May 9, 2026
ગુજરાત

વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

આઝાદીના અમૃત મહોત્સવનો આજે પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો છે. આ ઉજવણીના કાર્યક્રમનું નામ આઝાદી કા અમૃત મહોત્સવ રાખવામાં આવેલ છે. મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ આજે સાબરમતી આશ્રમમાંથી કર્યુ હતું. આ પ્રસંગે પીએમ મોદીએ સાબરમતી આશ્રમથી દાંડી માર્ચને લીલીઝંડી આપી હતી. દાંડી માર્ચ એ જ રૂટ પર જશે જે રૂટ પર ૯૧ વર્ષ પહેલા ગાંધીજીએ દાંડી માર્ચ યોજી હતી અને નમક કાનૂનને તોડયો હતો. વર્ષ ૧૯૩૦માં આજના દિવસે જ મહાત્મા ગાંધીએ દાંડીયાત્રાની શરૂઆત કરી હતી અને નમક કાનૂનને તોડયો હતો.

આજે સવારે વડાપ્રધાન મોદીનું અમદાવાદ આગમન થયુ હતું. આગમન બાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમની હૃદયકુંજની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તે પછી તેમણે વકતવ્ય પણ આપ્યુ હતુ અને પ્રતિકાત્મક રીતે ૮૧ પદયાત્રીઓને દાંડી સુધી ૩૮૬ કિ.મી.ની યાત્રા માટે વિદાય આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાંડી જનારા ૮૧ પદયાત્રીઓમાં સમાજના વિવિધ વર્ગોના લોકોનો સમાવેશ થાય છે. આ પદયાત્રીઓ ૫ એપ્રિલના રોજ દાંડી પહોંચશે.

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ દિવસે આ દાંડીયાત્રામાં જોડાશે. આઝાદીના ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે તેથી ૭૫ અઠવાડીયા સુધી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થશે.

Related posts

છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા મહારાષ્ટ્રમાં પૂરગ્રસ્ત ગામડાઓમાં અનાજ અને મેડીકલ કીટ મોકલાવી

Ahmedabad Samay

અનલોક ૦૩ માટે ગુજરાત સરકારની ગાઈડલાઈન જાહેર

Ahmedabad Samay

શાહીબાગ ખાતે આવેલ ફોરેન પોસ્ટ ઓફિસમાંથી હાઇબ્રિડ ગાંજાના પાર્સલ મળ્યા

Ahmedabad Samay

જી.એમ.ડી.સી ગ્રાઉન્ડમાં ડ્રાઇવ થ્રુ ટેસ્ટીંગ શરૂ કરાયું

Ahmedabad Samay

રથયાત્રા દરમિયાન સમગ્ર રૂટ પર કર્ફ્યૂ રહેશે:(પોલીસ કમિશ્નર) સંજય શ્રીવાસ્તવ

Ahmedabad Samay

AVHEM દ્વારા ધૈર્યરાજસિંહ માટે એકત્રિત કરાયેલ ફાળો તેમના પરિવારને સોંપવામાં આવ્યું હતું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો