June 24, 2026
ગુજરાત

વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો

આઝાદીના અમૃત મહોત્સવનો આજે પ્રારંભ થયો છે. વડાપ્રધાન મોદીએ આજથી આઝાદીના ૭૫માં વર્ષની ઉજવણીનો પ્રારંભ કરાવ્યો છે. આ ઉજવણીના કાર્યક્રમનું નામ આઝાદી કા અમૃત મહોત્સવ રાખવામાં આવેલ છે. મુખ્ય કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન મોદીએ આજે સાબરમતી આશ્રમમાંથી કર્યુ હતું. આ પ્રસંગે પીએમ મોદીએ સાબરમતી આશ્રમથી દાંડી માર્ચને લીલીઝંડી આપી હતી. દાંડી માર્ચ એ જ રૂટ પર જશે જે રૂટ પર ૯૧ વર્ષ પહેલા ગાંધીજીએ દાંડી માર્ચ યોજી હતી અને નમક કાનૂનને તોડયો હતો. વર્ષ ૧૯૩૦માં આજના દિવસે જ મહાત્મા ગાંધીએ દાંડીયાત્રાની શરૂઆત કરી હતી અને નમક કાનૂનને તોડયો હતો.

આજે સવારે વડાપ્રધાન મોદીનું અમદાવાદ આગમન થયુ હતું. આગમન બાદ તેઓ સાબરમતી ગાંધી આશ્રમની હૃદયકુંજની મુલાકાત લઈ ગાંધીજીની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી હતી. તે પછી તેમણે વકતવ્ય પણ આપ્યુ હતુ અને પ્રતિકાત્મક રીતે ૮૧ પદયાત્રીઓને દાંડી સુધી ૩૮૬ કિ.મી.ની યાત્રા માટે વિદાય આપી હતી. આ પ્રસંગે રાજ્યપાલ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. દાંડી જનારા ૮૧ પદયાત્રીઓમાં સમાજના વિવિધ વર્ગોના લોકોનો સમાવેશ થાય છે. આ પદયાત્રીઓ ૫ એપ્રિલના રોજ દાંડી પહોંચશે.

ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ અને કેન્દ્રીય મંત્રીઓ અલગ અલગ દિવસે આ દાંડીયાત્રામાં જોડાશે. આઝાદીના ૭૫ વર્ષ પુરા થઈ રહ્યા છે તેથી ૭૫ અઠવાડીયા સુધી આઝાદીના અમૃત મહોત્સવની ઉજવણી થશે.

Related posts

ઇન્ડિયા ગઠબંધનના મંચ પર વડાપ્રધાન મોદીના માતા વિરુદ્ધ અપ શબ્દો બોલાયા હતા જેને પગલે બિહારી સમુદાય, અન્ય ભાષા સમુદાય દ્વારા વિરોધ કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં વરસાદે વિરામ લીધા બાદ પણ સોસાયટીઓમાં પાણી ન ઓસરતા સ્થાનિકો પરેશાન

Ahmedabad Samay

અમદાવાદના યુવા એન્જિનિયર કેશવકાંત શર્માએ એક અનોખું ડ્રોન વિકસાવ્યું , જે દુશ્મનો પર ગ્રેનેડ ફેંકીને સુરક્ષિત રીતે પાછું ફરી શકે છે

Ahmedabad Samay

અમદાવાદ – અત્યાર સુધીમાં એરપોર્ટ પરથી 1000થી વધુ હજયાત્રીઓ રવાના થયા

Ahmedabad Samay

વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના મોટા માથાના નેતાઓએ ચૂંટણી લડવા કહી દીધું “ના”

Ahmedabad Samay

GTU ના વિદ્યાર્થી મંદાર વાઘમારેએ સાયબર ક્રાઈમ રોકવામાટે ડિવાઇસ બનાવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો