March 25, 2026
દેશદુનિયા

દુબઇમાં કામ કરતા ભારતીયો માટે સારા સમાચાર, હવે મળશે દુબઇની નાગરિકત્વ

સંયુક્ત અરબ અમીરાત  કામ કરતા લાખો ભારતીયો માટે સારા સમાચાર છે. યુએઈએ શનિવારે જાહેરાત કરી હતી કે તે વ્યાવસાયિક વિદેશી નાગરિકોને તેની નાગરિકતા આપશે. કોવિડ -૧૯ રોગચાળા વચ્ચે અર્થવ્યવસ્થાને પુનર્જીવિત કરવા માટે આ પગલું લેવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે અહીંના કામદારોને જ નહીં, પરંતુ તેમના પરિવારોને પણ નાગરિકત્વ આપવામાં આવશે.

દુબઇના શાસક, વડા પ્રધાન અને દેશના ઉપરાષ્ટ્રપતિ, શેખ મોહમ્મદ બિન અલ મખ્તુમે જાહેરાત કરી કે કલાકારો, લેખકો, ડોકટરો, એન્જિનિયરો અને વૈજ્ઞાનિકો તેમ જ તેમના પરિવારો નાગરિકત્વ માટે અરજી કરી શકે છે. યુએઈના નાગરિક બન્યા પછી પણ તેઓ તેમની જૂની નાગરિકતા જાળવી શકે છે.

 

હજી સુધી તે સ્પષ્ટ નથી થયું કે નાગરિકત્વ મેળવનારા વિદેશી નાગરિકોને પણ મૂળ નાગરિકો જેવા જ અધિકાર આપવામાં આવશે કે કેમ. હજી સુધી, અહીં કામ કરતા વિદેશી લોકોને નોકરી અથવા કામ દરમિયાન જ વિઝા મળે છે જે રિન્યુ કરવામાં આવે છે. જો કે, તાજેતરના વર્ષોમાં વિઝા નિયમો હળવા કરવામાં આવ્યા છે જેના કારણે વિશેષ રોકાણકારો, વિદ્યાર્થીઓ અને વ્યાવસાયિકો વધુ સમય દેશમાં રહી શકે છે.

Related posts

PM મોદીએ ૩૨ મિનિટમાં પ્રજા સંબોધનમાં બે મોટી જાહેરાત કરી

Ahmedabad Samay

ટોલ ટેક્સમાં વધારો કર્યો,નવા દરો હવે 12મી જૂન એટલે કે રવિવાર રાતથી લાગુ થશે. સોમવારથી સમગ્ર દેશમાં રોડ ટોલ ચાર્જમાં 3-5%નો વધારો થવાની તૈયારી

Ahmedabad Samay

T20 વલર્ડ કપ ઓસ્ટ્રેલિયાએ કર્યું કબજે, શાનદાર પ્રદશન કરી મેળવ્યો વલર્ડ કપનો તાજ

Ahmedabad Samay

ભારતીય પુરાતત્‍વ અનુસાર મુગલ શાસક ઔરંગઝેબે સંકુલમાં મસ્‍જિદ માટે એક હિન્‍દુ મંદિર તોડી પાડ્‍યું

Ahmedabad Samay

અલવિદા પ્રણવ દા, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી નું ૮૪ વર્ષે નિધન

Ahmedabad Samay

આ માહિતી અચૂક લોકો સુધી પહોંચાડો,જાણો બ્લેક ફંગસ ઈન્ફેકશનની તમામ માહિતી,સાવચેતી અને લક્ષણો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો