May 10, 2026
ગુજરાતરાજકારણ

અંતે ભાજપને આવ્યું પદ ગ્રહણ કે જાહેર અભિવાદન કાર્યક્રમ ન યોજવા સૂચના

રાજ્યમાં કોરોનાનો કહેર વધતા આખરે ભાજપને જ્ઞાન આવ્યું છે મનપા, નપા અને તાલુકા – જિલ્લા પંચાયતોના નવ નિયુક્ત પદાધિકારીઓને આવકારવા શુભેચ્છા પાઠવવા કાર્યકરો કોવીડ ગાઈડલાઇનના લિરા ઉડાવ્યા બાદ આખરે  કોરોનાની પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં લઇને ભાજપ દ્વારા જિલ્લા, મહાનગરપાલિકા કે પ્રદેશ કક્ષાએ સન્માન સમારોહ અથવા અન્ય જાહેર કાર્યક્રમ નહીં યોજવાનો નિર્ણય પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે કર્યો છે.

પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલે વધુમાં જણાવ્યું  છે કે, ભાજપના સંગઠનના પ્રદેશ, જિલ્લા, મહાનગરપાલિકાના પદાધિકારીઓને તેમ જ સ્થાનિક સ્વરાજની ચુંટણીમાં નવનિયુક્ત પદાધિકારીઓને કોરોનાના વધતાં જતાં સંક્રમણને ધ્યાનમાં લઇને પદગ્રહણ વખતે ભીડ ભેગી ન કરવી તેમ જ સન્માન સમારોહ કે અન્ય સમારોહ ન યોજવા અને જાહેર કાર્યક્રમો નહીં યોજવા માટે જાણ કરી છે

કોરોનાના વધતાં જતાં સંક્રમણમાં સૈ સરકાર દ્રારા જાહેર કરેલી ગાઇડલાઇનને અનુસરીને તેવી અપીલ તમામ શ્રેણીના કાર્યકર્તાઓને કરી છે. જયાં જરૂર પડે ત્યાં વેક્સિનેશન સહિતની લોકસેવામાં જોડાઇ જવાની હાકલ કરી છે.

Related posts

મેઘાણીનગરમાં બે પ્રેમીઓ એ ગળે ફાસો ખાઈ કરી આત્મહત્યા

Ahmedabad Samay

સરદાર સન્માન સંકલ્પ આંદોલન સમિતિ દ્વારા કરમસદ ખાતે ધરણા પ્રદર્શન કરવામાં

Ahmedabad Samay

આજ રોજ સર્કિટ હાઉસ ખાતે મરાઠી સમાજના શ્રી તુલજાભવાની સેવા ટ્રસ્ટની મિટિંગ યોજાઇ.

Ahmedabad Samay

ગુજરાતમાં શિક્ષણ સાથે થતી ધાર્મિક છેડછાડને રોકવા હિન્દુ સેનાની બેઠક મળી

Ahmedabad Samay

એશિયાની સૌથી મોટી દૂધની બ્રાન્ડ અમુલને મોંઘવારી નડી, કાલથી અમુલ દૂધના ભાવમાં થયો વધારો

Ahmedabad Samay

મોંઘવારીએ હદ કરી હવે દવા પણ થશે મોંઘી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો