March 24, 2026
દેશ

સતારાના રામભાઉ બોડક દરોજજ ખાય છે ૨૫૦ ગ્રામ પથ્થર, લોકો તેમને પથ્થરવાળા બાબા બોલાવે છે.

એક વૃદ્ઘને પેટમાં દુૅંખાવો થવાથી હોસ્પિટલમાં એડમિટ કરાવવા પડ્યાં. સીટી સ્કેનથી ખ્યાલ આવ્યો કે તેમના પેટમાં ખૂબ જ પથ્થર છે. દરરોજ ૨૫૦ ગ્રામ પથ્થર ખાવાથી લોકોની સાથે-સાથે ડોકટરો પણ દંગ રહી ગયા છે

મહારાષ્ટ્રના સતારાના એક ૮૦ વર્ષીય વૃદ્ઘ દરરોજ ૨૫૦ ગ્રામ પથ્થર ખાય છે. જણાવવામાં આવી રહ્યું છે કે તેઓ છેલ્લાં ૩૧ વર્ષોથી પથ્થર ખાઈ રહ્યાં છે. આ વ્યકિતનું નામ રામભાઉ બોડકે છે. ગામના ઘણાં લોકો રામભાઉ બોડકેને પથ્થરવાળા બાબા પણ બોલાવે છે.

તેમણે જણાવ્યું કે તેઓ ૧૯૮૯માં મુંબઈમાં કામ કરવા ગયા હતા ત્યાં તેમને અચાનક પેટમાં દુઃખાવો થવા લાગ્યો. ત્રણ વર્ષ સુધી સારવાર કરી. તેમ છતાં પેટનું દર્દ દુર થયું નહી. તે બાદ તેઓ સતારા આવી ગયા અને અહીં ખેતી કામ કરવા લાગ્યા. પરંતુ તેમને પેટમાં દુઃખાવાની તકલીફ શરૂ જ રહી.

ગામમાં રહેતા એક વૃદ્ઘ મહિલાએ તેમને પથ્થર ખાવા જણાવ્યું. તેમણે તે વૃદ્ઘ મહિલાની વાત માની રામભાઉ બોડકેએ પથ્થર ખાવાના શરૂ કરી દીધાં તો તેમને દર્દમાં થોડો આરામ મળ્યો. તે બાદ તેઓ દરરોજ પથ્થર ખાવા લાગ્યા. રામભાઉ ૩૧ વર્ષથી દરરોજ પથ્થર ખાઈ રહ્યાં છે. તેમનું કહેવું છે કે તેને પથ્થર ખાવામાં મજા આવતી હતી. હવે તેમના ખીસ્સામાં હંમ્મેશા નાના-નાના પથ્થરના ટુકડાઓ હોય છે અને મન થાય ત્યારે ખાઈ લે છે. તેમની આ ટેવના કારણે તેમની આસપાસના ઘણાં લોકો પથ્થરવાળા બાબા તરીકે ઓળખે છે.

Related posts

ભારતની સ્ટાર શૂટર ઇલાવેનિલ વાલારિવનએ મહિલાઓની ૧૦ મીટર એર રાઇફલ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીતીને દેશનું નામ રોશન કર્યું

Ahmedabad Samay

રિઝર્વ બેન્‍ક ઓફ ઇન્‍ડિયાએ એક નવી ઝડપી અને આધુનિક ચેક ક્‍લિયરન્‍સ સિસ્‍ટમ લાગુ કરી,ચેક જમા કર્યા બાદ પૈસા ખાતામાં કલાકોમાં ક્રેડિટ થઈ જશે, પોઝિટિવ પે સિસ્‍ટમ પણ ફરજિયાત

Ahmedabad Samay

પી.એમ મોદીએ રાષ્ટ્રજોગ દરમિયાન વિવાદિત ત્રણેય કૃષિ કાનુનોને પરત લેવાની જાહેરાત કરી હતી

Ahmedabad Samay

વડાપ્રધાને આજે અયોધ્યા રેલ્વે સ્ટેશનનું ઉદ્ઘાટન કર્યું

Ahmedabad Samay

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા 41 કામદારોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા, પરિવારજનોમાં ખુશીનો માહોલ.

Ahmedabad Samay

PM મોદી રશિયાની મુલાકાત બાદ બુધવારે ઐતિહાસિક મુલાકાતે ઓસ્ટ્રિયા પહોંચ્યા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો