August 8, 2026
દેશરાજકારણ

MSME ને ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર. ૦૮ ક્ષેત્રો માટે ૧૫ પેકેજ જાહેર

નાણાપ્રધાન નિર્મલા સિતારમણ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે MSME આશરે 12 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે. જેથી MSME માટે ત્રણ લાખ કરોડની લોન કોલેટરલ ફ્રી આપવામાં આવશે. જે આ ક્ષેત્ર માટે  કુલ લોનના 20% હશે. આ લોન ચાર વર્ષ માટે હશે. આના પર એક વર્ષનું મોરેટોરિયમ હશે, એટલે કે પહેલા વર્ષે મૂળ મુદ્દલ ચૂકવવું નહીં પડે. એનો લાભ ૪૫ લાખ નાની-મોટી કંપનીઓને મળશે. આના માટે કોઈ ગેરન્ટી આપવાની જરૂર નથી. ૨૫ કરોડ રૂપિયાની લોન એ MSMEને મળશે, જેનું ટર્નઓવર રૂ. ૧૦૦  કરોડ છે. સરકાર ફંડ્સ ઓફ ફંડ બનાવશે,

જેનો હેતુ રૂ. ૫૦,૦૦૦ કરોડની ઇક્વિટીની વ્યવસ્થા MSME માટે કરવાની છે. આ ફંડસ ઓફ ફંડનું કદ રૂ. ૧૦૦૦ કરોડ હશે. જે MSME, કુટિર ઉદ્યોગ આ સમયે સંકટનો સામનો કરી રહ્યા છે. તેમના માટે રૂ. ૨૦,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાં આશરે બે લાખ  MSME , કુટિર ઉદ્યોગને લાભ મળશે.

આમાં બધી NPA અથવા તણાવગ્રસ્ત લોનને પણ આ યોજનાનો લાભ મળશે. સરકાર CGTMSE માટે રૂ. ૪૦૦૦ કરોડ આપવામાં આવશે,  જે બેન્કોને આંશિક ગેરન્ટી આપશે. બેન્કો આનો લાભ MSMEsને આપશે. નાણાપ્રધાને કહ્યું હતું કે MSMEની વ્યાખ્યામાં બદલાવ થશે. પહેલાં MSMEનું કદ  વધે તો એને છૂટ નહોતી મળતી પણ હવે MSME માટે રોકાણની મર્યાદા વધારવામાં આવી છે. અને તેમનું ટર્નઓવર વધારવામાં આવ્યું છે.

હવે રૂ. એક કરોડથી ઓછા  રોકાણ કરવાવાળા અને રૂ. પાંચ કરોડના ટર્નઓવરવાળા યુનિટને માઇક્રો કહેવામાં આવશે. MSME માટે પાંચમું પગલું એ છે કે સરકારી ખરીદી માટે રૂ. ૨૦૦ કરોડ માટે ગ્લોબલ ટેન્ડર નહીં હોય

જુદા-જુદા ૮ ક્ષેત્રો માટે ૧૫ જેટલા આર્થિક પેકેજ જાહેર કર્યા છે

લઘુ-મધ્યમ ઉદ્યોગ માટે ૬ પેકેજ

એમ્પ્લોઇ પ્રોવિડન્ડ ફંડ માટે સહાયના બે પેકેજ

નોન બેન્કીંગ ફાયનાન્સ કંપની માટે બે પેકેજ

મ્યુચ્યુઅલ ફંડ માટે બે પેકેજ

વિજ કંપની માટે એક પેકેજ

રિયલ એસ્ટેટ માટે એક પેકેજ

કરવેરા સંબંધી ૩ પેકેજ

કોન્ટ્રાકટરો માટે પણ એક પેકેજ જાહેર

Related posts

બિહારના સીએમ- જેડી(યુ)ના વડા નીતિશ કુમારે કહ્યું, “બિહારના તમામ પેન્ડિંગ કામો કરવામાં આવશે

Ahmedabad Samay

રેમડેસીવીર પાછળના ભાગો ડેકસામેથાસોન પણ એજ કામ કરે છે, સસ્તી અને સરળતાથી દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ

Ahmedabad Samay

લોકડાઉન ૫.૦ માટે તૈયારી, સૂત્રો અનુસાર ૧૫ જૂન શુધી લોકડાઉન લંબાવાય તેવી આશંકા

Ahmedabad Samay

સ્ટાર પ્લસના શો ‘યે રિશ્તા ક્યા કહલાતા’ હૈ કિ એક્ટ્રેસ દિવ્યા ભટનાગરનું કોરોના થી મોત

Ahmedabad Samay

કોર્પોરેશન ની ઓફિસે NCP પ્રમુખ નિકુલસિંહ તોમર તથા હોદ્દેદારો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો

Ahmedabad Samay

જંતર-મંતરથી કૉકરોચ જનતા પાર્ટીનાં નેજા હેઠળ યોજાયેલ સંસદ માર્ચ દરમિયાન પ્રદર્શનકારીઓએ ભારે હંગામો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો