ઇન્દ્રપુરીવોર્ડમાં આમ આદમી પાર્ટી દ્વારા સ્થાનિક લોકો સાથે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું , મીટીંગમાં ઇન્દ્રપુરી વોર્ડના યુવાનો સાથે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમની તકલીફો અને તેમના પ્રશ્નો ને સાંભળવામાં આવ્યું હતું, ઇન્દ્રપુરી વોર્ડની સમસ્યાઓ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી
આમ આદમી પાર્ટીના બબીતા જૈન, વોર્ડ પ્રમુખ રામસિંગ ચૌહાણ, મહામંત્રી મનીષભાઈ અને વીપીન સોલંકી સાથે મળીને આમ આદમી પાર્ટીની વિચારધારા અને આમ આદમીના કાર્ય ને લોકો સમક્ષ મુકવામાં આવ્યું હતું જેથી લોકોના મનમાં આમ આદમી પાર્ટી માટે વિશ્વાસ બને અને તેમને આ ઇલેક્શનમાં એક મોકો આપી વિજય બનાવે
