સ્ટેડિયમના ઉદ્ઘાટન સમયે અમિતભાઈ શાહે એ જણાવ્યું હતું કે સ્ટેડિયમનું નામ પીએમ નરેન્દ્ર ભાઈ મોદીના નામ પરથી શા માટે રાખવામાં આવ્યું છે. તેમણે કહ્યું, ‘અમે વડા પ્રધાનના નામ પરથી તેનું નામ નક્કી કર્યું છે. આ મોદીજીનો ડ્રીમ પ્રોજેક્ટ હતો.
એટલું જ નહીં રાષ્ટ્રપતિએ સ્પોર્ટ્સ એન્ક્લેવનો પાયો પણ નાખ્યો, જેનું નામ દેશના પ્રથમ ગૃહ પ્રધાન સરદાર પટેલના નામ પરથી લેવામાં આવશે. સ્પોર્ટ્સ એન્ક્લેવમાં ફૂટબોલ, બાસ્કેટબોલ, કબડ્ડી, બોક્સિંગ અને લોન ટેનિસ સહિતની તમામ રમતો માટે જગ્યા હશે.
