
હાલ સમગ્ર રાજ્યમાં કોરોના નો કેહર વરસી રહ્યો છે સમગ્ર રાજ્યની હોસ્પિટલમાં સારવાર માટે બેડની અછત પડી રહી છે ઓક્સિજન, વેન્ટિલેટર ની અછત પડી રહી છે.

રાજ્યની આવી કનફોડી હાલત જોતા કરણી સેના ગુજરાત રાજ્ય અધ્યક્ષ શ્રી રાજ શેખાવતએ મુખ્યમંત્રી શ્રી એ પત્ર લખી ને જણાવ્યું છે કે આવી પરિસ્થિતિમાં તેમની માલિકીની નરોડા સ્થિત શેખાવત પેલેસ હોટેલને ગુજરાતની જનતા માટે કોવિડના દર્દીઓ માટે નિઃશુલ્ક આપવા માંગે છે અને હાલની આ પરિસ્થિતિમાં ગુુુજરાતની જનતાને મદદરૂપ થવા માંગે છે.
