March 23, 2026
દુનિયા

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે થયો યુદ્ધ વિરામ

ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જિામન નેતન્યાહુની સુરક્ષા કેબિનેટે ગાઝા પટ્ટીમાં ૧૧ દિવસ લાંબી સૈન્ય કાર્યવાહી અટકાવવા એકપક્ષીય યુદ્ઘવિરામને મંજૂરી આપી છે. ઇઝરાઇલી મીડિયાએ ગુરુવારે મોડી રાત્રે આ માહિતી આપી હતી.મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે યુએસ દ્વારા હુમલા રોકવાના દબાણ બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. અનેક અહેવાલોમાં કહેવામાં આવ્યું છે કે ચુકાદાના ત્રણ કલાક બાદ રાત્રે બે વાગ્યાથી યુદ્ઘવિરામ અમલમાં આવશે.

નેતન્યાહુ કાર્યાલયે આ અહેવાલોની તુરંત પુષ્ટિ કરી નથી અને હમાસે પણ આ અંગે તાત્કાલિક કોઈ પ્રતિક્રિયા આપી નથી.તે જ સમયે, રોઇટર્સ અનુસાર, હમાસ અધિકારીઓએ જણાવ્યું હતું કે શુક્રવારે સવારે ૨ વાગ્યાથી ઇઝરાઇલ સાથે યુદ્ઘવિરામ લાગુ કરવામાં આવશે. ઇઝરાઇલી કેબિનેટે યુદ્ઘવિરામની પુષ્ટિ કરી છે પરંતુ તેના અમલીકરણ માટે સમય આપ્યો નથી.

યુરોપએ યુદ્ઘ વિરામ માટે ઇઝરાઇલ પર દબાણ વધાર્યું છે, જયારે યુએસ રાષ્ટ્રપતિ જો બાયડેન ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જિામન નેતન્યાહુની આગામી ૨૪ કલાકમાં મુકાબલો અટકાવવા માટે ત્રણ દિવસમાં બીજી વખત અપેક્ષા રાખે છે. પરંતુ નેતન્યાહુ આ માટે તૈયાર દેખાયા નહીં અને ગુરુવારે પણ ગાઝા પર હુમલાઓ ચાલુ રહ્યા.

આ સમયગાળા દરમિયાન, ગાઝાના મધ્ય શહેર દીર અલ-બાલા, દક્ષિણ શહેર ખાન યુનિસ અને ગાઝાનો વ્યાપારી માર્ગ અલ-સતાવી સ્ટ્રીટ પર ઘણા હવાઈ હુમલા થયા હતા. ઇઝરાઇલી સેનાએ હમાસના આતંકી કમાન્ડરોના ચાર મકાનોને નિશાન બનાવ્યા હતા. આ હુમલામાં અલ-ખોજંદરમાં સૂતા ૧૧ લોકો દ્યાયલ થયા હતા. નેતન્યાહુએ બિડેનના સમર્થનની પ્રશંસા કરી, અને ઇઝરાઇલને સુરક્ષા પૂરી પાડવા આગળ વધવાનું કહ્યું.

બીજી તરફ, તેમના પોતાના પક્ષના ડાબેરીઓ અને મુસ્લિમ સ્થળાંતરીઓ અને યુરોપમાં આતંકવાદના ડરને કારણે ગાઝામાં યુદ્ઘવિરામને લઈને રાષ્ટ્રપતિ બિડેન પર રાજકીય દબાણ વધ્યું હતું. એવી પણ આશંકા હતી કે મધ્ય પૂર્વના દેશોએ યુદ્ઘમાં કૂદી ન પડે.

Related posts

બાંગ્લાદેશમાં યુનુસ સરકારે આતંકવાદીઓને હિન્દુ વિરોધીઓને છૂટો દોર આપી દીધો

Ahmedabad Samay

ઈઝરાયેલે ગાઝાને બે ભાગમાં વહેંચી દીધું

Ahmedabad Samay

“ફોર યોર નોલેજ” ઈતિહાસની એવી સત્યતા જેના થી આપ વાકેફ નથી

Ahmedabad Samay

થાઇલેન્ડ જવા માટે IRCTCએ જાહેર કર્યું પેકેજ,ભાવ સાંભળીને આજેજ કરાવશો ટીકીટ બુક

Ahmedabad Samay

બ્રિટનની સ્કૂલમાં હિન્દૂ ધર્મનું ખોટું અર્થઘટન કરતો પાઠ : હિન્દૂ સંગઠનના વિરોધ બાદ સંચાલકોએ માફી માંગી : બુકમાંથી ચેપટર દૂર કરાયું

Ahmedabad Samay

ઇંગ્લેન્ડ મૃત વ્યક્તિ થયો જીવંત, હો

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો