June 22, 2026
ગુજરાતદેશ

શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ દ્વારા રામ મંદિર બનાવવા દરેક હિન્દૂ દ્વારા ભંડોળ એકત્રિત કરી જનભાગીદારી કરાવવામાં આવશે.

૦૯/૦૯/૨૦૧૯ માં સુપ્રીમ કોર્ટના ચુકાદા આવ્યા બાદ ભારત સરકારે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર નામનું ટ્રસ્ટ બનાવ્યું જેમાં દેશના અગ્રણી લોકોનો સમાવેશ થાય છે જેમાં દેશના અનેક સંતો નો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
જેમાં સંતોનો આહવાન હતું કે છેલ્લા 34 વર્ષથી હિન્દૂ સમાજ આ આંદોલન ચલાવે છે માટે આ મંદિર બનાવવાની જવાબદારી પણ હિન્દુઓની હોવી જોઈએ એટલે સંતોના આ આહવાન થી દરેક હિન્દુઓના ઘરે ઘરે જઈને જન ભાગીદારી આ મંદિર બનાવવામાં આવે તે માટે શ્રી રામ જન્મભૂમિ મંદિર નિર્માણ નિધિ સમર્પણ સમિતિ બનાવવા માં આવી છે, જેમાં આખા ભારત દેશના કુલ છ લાખ જેટલા ગામડાઓમાં ફરીને સમ્પર્ક કરીને જેટલું બને તેટલું ભંડોળ એકત્રિત કરવાનો સંકલ્પ કર્યો છે તે સંકલ્પ પૂર્ણ કરવા આ સમિતિ પૂર્ણ પ્રયત્ન કરશે.

ભારતનો દરેક નાગરિક કહી શકે કે આ મંદિરમાં મારી પણ ભાગીદારી છે તે માટે દરેક હિન્દુના ઘરે ઘરે થી ભંડોળ એકત્રિત કરાશે, જિલ્લા સ્તરે તાલુકા સ્તરે અને દરેક ગામની અંદર નાની નાની સમિતિઓ બનવવામાં આવી છે આ સમિતિઓ દ્વારા ૧૦રૂપિયા થી ૧૦૦ રૂપિયા સુધી કે તેથી વધુ યથા શક્તિ પ્રમાણે દાન લેવામાં આવશે અને પ્રભુ શ્રી રામના મંદિરનું ભવ્ય નિર્માણ થાય તેમાં યોગદાન કરવામાં આવશે.

Related posts

નવરાત્રી દરમિયાન જાહેરમાં નહિ યોજી શકાય ગરબા

Ahmedabad Samay

હવે ભારતના જમ્મુ કાશ્મીરમાં જરૂર છે હિન્દૂ આંતકી સંગઠની: ધર્મ રક્ષક

Ahmedabad Samay

અમદાવાદમાં તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વાગત કાર્યક્રમ 23 ઓગસ્ટે યોજાશે

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્‍તારમાં કળયુગના માતાપિતાએ પોતાની દીકરીને ૪૦ હજારમા વહેચી

Ahmedabad Samay

અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

Ahmedabad Samay

૧૨૦૦૦ ફૂટ ઉપર આવેલ તુંગનાથ સર્વોચ્ચ શિવ મંદિર પર્વતની ટોચ પર ટેટૂ બનાવવાનો ઈતિહાસ રચ્યો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો