પિતાએ પુત્રીના શંકાસ્પદ મૃત્યુમાં ન્યાય માટે લોકો સમક્ષ લગાવી મદદની ગુહાર,સાસરિયાઓ દ્વારા તેણીને હેરાન કરવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો અને ત્રાસ આપવામાં આવ્યો હતો અને તેમને શંકા છે કે તેમની પુત્રીની હત્યા પણ તેમને જ કરી હશે.
આ અંગે વધુ માહિતી આપતા તેમને જણાવ્યું હતું કે અમારી પુત્રી સાક્ષીના લગ્ન લગભગ ત્રણ વર્ષ પહેલાં શાનભાઈ ભરવાડ સાથે થયા હતા. તેને બે નાના બાળકો છે – એક પુત્ર અને એક પુત્રી.
૧૩ ફેબ્રુઆરી, ૨૦૨૬ ના રોજ, અમને માહિતી મળી કે અમારી પુત્રીનું મૃત્યુ થયું છે. અમને ખાતરી છે કે તેના સાસરિયાઓ દ્વારા તેણીને હેરાન કરવામાં આવી હતી, માર મારવામાં આવ્યો હતો અને ત્રાસ આપવામાં આવ્યો હતો, જેના કારણે તેણીની હત્યા થઈ હતી. આ ઘટના બાદ, તેને આત્મહત્યા તરીકે દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
અમે તાત્કાલિક સરખેજ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી હતી. અમારી પાસે FIR, પોસ્ટમોર્ટમ (PMO) રિપોર્ટ અને અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજોની નકલ છે, જે અમે મીડિયા સાથે શેર કરી રહ્યા છીએ.
કમનસીબે, આ કેસમાં અત્યાર સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી. અમને ડર છે કે જો સમયસર નિષ્પક્ષ તપાસ નહીં થાય, તો અમારી દીકરીને ન્યાય નહીં મળે.
હાથ જોડીને, અમે મીડિયાને વિનંતી કરીએ છીએ કે તેઓ આ બાબતને ગંભીરતાથી લે અને વહીવટીતંત્ર પર નિષ્પક્ષ તપાસ કરવા દબાણ કરે. અમે માંગ કરીએ છીએ:
૧. કેસની નિષ્પક્ષ અને ઉચ્ચ સ્તરીય તપાસ કરવામાં આવે.
૨. દોષિતો સામે તાત્કાલિક કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવે.
૩. અમારી દીકરીના બે માસૂમ બાળકોનું ભવિષ્ય સુનિશ્ચિત કરવામાં આવે.
અમારી દીકરી હવે આ દુનિયામાં નથી, પરંતુ અમે ઇચ્છીએ છીએ કે તેના આત્માને ન્યાય મળે. કૃપા કરીને દેશભરમાં અમારો અવાજ સંભળાવવામાં અમારી મદદ કરો.
