February 6, 2026
Other

AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ

અમદાવાદમાં કોરોના સંક્રમણ ફરી વધતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. AMC દ્વારા અમદાવાદના જોધપુર, નવરંગપુરા, બોડકદેવ, થલતેજ, ગોતા, પાલડી, ઘાટલોડિયા અને મણિનગરમાં ધંધા રોજગાર બંધ રહેશે.

કોરોના મહામારી વધતા અમદાવાદમાં રેસ્ટોરા, મોલ, શો રૂમ અને પાનની દુકાન તેમજ ક્લબને બંધ રાખવાના પણ આદેશ કરવામાં આવ્યા છે. ટી સ્ટોલ, ફરસાણની દુકાન, હેર સલૂનને પણ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે. અમદાવાદમાં આઠ વોર્ડમાં રાત્રે 10 વાગ્યા બાદ ધંધા રોજગાર બંધ થતા વેપારી-લોકોએ મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે.  માણેકચોક અને રાયપુર ખાણીપીણી બજાર પણ બંધ રહેશે.

અમદાવાદમાં કોરોના સંક્રમણનું પ્રમાણ વધી રહ્યુ છે જેને કારણે જ્યા સૌથી વધુ કોરોનાના કેસ જોવા મળ્યા છે તે આઠ વિસ્તારમાં સાવચેતીના ભાગ રૂપે AMC દ્વારા આગામી આદેશ સુધી રાત્રે 10 વાગ્યા બાદ દુકાન-મોલ-રેસ્ટોરન્ટ બધુ બંધ રાખવાના આદેશ કરવામાં આવ્યા છે

Related posts

ગુજરાત લોકસભા અપડેટ

Ahmedabad Samay

અમદાવાદ સમય તરફથી ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

શ્રી હાંડેના મહોલ્લાના મરાઠા પંચ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

જાણીતા શાસ્ત્રી શ્રી નિમેશભાઈ જોષી દ્વારા જાણો આ સપ્તાહ કઇ રાશિ માટે વેપાર ધંધામાં લાવશે તેજી

Ahmedabad Samay

પોલીસ વિભાગ તરફથી જે.ડી.નાગરવાલા સ્ટેડિયમ ખાતે ભવ્ય રાસ ગરબા નું આયોજન કરવામાં આવ્યું હતું

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો