June 24, 2026
દેશરાજકારણ

MSME ને ત્રણ લાખ કરોડનું પેકેજ જાહેર. ૦૮ ક્ષેત્રો માટે ૧૫ પેકેજ જાહેર

નાણાપ્રધાન નિર્મલા સિતારમણ પત્રકાર પરિષદમાં જણાવ્યુ હતું કે MSME આશરે 12 કરોડથી વધુ લોકોને રોજગાર આપે છે. જેથી MSME માટે ત્રણ લાખ કરોડની લોન કોલેટરલ ફ્રી આપવામાં આવશે. જે આ ક્ષેત્ર માટે  કુલ લોનના 20% હશે. આ લોન ચાર વર્ષ માટે હશે. આના પર એક વર્ષનું મોરેટોરિયમ હશે, એટલે કે પહેલા વર્ષે મૂળ મુદ્દલ ચૂકવવું નહીં પડે. એનો લાભ ૪૫ લાખ નાની-મોટી કંપનીઓને મળશે. આના માટે કોઈ ગેરન્ટી આપવાની જરૂર નથી. ૨૫ કરોડ રૂપિયાની લોન એ MSMEને મળશે, જેનું ટર્નઓવર રૂ. ૧૦૦  કરોડ છે. સરકાર ફંડ્સ ઓફ ફંડ બનાવશે,

જેનો હેતુ રૂ. ૫૦,૦૦૦ કરોડની ઇક્વિટીની વ્યવસ્થા MSME માટે કરવાની છે. આ ફંડસ ઓફ ફંડનું કદ રૂ. ૧૦૦૦ કરોડ હશે. જે MSME, કુટિર ઉદ્યોગ આ સમયે સંકટનો સામનો કરી રહ્યા છે. તેમના માટે રૂ. ૨૦,૦૦૦ કરોડની ફાળવણી કરવામાં આવી છે. આમાં આશરે બે લાખ  MSME , કુટિર ઉદ્યોગને લાભ મળશે.

આમાં બધી NPA અથવા તણાવગ્રસ્ત લોનને પણ આ યોજનાનો લાભ મળશે. સરકાર CGTMSE માટે રૂ. ૪૦૦૦ કરોડ આપવામાં આવશે,  જે બેન્કોને આંશિક ગેરન્ટી આપશે. બેન્કો આનો લાભ MSMEsને આપશે. નાણાપ્રધાને કહ્યું હતું કે MSMEની વ્યાખ્યામાં બદલાવ થશે. પહેલાં MSMEનું કદ  વધે તો એને છૂટ નહોતી મળતી પણ હવે MSME માટે રોકાણની મર્યાદા વધારવામાં આવી છે. અને તેમનું ટર્નઓવર વધારવામાં આવ્યું છે.

હવે રૂ. એક કરોડથી ઓછા  રોકાણ કરવાવાળા અને રૂ. પાંચ કરોડના ટર્નઓવરવાળા યુનિટને માઇક્રો કહેવામાં આવશે. MSME માટે પાંચમું પગલું એ છે કે સરકારી ખરીદી માટે રૂ. ૨૦૦ કરોડ માટે ગ્લોબલ ટેન્ડર નહીં હોય

જુદા-જુદા ૮ ક્ષેત્રો માટે ૧૫ જેટલા આર્થિક પેકેજ જાહેર કર્યા છે

લઘુ-મધ્યમ ઉદ્યોગ માટે ૬ પેકેજ

એમ્પ્લોઇ પ્રોવિડન્ડ ફંડ માટે સહાયના બે પેકેજ

નોન બેન્કીંગ ફાયનાન્સ કંપની માટે બે પેકેજ

મ્યુચ્યુઅલ ફંડ માટે બે પેકેજ

વિજ કંપની માટે એક પેકેજ

રિયલ એસ્ટેટ માટે એક પેકેજ

કરવેરા સંબંધી ૩ પેકેજ

કોન્ટ્રાકટરો માટે પણ એક પેકેજ જાહેર

Related posts

ઠક્કરનગર વિસ્તારના શ્રી અજયસિંહ ભદોરીયા દ્વારા ૪.૪૪૦૦૦ રૂ.ના ખર્ચે પાણી ની પાઇપલાઇન નું કાર્ય હાથ ધરાયુ

Ahmedabad Samay

પદ્મ પુરસ્કાર વિજેતાઓને સરકાર આપશે 10,000 રૂપિયા પેન્શન, મનોહર લાલ ખટ્ટરે કરી જાહેરાત

Ahmedabad Samay

કલમ ૩૭૦ હવે ઈતિહાસ બની,૪ વર્ષ,૪ મહિના, ૬ દિવસ બાદ મોદી સરકારના નિર્ણય પર સુપ્રીમ કોર્ટે મહોર મારી

Ahmedabad Samay

RSSના સરસંઘચાલક મોહન ભાગવતજીએ ભારતીય ભાષાઓ અને માતૃભાષાના ઘટતા જતા ઉપયોગ અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી

Ahmedabad Samay

રમત-ગમતના મહાકુંભ ઓલિમ્પિકસમાં ભારતના ૧૧૭ ખેલાડીઓએ ૧૬ રમતોમાં ભાગ લીધો અને ૦૬ મેડલ મેળવ્યા

Ahmedabad Samay

સોનુ નિગમના અવાજમાં ગાયેલું ગીત ‘હમારા રામ આયે હૈં’ આજે થશે રિલીઝ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો