March 23, 2026
અપરાધદેશ

નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ ,હુમલાને લઈને અમિત શાહે ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી

બીજાપુર બોર્ડર પર સ્થિત ટેકલગુડા ગામ નજીક નક્સલિયો સાથેની અથડામણમાં 22 જવાનો શહિદ થયા છે.  સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે. જે ટેકલાગુડા ગામમાં જ્યાં આ અથડામણ થઈ હતી, ત્યાં જ શહીદ સૈનિકોની લાશ હજુ પડ્યા છે.

નક્સલવાદીઓ ગામમાં હાજર હતા અને એક મહુઆના ઝાડ પાસે 6 સૈનિકોની લાશ પડી હતી. તે જ સમયે 3 જવાનનાં મૃતદેહ પણ એક અંતરે પડેલા હતા અને નજીકના મકાન પાસે એક જવાનનો મૃતદેહ પડ્યો હતો. ગામ લોકોએ જણાવ્યું કે, આગળ અને જંગલમાં 10 જેટલા સૈનિકોની લાશ પડી છે. આપને જણાવી દઈએ કે સુરક્ષા દળો સાથે નક્સલવાદીઓની પહેલી અથડામણ ગામની નજીકની ટેકરીમાં થઈ હતી. ઇજાગ્રસ્ત સૈનિકોને લઈ જતી ટીમ પર બીજી વાર નક્સલીઓએ હુમલો કર્યો હતો જેના જવાબમાં સૈનિકોએ પણ ગોળીબાર કર્યો હતો.

આ હુમલાને લઈને અમિત શાહે અસમથી પરત ફરીને દિલ્હીમાં એક બેઠક કરી છે  . અમિત શાહે અહીં MHA અને CRPFના ટોચના અધિકારીઓ સાથે બેઠક કરી. કહેવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સ્પેશ્યલ ડીજી સંજય ચંગર પણ હાજર હતા. એવું કહેવામાં આવી રહ્યું છે કે, આ મીટિંગમાં નક્સલવાદીઓ વિરૂદ્ધ મોટી કાર્યવાહી લેવાની રણનીતિ બની શકે છે. સૂત્રોની માનીએ તો આ હુમલામાં તપાસની જવાબદારી NIAને સોંપવામાં આવી શકે છે.

Related posts

વીજળી પડવાથી ૯૦થી વધુ લોકોના મૃત્યુ, બિહાર માં આશરે ૮૩ અને ઉત્તર પ્રદેશમાં ૦૯ લોકોના મૃત્યુ

Ahmedabad Samay

ઓલમ્પિકમાં ટીમ ઈન્ડિયાએ ફાઇનલમાં સ્પેનને 2-1થી હરાવીને બ્રોન્ઝ મેડલ જીત્યો હતો

Ahmedabad Samay

અમદાવાદ: ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત સાથે 36 કલાકનો પ્રવાસ કરી માસ્ટર માઇન્ડ કિરણ પટેલને અમદાવાદ લવાયો, આજે કોર્ટમાં રજૂ કરાશે!

admin

રણદીપ હુંડા દેખાશે વેબ સિરીઝ ‘ઇન્સ્પેક્ટર અવિનાશ’માં

Ahmedabad Samay

નિકોલની પંચામૃત નર્સિંગ ઇન્સસ્ટિટ્યૂની દાદાગીરી,ફી ભરવા બાબતે વાલી પર દબાણ કરવામા આવ્યુ

Ahmedabad Samay

ક્રિકેટના મહાકૂંભ ગણાવતા વનડે વર્લ્‍ડ કપનું શિડ્‍યુઅલ જાહેર,અમદાવાદમાં રમાશે ભારત પાકિસ્તાન મેચ,

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો