June 22, 2026
ગુજરાતદેશ

રેમડેસીવીર પાછળના ભાગો ડેકસામેથાસોન પણ એજ કામ કરે છે, સસ્તી અને સરળતાથી દરેક મેડિકલ સ્ટોરમાં ઉપલબ્ધ

હાલમાં જ બ્રિટનના નિષ્ણાંતોએ દાવો કર્યો છે કે દુનિયાભર અત્યંત સસ્તી અને સરળતાથી મળતી દવા દર્દીનો જીવ બચાવવામાં મદદ કરી શકે છે.
રિસર્ચરોનું અનુમાન છે કે જો આ દવાનો ઉપયોગ બ્રિટનમાં સંક્રમણના શરૂઆતના તબકકામાં કરાયો હોત તો લગભગ પાંચ હજાર લોકોના જીવ બચાવી શકાત. ઓકસફર્ડ યુનિવર્સિટીની એક ટીમે હોસ્પીટલોમાં દાખલ ર૦૦૦ દર્દીઓને આ દવા આપી અને તુલનાત્મક અભ્યાસ એવા ૪૦૦૦ દર્દીઓ પર કર્યો જેમને દવા નહોતી અપાઇ. આ દવા અપાયા પછી જે દર્દીઓ વેન્ટીલેટર પર હતા તેમના પરથી મરવાનું જોખમ ર૮ થી ૪૦ ટકા ઓછું થયું હતું અને જેમને ઓકસીજનની જરૂર હતી તેમના પર આ જોખમ ર૦ થી રપ ટકા ઓછું થયું હતું.

રિસર્ચરો અનુસાર કોરોના સંક્રમણ શરીરમાં સોજા વધારવાની કોશીષ કરે છે. જયારે ડેકસા મેથાસેન આ પ્રક્રિયાને ધીમી કરવામાં કારગત જોવા મળ્યું છે. આ દવા સસ્તી પણ છે એટલે ગરીબ દેશો માટે ફાયદાકારક સાબીત થઇ શકે છે.

ગુજરાત યુનિવર્સિટી ઓફ ટ્રાન્સ્પલાન્ટેશન સાયન્સ્ના ડીન ડોકટર પંકજ શાહનું કહેવું છે કે રેમડેસીવીરની અછતમાં  જો ડોકટર સલાહ આપે તો ગંભીર દર્દીઓને ડેકસામેથાસોનનું ઇન્જેકશન કે ગોળીઓ આપી શકાય છે. તે શ્વાસની તકલીફમાં ફાયદો કરી શકે છે. કયારેક બહુ ગંભીર દર્દીને રેમડેસીવીર અને ડેકસામેથાસોન બન્ને પણ અપાય છે.

Related posts

અમરેલી જિલ્લામાં ઘરફોડ ચોરીના 25 ગુન્હાઓમાં સંડોવાયેલ તેમજ 8 ગુન્હાઓમાં મોસ્ટ વોન્ટેડ 10 હજાર રૂપિયાના ઈનામી આરોપીને અમરેલી એલસીબી ટીમ દ્વારા ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Ahmedabad Samay

અમદાવાદમાં પાર્સલના બહાને ફિલિપિન્સના વિદ્યાર્થીને લૂંટનારા 4 આરોપીને પોલીસે ઝડપી પાડ્યા

Ahmedabad Samay

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવકના હાથમાં

Ahmedabad Samay

તાંડવ વેબ સિરીઝ ઉપર યોગી સરકાર ભડકી,ગંભીર કલમો હેઠળ કેસ કરાશે

Ahmedabad Samay

કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહના હસ્તે ત્રણ ઓવરબ્રિજ નું ઉદ્ઘાટન કરાયું

Ahmedabad Samay

રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં સતત ત્રીજા દિવસે મેઘમેહેર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો