June 22, 2026
ગુજરાતદેશ

100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના

ભારતીય રિઝર્વ બેન્ક (RBI)ના સહાયક મહાપ્રબંધક (AGM) મહેશે ગુરુવારે 22 જાન્યુઆરીએ કહ્યું કે 100 રૂપિયા, 10 રૂપિયા અને 5 રૂપિયાની ચલણી નોટોની જૂની સીરીઝ ધીમે ધીમે RBI પરત લેવાની યોજના બનાવી રહી છે. આ સાથે જ આ ચલણી નોટો માર્ચ-એપ્રિલ સુધીમાં ચલણમાંથી બહાર થઇ જશે.

તેમણે જિલ્લા પંચાયતના નેત્રાવતી હૉલમાં ડિસ્ટ્રીક્ટ લીડ બેન્ક દ્વારા આયોજિત જિલ્લા સ્તરીય સુરક્ષા સમિતિ (DLSC) અને જિલ્લા સ્તરીય મુદ્રા પ્રબંધન સમિતિ (DLMC)ની બેઠક દરમિયાન આ અંગે માહિતી આપી.

10 રૂપિયાનો સિક્કો રજુ કર્યાને 50 વર્ષ થયાનો ઉલ્લેખ કરતા તેમણે જણાવ્યું કે મોટાભાગના વેપારીઓ અને ધંધાર્થીઓ હવે 10 રૂપિયાના સિક્કા નથી સ્વીકારી રહ્યા જેને લીધે બેંકો અને આરબીઆઇ માટે સમસ્યાઓ ઉભી થઇ રહી છે અને બેંકમાં સિક્કાઓનું ભારણ વધી રહ્યું છે.

તેમણે 10 રૂપિયાના સિક્કાના નિકાલ,

10 રૂપિયાના સિક્કા હવે માન્ય નથી રહ્યા હોવાની અફવાહોને પહોંચી વળવા અને સિક્કાઓ નકલી નથી પરંતુ હજુ પણ માન્ય છે તેવી લોકજાગૃતિ માટે કોઈ રચનાત્મક રસ્તા અંગે પણ સવાલ પણ કર્યો છે.

માર્ચના અંત સુધી સંપૂર્ણ રીતે પરત લઇ લેવામાં આવશે 100ની નોટ

જૂની સીરીઝ વાળી 100 રૂપિયાની ચલણી નોટ માર્ચના અંત સુધી સંપૂર્ણ રીતે પરત લઇ લેવામાં આવશે. આ નોટ પાછલા 6 વર્ષોથી પ્રિન્ટ કરવામાં આવી છે. જો કે RBIનો હેતુ આ નોટોને ફરીથી પરત મેળવવાનો છે જે પહેલા છપાઇ હતી. ચલણમાં જૂની નોટોને ચરણબદ્ધ કરી દેવામાં આવી છે અને માર્ચના અંત સુધી પૂરી કરી દેવામાં આવશે.

સરકાર બંધ નહી કરે 2000ની નોટો છાપવાનું

2000ની નોટ બંધ થવાને લઈને ઘણીવાર ચર્ચાઓ ચાલી છે. સરકારે આ બાબતે તો ખુલાસો કરવો પડ્યો છે. નાણાકીય વર્ષ 2019-20 અને 2020-21માં 2000 રૂપિયાની નોટો મોકલવા માટે પ્રેસને કોઈ માંગ પત્ર મોકલ્યો ન હતો, પરંતુ તેનો અર્થ એ નથી કે, સરકાર 2000 રૂપિયાની નોટ છાપવાનું બંધ કરવાનું વિચારી રહી છે.

Related posts

ST બસમાં લૂંટ કરતી બે મહિલા અને રીક્ષામાં બેસાડી હાથ સાફ કરતા બે ગુનેગાનો ક્રાઈમ બ્રાન્ચે ઝડપ્યા

Ahmedabad Samay

એર ઇન્ડિયા૧૯મે થી ડોમેસ્ટિક ફ્લાઇટ શરૂ કરશે.

Ahmedabad Samay

અમદાવાદ – કાર બાદ હવે બાઈક ભૂવામાં જતી રહી, ગઈકાલે પડેલા વરસાદમાં કોર્પોરેશનની ખૂલી પોલ

Ahmedabad Samay

અમદાવાદમાં બે દિવસ આંતરરાષ્ટ્રીય ચિલ્ડ્રન ફિલ્મ ફેસ્ટિવલ યોજાશે

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને તેમના ૭૫મા જન્મદિવસ પર દેશ અને દુનિયાભરમાંથી મળી શુભેચ્છા

Ahmedabad Samay

મોદી સરકાર પાકિસ્‍તાનને પાઠ ભણાવવા માટે ચોક્કસપણે ત્રણ વિકલ્‍પો વિશે વિચારશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો