March 16, 2026
ગુજરાત

આજ રોજ જી.સી.એસ. ખાતે “એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન કરાયું

“એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન કરાયું”

કોરોના રોગચાળાના આ સમયગાળા દરમિયાન , એનેસ્થેસિયોલોજિસ્ટોએ કોરોનાની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રખ્યાત એનેસ્થેસિયોલોજિસ્ટ્સના તબીબી અનુભવોને તબીબી વિદ્યાર્થીઓને ઉપયોગી શિક્ષણમાં ફેરવતા, ડો.હિના છાનવાલ (પ્રોફેસર અને હેડ – એનાસ્થેસિઓલોજી, જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ), ડો.અમિત કોહલી (મૌલાના આઝાદ મેડિકલ કોલેજ અને લોકનાયક હોસ્પિટલ, નવી દિલ્હી) અને ડો.અભિજિત કુમાર (વીએમએમસી, સફદરજંગ હોસ્પિટલ, નવી દિલ્હી) દ્વારા રચિત અને સંપાદિત “એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તક બધા એનેસ્થેસિયોલોજિસ્ટના રેસિડેન્ટ ડોક્ટરોને COVID-19 ના સંપૂર્ણ પાસાઓને સંક્ષિપ્ત કરે તે હેતુથી રચવામાં આવ્યું છે .

આ પુસ્તકમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 51 પ્રતિષ્ઠિત લેખકોના COVID-19 ના વિવિધ પાસાઓની સમજણના જ્ઞાનના સારરૂપે 24 પ્રકરણ અને 300 પાનામાં આવરેલ છે, જે બધા રેસિડેન્ટ ડોક્ટરને કોરોનની સમજ માટે ઉપયોગી છે.આ પુસ્તક ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. આ પુસ્તક 18 જૂન 2021 ના ​​રોજ જીસીએસ હોસ્પિટલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

Related posts

જાણો વંદે ભારત ટ્રેન, મેટ્રો અને સ્લીપરના ભાડામાં કેટલો તફાવત છે

Ahmedabad Samay

અમદાવાદ: આવતીકાલે ભગવાન જગન્નાથની જળયાત્રા યોજાશે, જળાભિષેક-ષોડશોપચાર પૂજા વિધી કરાશે

Ahmedabad Samay

પોરબંદરના શૂટર્સની સિઘ્ધિ: પિસ્તોલ અને રાયફલ શૂટીંગમાં મેળવ્યાં ગોલ્ડ અને બ્રોન્ઝ

Ahmedabad Samay

દ્વારકાધીશે ભક્તોને સાક્ષાત્કાર કરાવ્યા, વીજળી ધજા પર પડી તોપણ ફરકતી રહી.

Ahmedabad Samay

અમદાવાદના નરોડા વિસ્તારમાં આવેલ નિલકંઠ પેરાડાઈસ કોમ્પ્લેક્સમાં સ્પા ની આડ માં ચાલતું કૂટનખાનું ઝડપાયું

Ahmedabad Samay

યુ ટ્યુબ અને જી-મેઈલમાં લોગીન કરવાની સેવામાં આવી ખામી

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો