March 23, 2026
ગુજરાત

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

અમદાવાદમાં દર વર્ષે યોજાતી વિશ્વ વિખ્યાત રથયાત્રા અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળને લીધે રથયાત્રા યોજવી કે નહિ તે બાબતે આજે એક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રથયાત્રાની જળયાત્રા યોજવામાં આવશે. જેમાં ૫૦થી ઓછા લોકો હાજર રહેશે. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જે યોજવામાં આવશે.

આજે મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જળયાત્રા કાઢવા અંગે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે આ વખતની જળયાત્રામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં માત્ર ૫૦ લોકો જ હાજર રહી શકશે. એટલુ જ નહિ ૧૦૮ કળશની જગ્યાએ માત્ર ૫ કળશ સાથે રાખવામાં આવશે. એટલુ જ નહિ કોઈપણ ભજન મંડળી પણ જળયાત્રામાં સામેલ નહિ થાય. મોટાભાગે ગજરાજ પણ સામેલ નહિ થાય પરંતુ જો સામેલ થશે તો એકાદ ગજરાજ રાખવામાં આવશે.

આ અંગે વધુમાં મળતી વિગત અનુસાર આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહેશે.

અત્રે નોંધનીય છે કે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાના શ્રીગણેશ જળયાત્રાથી થાય છે ત્યારે આ જળયાત્રા યોજાશે કે નહિ ? તે બાબતે લોકોને શંકા-કુશંકા હતી તે દૂર થઈ છે. જો કે દર વર્ષે ૧૦૮ કળશ સાથે વાજતેગાજતે રથયાત્રા નિકળતી હોય છે પરંતુ આ વખતે માત્ર ૫ કળશ સાથે મંદિરના સેવકો તથા ગાદીપતિ અને ટ્રસ્ટીઓ જોડાશે. કોરોના સંક્રમણ ન ફેલાય તેની પુરેપુરી તકેદારી રાખવામાં આવશે.

હવે સાદગીથી જળયાત્રા યોજવામાં આવશે. ૨૪ જૂનના રોજ આ જળયાત્રા યોજાશે અને માત્ર ૫૦થી પણ ઓછા લોકો હાજર રહેશે.

Related posts

મેઘાણીનગર પોલીસ સ્ટેશનની કમાન મેઘાણીનગરના જ યુવકના હાથમાં

Ahmedabad Samay

કોરોનાના વધતા કહેરને રોકવા વેપારીઓ દ્વારા વારાફરતી બજારો બંધ રાખવાની વિચારણાં

Ahmedabad Samay

“આપકા સમાજ આપકે ઘર” કાર્યક્રમ અંતર્ગત રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી શ્યામ સિંહ ઠાકુરજીએ સમાજના પરિવારની મુલાકાત કરીએ

Ahmedabad Samay

વર્લ્ડ મેન્ટલ હેલ્થ દિવસ નિમિત્તે જીસીએસ હોસ્પિટલમાં માનસિક સ્વાસ્થ્ય વિશે જાગૃતિ માટે સેમિનાર યોજાયો

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન-ગુજરાત સંસ્થા દ્વારા ઈસકોન ચાર રસ્તા ખાતે ‘ઇન્ટરનેશનલ મેન્સ ડે’ ની ઉજવણી કરવામાં આવી

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા સોમનાથ સ્વાભિમાન પર્વ નિમિત્તે નીકળશે ભવ્ય શિવ બારાત અને યોજાશે રુદ્ર મહાયજ્ઞ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો