May 9, 2026
ગુજરાત

આવતીકાલે બાબા બાગેશ્વર આવશે અમદાવાદ, 29મેના રોજ યોજોશે લોકદરબારનો કાર્યક્રમ

અમદાવાદમાં બાબા બાગેશ્વરનો લોકદરબારનો કાર્યક્રમ હોવાથી તેઓ આવતીકાલે સુરતથી અમદાવાદ આવશે. ચાણક્યપુરીમાં તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

ગઈકાલે વિશાળ જનમેદનીમાં બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર આયોજિત કરવામાં આવ્યો હતો ત્યારે હવે અમદાવાદમાં મોટી સંખ્યામાં ભાવી ભક્તોની વચ્ચે તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. તેઓ આવતીકાલે 8 વાગે સુરતથી હવાઈ માર્ગેથી નકળી અમદાવાદ સવારે 9 કલાકે પહોંચશે.

અમદાવાદથી અંબાજી દર્શન કરવા માટે તેઓ પહોંચશે. જ્યાં માં અંબાના દર્શન કરીને તેઓ આશીર્વાદ મેળવશે. તેઓ અમદાવાદ આવીને રાત્રિ રોકાણ કરશે. ત્યાર બાદ બીજા દિવસે તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે.

આજે બાબા બાગેશ્વર સુરતમાં છે જ્યાં ફાઈસ્ટાર હોટલમાં તેમના લોકદરબારનું આયોજન કરવામાં આવ્યું છે. મંદિરનો તેમનો કાર્યક્રમ હતો પરંતું પ્રાપ્ત વિગતો અનુસાર આ કાર્યક્રમ રદ કરવામાં આવ્યો હતો. સુરતથી આવતીકાલે ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદ આવી રહ્યા છે. જો કે, પ્રથમ દિવસે જ ગુજરાતમાં તેઓ અમદાવાદ ખાતે ઉપસ્થિત રહ્યા હતા. જો કે, અમદાવાદ બાદ તેમનો રાજકોટનો કાર્યક્રમ યોજવામાં આવશે. આમ ગુજરાતમાં તેમના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

Related posts

સોલા પોલીસે ગેટ ટુ ગેધર દરમિયાન યોજાયેલ ગરબાના આયોજન પર માહિતી મળતા રેડ પાડી

Ahmedabad Samay

અકસ્માત કેસ મામલે તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી પર આજે સુનાવણી, મૃતક પરીવારે કરી છે વાંધા અરજી

Ahmedabad Samay

રોડ સાઈડમાં પાર્ક કરેલી કારને પાછળથી પોલીસની 112 જનરક્ષક ગાડીએ જોરદાર ટક્કર મારી, ડ્રાઇવર નશાની હાલતમાં મળ્યો

Ahmedabad Samay

અમદાવાદમાં દારૂના વેચાણ કરવામાં વધુ એક વિસ્તારનો થયો ઉમેરો,અડ્ડાનું સ્થળ જોઈ મોટો હપ્તો હશે

Ahmedabad Samay

ગુજરાતમાં હવે દારૂની પરમિટ મેળવવી વધુ સરળ, હવે ઓનલાઇન ફોર્મ ભરી શકશે

Ahmedabad Samay

મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની ઘટનાની પ્રારંભિક તપાસમાં જ કેટલીક ચોંકાવનારી વિગતો આવી સામે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો