
કોરોનાનું સંક્રમણ વધતાં સરકારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ક્લેરિકલ સહિતની કામગીરી માટે તલાટી સહિતના કર્મચારીઓને ફરજ સોંપવાનો આદેશ કર્યો હતો. જેના પગલે ગુરુવારે કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા. જો કે, તે પૈકી ડેડબોડીના નિકાલ માટેની વ્યવસ્થા માટે ત્રણ તલાટીઓની નિમણૂક કરાઈ હતી. એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ રીતસરના ગભરાઈ ગયા હતા અને હૃદયદ્વારક દ્રશ્યો જોઈને એટલા બધા હેબતાઈ ગયા કે, બીજા દિવસે ફરજ પર હાજર જ થયા ન હતા.
આ અંગે સત્તાવાળાઓએ તપાસ કરી ત્યારે તેમને જાણ થઈ કે, દર્દીના સગાને ડેડ બોડી સોંપવા માટેની કામગીરી કરનારા ત્રણ તલાટી મૃતદેહોને જોઈને ગભરાઈ ગયા હતા અને ત્રણ તલાટી પલાયન થઈ ગયા.
