August 9, 2026
ગુજરાતરાજકારણ

અંતે ભાજપને આવ્યું પદ ગ્રહણ કે જાહેર અભિવાદન કાર્યક્રમ ન યોજવા સૂચના

રાજ્યમાં કોરોનાનો કહેર વધતા આખરે ભાજપને જ્ઞાન આવ્યું છે મનપા, નપા અને તાલુકા – જિલ્લા પંચાયતોના નવ નિયુક્ત પદાધિકારીઓને આવકારવા શુભેચ્છા પાઠવવા કાર્યકરો કોવીડ ગાઈડલાઇનના લિરા ઉડાવ્યા બાદ આખરે  કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ભાજપ દ્વારા જિલ્લા, મહાનગરપાલિકા કે પ્રદેશ કક્ષાએ સન્માન સમારોહ અથવા અન્ય જાહેર કાર્યક્રમ નહીં યોજવાનો નિર્ણય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કર્યો છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું  છે કે, ભાજપના સંગઠનના પ્રદેશ, જિલ્લા, મહાનગરપાલિકાના પદાધિકારીઓને તેમ જ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં નવનિયુક્ત પદાધિકારીઓને કોરોનાના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં લઇને પદગ્રહણ વખતે ભીડ ભેગી ન કરવી તેમ જ સન્માન સમારોહ કે અન્ય સમારોહ ન યોજવા અને જાહેર કાર્યક્રમો નહીં યોજવા માટે જાણ કરી છે

કોરોનાના વધતાં જતાં સંક્રમણમાં સૈ સરકાર દ્રારા જાહેર કરેલી ગાઇડલાઇનને અનુસરીને તેવી અપીલ તમામ શ્રેણીના કાર્યકર્તાઓને કરી છે. જયાં જરૂર પડે ત્યાં વેક્સિનેશન સહિતની લોકસેવામાં જોડાઇ જવાની હાકલ કરી છે.

Related posts

ગુજરાતમાં અમદાવાદ બની શકે છે પ્રથમ વખત 2026માં યોજાનારી કોમનવેલ્થ ગેમ્સનું સાક્ષી

Ahmedabad Samay

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

Ahmedabad Samay

અમદાવાદ- પ્રવાસી શિક્ષકોની ભરતી વિના આજથી સ્કૂલો શરુ, એક શિક્ષકને બે ક્લાસ લેવાની ફરજ પડી શકે છે

Ahmedabad Samay

ગુજરાત સરકારનો એર એમ્બ્યુલન્સ પ્રોજેકટ આખરે શરૂ.

Ahmedabad Samay

ડિસેમ્બર માસ સુધી મળશે કોરોના ની રસી

Ahmedabad Samay

કોરોનાના ચોંકાવનારા આંકડા સામે,એક સપ્તાહમાં સંક્રમણ કેસમાં આશરે ૧૭૫% નો વધારો થયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો