ધૈર્યરાજને બચાવવા માટે અનેક લોકો મદદે આગળ આવ્યા છે. મહત્વના સમાચાર એ છે કે, માત્ર 38 દિવસમાં જ ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયાનું દાન આવી ગયું છે. હવે લાચાર માતાપિતા જલ્દી જ પોતાના બીમાર બાળકની સારવાર કરાવી શકશે.
ધૈર્યરાજને બચાવવા માટે ગુજરાતભરમાંથી મદદ આવી છે. નાની-મોટી મદદ થઈને ધૈર્યરાજ માટે 15.48 કરોડ રૂપિયા એકઠા થઈ ગયા. ધૈર્યરાજને સારવાર માટે જે ઈન્જેક્શનની જરૂર છે, તે 16 કરોડ રૂપિયાનું છે. માત્ર 38 દિવસમાં જ 15.48 કરોડ રૂપિયાનું દાન ધૈર્યરાજના પિતાના ખાતામાં આવી ગયું છે. દેશભરમાંથી લોકોએ મદદ માટે હાથ લંબાવ્યો હતો. જોકે, હવે ઈન્જેક્શન માટે માટે જરૂરી રૂપિયા આવી ગયા છે. તેથી સારવારના ઇન્જેક્શન માટે જરૂરી 16 કરોડની રકમ એકત્રિત થતાં જ અમેરિકાથી તેને મગાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવાશે.
