March 25, 2026
દુનિયા

કુરાન સળગાવવાની આગ સ્વીડનથી ઇરાકમાં સ્વીડિશ દૂતાવાસ પહોંચી, પ્રદર્શનકારીઓએ કર્યો હુમલો

સ્વીડનમાં કુરાનની નકલને સળગાવવાની આગ હવે ઇરાકના સ્વીડિશ હાઉસ સુધી પહોંચી ગઈ છે. ગુસ્સે થયેલા પ્રદર્શનકારીઓએ ગુરુવારે વહેલી સવારે બગદાદમાં સ્વીડિશ દૂતાવાસ પર હુમલો કરી દીધો અને કમ્પાઉન્ડમાં ઘૂસીને આગ લગાવી. પ્રદર્શનના ઓનલાઈન વીડિયોમાં દૂતાવાસમાં પ્રદર્શનકારીઓ ધ્વજ લહેરાતા અને પ્રભાવશાળી ઈરાકી શિયા મૌલવી અને રાજકારણી મુકતદા અલ-સદ્રની તસવીરોવાળા ઝંડા અને નિશાન લહેરાવતા દેખાઈ રહ્યા છે. તે સમયે પરિસરની અંદર કોઈ કર્મચારી હતા કે કેમ તે સ્પષ્ટ નથી.

વીડિયોમાં ડઝનેક લોકો કમ્પાઉન્ડની વાડ પર ચડતા જોવા મળી રહ્યા છે અને તેમનો અવાજ સંભળાઈ રહ્યો છે અને તેઓ આગળનો દરવાજો તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે. અન્ય એક વીડિયોમાં પ્રદર્શનકારીઓ થોડી આગ લગાવતા જોવા મળે છે. બાદમાં અન્ય લોકોએ એમ્બેસીની બહાર સવારની નમાજ પણ કરી. ઇરાકના વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને હુમલાની નિંદા કરી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે, “ઇરાક સરકારે સક્ષમ સુરક્ષા અધિકારીઓને તાત્કાલિક તપાસ કરવા અને ઘટનાના સંજોગોને ઉજાગર કરવા અને આ કૃત્યના ગુનેગારોને ઓળખવા અને કાયદા અનુસાર જવાબદાર ઠેરવવા માટે જરૂરી સુરક્ષા પગલાં લેવા સૂચના આપી છે.”

સ્વીડનમાં બનાવવામાં આવી હતી કુરાન સળગાવવાની યોજના

કુરાન સળગાવવાની વાત કર્યા બાદ જ પ્રદર્શનકારીઓએ સ્વીડનના દૂતાવાસ પર હુમલો કરી દીધો. જો કે, ઇરાકી પોલીસ અને રાજ્ય મીડિયાએ તરત જ હુમલાને સ્વીકાર્યો ન હતો. જણાવી દઈએ કે સ્વીડનની રાજધાની સ્ટોકહોમમાં એક વ્યક્તિએ પોલીસ સુરક્ષામાં ઇઝરાયલી દૂતાવાસની બહાર કુરાન અને યહૂદીઓના પવિત્ર પુસ્તક તોરાહની નકલ સળગાવવાની યોજના બનાવી હતી. જો કે, આ વ્યક્તિએ વ્યાપક આક્રોશ વચ્ચે તેની યોજના છોડી દીધી હોવાનું કહેવાય છે. આ ઘટના બાદ ઇરાકમાં રોષ ફાટી નીકળ્યો હતો. પરંતુ આ વ્યક્તિએ આ યોજના કેમ બનાવી તે અંગે પોલીસે કોઈ માહિતી આપી નથી. જ્યારે એવું કહેવામાં આવી રહ્યું છે કે તે વ્યક્તિ કુરાનમાં લખેલી ઘણી વસ્તુઓથી નારાજ હતો.

Related posts

ઇઝરાઇલ અને હમાસ વચ્ચે થયો યુદ્ધ વિરામ

Ahmedabad Samay

કેનેડા બાદ અમેરિકા ભારત માટે પ્રતિબંધ મુકશે

Ahmedabad Samay

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ પર હુમલો કોઈની શાજીસ કે પછી ટ્રમ્પ જાતેજ હુમલો કરાવ્યો ?

Ahmedabad Samay

થાઇલેન્ડ જવા માટે IRCTCએ જાહેર કર્યું પેકેજ,ભાવ સાંભળીને આજેજ કરાવશો ટીકીટ બુક

Ahmedabad Samay

ભારતે કેનેડાના લોકોને વિઝા આપવાનું સાવ અટકાવી દીધું છે તેના કારણે આગામી દિવસોમાં લગ્ન પ્રસંગ માટે વિદેશથી આવવા માંગતા મહેમાનો અટવાયા

Ahmedabad Samay

તાલિબાને કબજો મેળવ્‍યા પછી કાબુલમાં મૃત્‍યુદંડની ૧૧મી સજા, પરિવારના ૧૩ સભ્‍યોની હત્‍યા કરનારાની ૧૩ વર્ષના બાળકે જાહેરમાં આપી સજા

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો