March 23, 2026
અપરાધદેશ

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

બીજાપુર બોર્ડર પર સ્થિત ટેકલગુડા ગામ નજીક નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ થયા છે.  સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જે ટેકલાગુડા ગામમાં જ્યાં આ અથડામણ થઈ હતી, ત્યાં જ શહીદ સૈનિકોની લાશ હજુ પડ્યા છે.

નક્સલવાદીઓ ગામમાં હાજર હતા અને એક મહુઆના ઝાડ પાસે 6 સૈનિકોની લાશ પડી હતી. તે જ સમયે 3 જવાનનાં મૃતદેહ પણ એક અંતરે પડેલા હતા અને નજીકના મકાન પાસે એક જવાનનો મૃતદેહ પડ્યો હતો. ગામ લોકોએ જણાવ્યું કે, આગળ અને જંગલમાં 10 જેટલા સૈનિકોની લાશ પડી છે. આપને જણાવી દઈએ કે સુરક્ષા દળો સાથે નક્સલવાદીઓની પહેલી અથડામણ ગામની નજીકની ટેકરીમાં થઈ હતી. ઇજાગ્રસ્ત સૈનિકોને લઈ જતી ટીમ પર બીજી વાર નક્સલીઓએ હુમલો કર્યો હતો જેના જવાબમાં સૈનિકોએ પણ ગોળીબાર કર્યો હતો.

આ હુમલાને લઈને અમિત શાહે અસમથી પરત ફરીને દિલ્હીમાં એક બેઠક કરી છે  . અમિત શાહે અહીં MHA અને CRPFના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સ્પેશ્યલ ડીજી સંજય ચંગર પણ હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મીટિંગમાં નક્સલવાદીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી લેવાની રણનીતિ બની શકે છે. સૂત્રોની માનીએ તો આ હુમલામાં તપાસની જવાબદારી NIAને સોંપવામાં આવી શકે છે.

Related posts

મુંબઇમાં એક એવી સોસાયટી બની રહી છે જે ફક્ત મુસ્લિમો માટે હશે,જાહેરાત ચર્ચામાં આવતા સરકાર ને કડક કાર્યવાહી કરવા અને તપાસના કરવા પત્ર લખવામાં આવ્યું

Ahmedabad Samay

નીતીશ કુમારનો મહાગઠબંધને બાય-બાય, નીતિશ કુમાર મહાગઠબંધન છોડીને એનડીએમાં પાછા ફરશે

Ahmedabad Samay

Republic Day 2023: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 74માં પ્રજાસત્તાક દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી

Ahmedabad Samay

અલવિદા હાસ્ય સમ્રાટ રાજુ શ્રીવાસ્તવ, સૌને હસાવનાર સૌને રડાવી ગયા

Ahmedabad Samay

કેન્‍દ્રીય નાણાંપ્રધાન નિર્મલા સીતારમણે દેશનું સામાન્‍ય બજેટ ૨૦૨૩ રજૂ કર્યું

Ahmedabad Samay

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ પર જાણીએ તેમના અત્યાર સુધીના ઐતિહાસિક નિર્ણયો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો