બીજાપુર બોર્ડર પર સ્થિત ટેકલગુડા ગામ નજીક નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ થયા છે. સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જે ટેકલાગુડા ગામમાં જ્યાં આ અથડામણ થઈ હતી, ત્યાં જ શહીદ સૈનિકોની લાશ હજુ પડ્યા છે.
નક્સલવાદીઓ ગામમાં હાજર હતા અને એક મહુઆના ઝાડ પાસે 6 સૈનિકોની લાશ પડી હતી. તે જ સમયે 3 જવાનનાં મૃતદેહ પણ એક અંતરે પડેલા હતા અને નજીકના મકાન પાસે એક જવાનનો મૃતદેહ પડ્યો હતો. ગામ લોકોએ જણાવ્યું કે, આગળ અને જંગલમાં 10 જેટલા સૈનિકોની લાશ પડી છે. આપને જણાવી દઈએ કે સુરક્ષા દળો સાથે નક્સલવાદીઓની પહેલી અથડામણ ગામની નજીકની ટેકરીમાં થઈ હતી. ઇજાગ્રસ્ત સૈનિકોને લઈ જતી ટીમ પર બીજી વાર નક્સલીઓએ હુમલો કર્યો હતો જેના જવાબમાં સૈનિકોએ પણ ગોળીબાર કર્યો હતો.
આ હુમલાને લઈને અમિત શાહે અસમથી પરત ફરીને દિલ્હીમાં એક બેઠક કરી છે . અમિત શાહે અહીં MHA અને CRPFના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સ્પેશ્યલ ડીજી સંજય ચંગર પણ હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મીટિંગમાં નક્સલવાદીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી લેવાની રણનીતિ બની શકે છે. સૂત્રોની માનીએ તો આ હુમલામાં તપાસની જવાબદારી NIAને સોંપવામાં આવી શકે છે.
