વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે સવારે અમદાવાદ એરપોર્ટ ઉપર આવી પહોચ્યા હતા. ત્યાંથી તેઓ સીધા જ સાબરમતી આશ્રમ ખાતે પહોચ્યા હતા. જયાં નરેન્દ્રભાઈએ ગાંધીબાપુની પ્રતિમાને પુષ્પાંજલી અર્પણ કરી હતી. આ પ્રસંગે રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજયપાલ આચાર્ય દેવવ્રત સહિતના મહાનુભાવો પણ ઉપસ્થિત રહ્ના હતા. આશ્રમની મુલાકાત દરમિયાન શ્રી મોદીએ બુકમાં સંદેશો પણ લખ્યો હતો.
પુણ્ય સ્થળે આવીને ધન્યતા અનુભવુ છુ અહીં ત્યાગ – તપની ભાવના વધે છે. રાષ્ટ્રનિર્માણનો સંકલ્પ મજબુત બને છે. ગાંધીજીએ અહીંથી જ આત્માનિર્ભરતાનો સંદેશ આપેલ. પુજય બાપુના આર્શીવાદથી અમૃત મહોત્સવના ઉદેશ્યોને જરૂર સિધ્ધ કરાશેઃ નરેન્દ્રભાઇ.


