May 10, 2026
ગુજરાત

એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ ગભરાઈ ગયા

કોરોનાનું સંક્રમણ વધતાં સરકારે સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી ૧૨૦૦ બેડની કોવિડ હોસ્પિટલમાં ક્લેરિકલ સહિતની કામગીરી માટે તલાટી સહિતના કર્મચારીઓને ફરજ સોંપવાનો આદેશ કર્યો હતો. જેના પગલે ગુરુવારે કર્મચારીઓ ફરજ પર હાજર થયા હતા. જો કે, તે પૈકી ડેડબોડીના નિકાલ માટેની વ્યવસ્થા માટે ત્રણ તલાટીઓની નિમણૂક કરાઈ હતી. એક જ દિવસમાં સિવિલ હોસ્પિટલની સ્થિતિ જોઈ તલાટીઓ રીતસરના ગભરાઈ ગયા હતા અને હૃદયદ્વારક દ્રશ્યો જોઈને એટલા બધા હેબતાઈ ગયા કે, બીજા દિવસે ફરજ પર હાજર જ થયા ન હતા.

આ અંગે સત્તાવાળાઓએ તપાસ કરી ત્યારે તેમને જાણ થઈ કે, દર્દીના સગાને ડેડ બોડી સોંપવા માટેની કામગીરી કરનારા ત્રણ તલાટી મૃતદેહોને જોઈને ગભરાઈ ગયા હતા અને ત્રણ તલાટી પલાયન થઈ ગયા.

Related posts

મહામારીમાં ભાવનગરના યુવરાજ આવ્યા પ્રજાની મદદે.

Ahmedabad Samay

કઠવાડા ખાતે આવેલ ગેલેક્સી સ્પેશિયા ફ્લેટ ખાતે નિઃશુલ્ક આયુર્વેદિક કાસ્ય મસાજનું આયોજન

Ahmedabad Samay

શ્રી છત્રપતિ શિવાજી રાજે ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી છત્રપતિ શિવાજી મહારાજની જન્મ જ્યંતી ઉજવાયી

Ahmedabad Samay

યુદ્ધ વચ્‍ચે lpg ગેસના જથ્‍થા સાથે ગઈકાલે એક જહાજ કચ્‍છના મુન્‍દ્રા પોર્ટ પર પહોંચ્‍યું

Ahmedabad Samay

અમદાવાદને હવે નવા ૧૦૦૦ કોવિડ બેડ ઉપલબ્ધ થશે.

Ahmedabad Samay

શિવરાજપુર બીચ ખાતે સી.એમ. રૂપાણીએ મુલાકાત લીધી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો