુવકે રોકતા બંને શખ્સ ઉશ્કેરાયા અને યુવકની માર મારી હત્યા કરી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો