July 4, 2026
Other

આવતી કાલે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું આગમન, સંપૂર્ણ તૈયારિયો થઇ પૂર્ણ

વડાપ્રધાન મોદીની આવતીકાલે એટલે કે શુક્રવારે અમદાવાદના ગાંધીઆશ્રમની મુલાકાતને લઈને તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે. ગાંધીઆશ્રમ નજીક આવેલા અભય ઘાટ પર વડાપ્રધાન  મોદી સભાને સંબોધન કરશે. જ્યાં એરકંડીશનર ડોમ બનાવવામાં આવ્યો છે. ગાંધીઆશ્રમમાં સિક્યોરિટીને ધ્યાને રાખી ત્રણ ડોમ બનાવવામાં આવ્યા છે.

આઝાદીની ૭૫મી વર્ષગાંઠની ઉજવણીનો પ્રારંભ પણ થશે સાથે સાથે, ‘આઝાદી કા અમૃત મહોત્સવ’નો પ્રારંભ ૧૨ માર્ચના રોજ વડાપ્રધાન મોદીની હાજરીમાં થશે. તમામ તૈયારીઓને ધમધમાટ પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. સાથે જ બાપુના નિવાસ સ્થાન હૃદયકુંજ સહિત સમગ્ર આશ્રમમાં રંગરોગાણ પણ કરાયુ છે.સુરક્ષા અને વ્યવસ્થા અંગેનું નિરીક્ષણ કરવા માટે એસપીજીના ત્રણ અધિકારીઓએ  ગાંધીઆશ્રમની મુલાકાત પણ લીધી હતી.

આ કાર્યક્મ અંતર્ગત પ્રથમ કાર્યક્રમ ૨૧ દિવસની દાંડીયાત્રાનો પણ પીએમ મોદી ફલેગ ઓફ કરશે. હાલ ગાંધી આશ્રમના ડેવલપમેન્ટનો બેઝિક ડિઝાઈન પ્લાન પણ તૈયાર કરી દેવાયો છે અને જેને કેન્દ્ર સરકારમાં ફાઈનલ મંજૂરી માટે મોકલવામા આવ્યો છે. કેન્દ્ર સરકારની ફાઈનલ મંજૂરી બાદ કામગીરી શરૃ કરાશે.મહત્વનું છે કે ગાંધી આશ્રમના આર્કિટેકચર પ્લાન અને ડિઝાઈનિંગની જવાબદારી અમદાવાદના આર્કિટેક્ટ બિમલ પટેલને અપાઈ છે.

આ કાર્યક્રમમાં મંત્રીઓ અને ૮૧ ગાંધી અનુયાયીઓ પણ જાેડાશે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા હાજર રહેશે. આ મુલાકાતને લઈને રાજ્ય સરકારે પણ તડામાર તૈયારીઓ કરી છે.

Related posts

ટીમ ઇન્ડિયા વર્લ્ડકપની ફાઇનલ મેચ રમવા માટે અમદાવાદ પહોંચી

Ahmedabad Samay

પુત્રીના શંકાસ્પદ મૃત્યુના ન્યાય માટે લગાવી મદદની ગુહાર

Ahmedabad Samay

BJPને ટેકાની જરૂર પડી, જાણો કોણ કોણ છે NDAમાં સાથી પક્ષો

Ahmedabad Samay

ગુજરાતની રાજનીતિમાં કાલે સૌથી મોટો દિવસ, ક્ષત્રિયાણીઓ આવતીકાલે ગાંધીનગર કમલમ ખાતે જૌહર કરશે

Ahmedabad Samay

શાહીબાગ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના આઇ શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટ ની મીટિંગ યોજાઇ

Ahmedabad Samay

છોડમાં લાગી ગયા છે જંતુઓ, તો આ 5 ટીપ્સ અનુસરો, તરત જ નીકળીને ભાગી જશે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો