આજ રોજ કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા ગુડિપાડવા નિમિતે બળવંતરાય ઠાકોર હોલ કાંકરિયા ખાતે ખાદ્ય મહોત્સવ ૨૦૨૫ ની ઉજવણી કરવામાં આવી હતી, આ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે મેયર શ્રી પ્રતિભાબેન જૈન ઉપસ્થિત રહી કાર્યક્રમની શરૂઆત કરી હતી,
આ કાર્યક્રમમાં જુદા જુદા ઉદ્યોગને લગતા સ્ટોલ પણ રાખવામાં આવ્યા જેમાં મહારાષ્ટ્રીયન વાનગીઓ, પહેરવેશ, જવેલેરી જેવા અનેક સ્ટોલ રાખવામાં આવ્યા હતા,આ કાર્યક્રમ માં મરાઠી સમાજના લોકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યું હતું
