August 8, 2026
ગુજરાત

એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ ગભરાઈ ગયા

કોરોનાનું સંક્રમણ વધતાં સરકારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ક્લેરિકલ સહિતની કામગીરી માટે તલાટી સહિતના કર્મચારીઓને ફરજ સોંપવાનો આદેશ કર્યો હતો. જેના પગલે ગુરુવારે કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા. જો કે, તે પૈકી ડેડબોડીના નિકાલ માટેની વ્યવસ્થા માટે ત્રણ તલાટીઓની નિમણૂક કરાઈ હતી. એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ રીતસરના ગભરાઈ ગયા હતા અને હૃદયદ્વારક દ્રશ્યો જોઈને એટલા બધા હેબતાઈ ગયા કે, બીજા દિવસે ફરજ પર હાજર જ થયા ન હતા.

આ અંગે સત્તાવાળાઓએ તપાસ કરી ત્યારે તેમને જાણ થઈ કે, દર્દીના સગાને ડેડ બોડી સોંપવા માટેની કામગીરી કરનારા ત્રણ તલાટી મૃતદેહોને જોઈને ગભરાઈ ગયા હતા અને ત્રણ તલાટી પલાયન થઈ ગયા.

Related posts

ભારતથી આવતી ફ્લાઇટ પર કેનેડામાં વધુ એક મહિનો પાબંદી

Ahmedabad Samay

નારોલમાં ગેરકાયદેસર દબાણના કારણે સર્જાય છે અકસ્માત

Ahmedabad Samay

અમદાવાદ – શારદાબેન હોસ્પિટલમાં ભોજનમાં ગરોળી નિકળવા મામલે એએમસી દ્વારા તપાસ તેજ

Ahmedabad Samay

આગામી 28 મે વચ્ચે ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, CM ભુપેન્દ્ર પટેલે તંત્રને સતર્ક રહેવા જણાવ્યું

Ahmedabad Samay

વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સ પ્રોગ્રામ કરાયો

Ahmedabad Samay

અમદાવાદ સમય : આજના મુખ્ય સમાચાર

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો