December 5, 2025
ગુજરાત

છૂટ છાટ સાથે મીની લોકડાઉન લંબાય તેવી શક્યતા, સાંજે નિર્ણય લેવાશે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના કેસમાં ઘટાડો નોંધાયો છે. આમ છતા હજુ કોરોના શાંત થયો નથી. આ સંજોગોમાં મીની લોકડાઉન ચાલુ રાખવુ કે છૂટ આપવી ? એ બાબતને લઈને સરકાર ભારે મુંઝવણમાં મુકાઈ હોવાનું જાણવા મળે છે.જો કે રાજ્ય સરકાર રાત્રી કર્ફયુ ચાલુ રાખે તેવી શકયતા હોવાનું જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ગુજરાતના અનેક વેપારી સંગઠનોએ આર્થિક પ્રવૃતિ ધમધમતી કરવા માટે મીની લોકડાઉનમાં છૂટછાટની માંગણી કરી છે.

નોંધનીય છે કે રાજ્ય સરકારે મીની લોકડાઉન અને ૩૬ શહેરોમાં રાત્રી કર્ફયુની જાહેરાત કરી હતી તેની મુદત આવતીકાલે પુરી થઈ રહી છે. તેથી મીની લોકડાઉન અને રાત્રી કર્ફયુ વિશે આજે સાંજ સુધીમાં સરકાર કોઈ નિર્ણય જાહેર કરે તેવી શકયતા છે.

કોરોનાની ચેઈન તોડવા માટે હાલમાં અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિતના ૮ મહાનગરો અને ૩૬ શહેરોમાં રાત્રીના ૮ થી સવારે ૬ સુધીનો કર્ફયુ ચાલી રહ્યો છે. એવુ જાણ વા મળે છે કે કોરોનાના કેસ ઘટી ગયા છે પરંતુ સરકાર કોઈ ખતરો લેવા માગતી નથી આથી રાત્રી કર્ફયુનો અમલ લંબાવવામાં આવે તેવી પુરેપુરી શકયતા છે.

આ ઉપરાંત રાજ્ય સરકારે મીની લોકડાઉન પણ જાહેર કર્યુ છે. જેમાં આવશ્યક ચીજવસ્તુઓ જેમ કે દવા, કરીયાણુ, ડેરી, શાકભાજી, ફળફળાદી, ચશ્માની દુકાનો, હોટલો અને રેસ્ટોરન્ટને ટેઈકઅવેની છૂટ આપી છે જ્યારે બાકીની દુકાનો-બજારોને બંધ રાખવાનો આદેશ આપ્યો હતો જે હેઠળ તા. ૪ મેથી મોટાભાગની દુકાનો-બજારો બંધ છે જેના કારણે વેપારીઓ અકળાયા છે અને ગુજરાતભરમાંથી વેપારી એસોસીએશનોએ સરકારને અપીલ કરી છે કે દુકાનો ખોલવાની મંજુરી આપવામાં આવે. તેઓએ દલીલ કરી છે કે મંદીના સમયમાં દુકાનો બંધ રાખવાથી વેપારીઓની આર્થિક સ્થિતિ હલબલી ઉઠી છે. જેના કારણે હવે દુકાનો ખોલવાની મંજુરી મળવી જોઈએ.

વિવિધ વેપારી એસોસીએશનોની અપીલને ધ્યાને લઈને સરકાર મીની લોકડાઉનમાં છૂટછાટ આપશે તેવુ લાગે છે પરંતુ રાત્રી કર્ફયુનો અમલ ચાલુ રહે તેવુ જણાય છે.

સરકાર આ બાબતે આજ સાંજ સુધીમા કોઈ નિર્ણય જાહેર કરશે તેવુ જાણવા મળે છે. અત્રે એ નોંધનીય છે કે ૮ મહાનગરો ઉપરાંત રાજ્યના ૩૬ શહેરોમાં બધુ જ બંધ છે.

Related posts

ભાવભીની શ્રદ્ધાંજલિ

Ahmedabad Samay

અમદાવાદમાં અલર્ટ જાહેર,અમદાવાદ પોલીસ કમિશ્રર સંજય શ્રીવસ્તવ દ્વારા અલર્ટ જાહેર કરાયુ

Ahmedabad Samay

અમદાવાદમાં હલકી ગુણવત્તાના હાટકેશ્વર બ્રિજ મામલે ફરી એક કૌભાંડ સામે આવ્યું

Ahmedabad Samay

એરફોર્સ ઓફિસર થી લઇ કરણી સેના અધ્યક્ષનો ફેસબુક એકાઉન્ટ હેક

Ahmedabad Samay

બાળ રિમાન્ડ ગૃહમાંથી છૂટયા બાદ કિશોરી પર દુષકર્મ ગુજાર્યું

Ahmedabad Samay

ગુજરાત પરથી નિસર્ગ વાવાઝોડાનું સંકટ ટળ્યું, મહારાષ્ટ્રના અલીબાગમાં ટકરાશે નિસર્ગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો