May 8, 2026
ગુજરાત

આ વર્ષે સાદગીથી યોજાશે રથયાત્રા, ૫૦ થી ઓછા લોકો રહેશે હાજર

અમદાવાદમાં દર વર્ષે યોજાતી વિશ્વ વિખ્યાત રથયાત્રા અંગે એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. કોરોનાકાળને લીધે રથયાત્રા યોજવી કે નહિ તે બાબતે આજે એક મીટીંગ યોજવામાં આવી હતી. જેમાં એવો નિર્ણય લેવામાં આવ્યો હતો કે રથયાત્રાની જળયાત્રા યોજવામાં આવશે. જેમાં ૫૦થી ઓછા લોકો હાજર રહેશે. કોવિડ પ્રોટોકોલ પ્રમાણે જે યોજવામાં આવશે.

આજે મંદિરના ટ્રસ્ટી અને પોલીસ વચ્ચે એક બેઠક યોજવામાં આવી હતી. જેમાં જળયાત્રા કાઢવા અંગે એકશન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે આ વખતની જળયાત્રામાં કેટલાક ફેરફાર કરવામાં આવ્યા છે. જેમાં માત્ર ૫૦ લોકો જ હાજર રહી શકશે. એટલુ જ નહિ ૧૦૮ કળશની જગ્યાએ માત્ર ૫ કળશ સાથે રાખવામાં આવશે. એટલુ જ નહિ કોઈપણ ભજન મંડળી પણ જળયાત્રામાં સામેલ નહિ થાય. મોટાભાગે ગજરાજ પણ સામેલ નહિ થાય પરંતુ જો સામેલ થશે તો એકાદ ગજરાજ રાખવામાં આવશે.

આ અંગે વધુમાં મળતી વિગત અનુસાર આ જળયાત્રામાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ અને ગૃહરાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા પણ હાજર રહેશે.

અત્રે નોંધનીય છે કે ભગવાન જગન્નાથજીની ૧૪૪મી રથયાત્રાના શ્રીગણેશ જળયાત્રાથી થાય છે ત્યારે આ જળયાત્રા યોજાશે કે નહિ ? તે બાબતે લોકોને શંકા-કુશંકા હતી તે દૂર થઈ છે. જો કે દર વર્ષે ૧૦૮ કળશ સાથે વાજતેગાજતે રથયાત્રા નિકળતી હોય છે પરંતુ આ વખતે માત્ર ૫ કળશ સાથે મંદિરના સેવકો તથા ગાદીપતિ અને ટ્રસ્ટીઓ જોડાશે. કોરોના સંક્રમણ ન ફેલાય તેની પુરેપુરી તકેદારી રાખવામાં આવશે.

હવે સાદગીથી જળયાત્રા યોજવામાં આવશે. ૨૪ જૂનના રોજ આ જળયાત્રા યોજાશે અને માત્ર ૫૦થી પણ ઓછા લોકો હાજર રહેશે.

Related posts

સ્વઘા સોસીયલ ફાઉન્ડેશન ચાંદખેડા દ્વારા શ્રમજીવી અને જરૂરિયાતમંદ બાળકો માટે મફત કોમ્પ્યુટર શિક્ષણ આપવામાં આવ્યું

Ahmedabad Samay

ક્રાંતિકારી સંત મુનિરાજ શ્રી નિલેશ વિજયજી મહારાજને રાષ્ટ્રીય સંતની પદવી મળવા બદલ જૈન અજૈન તમામ ધર્મપ્રેમીઓએ અભિનંદન પાઠવ્યા

Ahmedabad Samay

અમદાવાદ-મુંબઈ તેજસ એક્સપ્રેસને 31મે 2021 સુધી રદ કરાઈ છે 

Ahmedabad Samay

રાજીવ સાવતનું કોરોનાના કારણે નિધન

Ahmedabad Samay

વિકલાંગોને સરકારી નોકરીમાં મળતા આરક્ષણને બંધ કરાતા રાષ્ટ્રીય વિકલાંગ પાર્ટી દ્વારા કલેક્ટર શ્રીને આવેદનપત્ર અપાયું

Ahmedabad Samay

ઉત્તર ભારતીય વિકાસ પરિષદ દ્વારા ચાંદખેડા, અમદાવાદ ખાતે મફત આંખની તપાસ શિબિરનું આયોજન કરવામાં આવ્યું

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો