February 5, 2026
અપરાધગુજરાત

નરોડા પાટિયા પર પોલીસની એવોર્ડ આપવા લાયક કામગીરી, જાહેરમાર્ગ પર ફરતા દારૂડિયાને છોડી મુક્યો અને ઘરે જવા મોળું પડતા રાહદારીની ધરપકડ કરી

Ad

અમદાવાદમાં કોરોના ને લઇ રાજ્ય સરકાર દ્વારા નવી ગાઇડલાઈન બહાર પાડવામાં આવી હતી જેમાં સવારના ૦૯ વાગ્યા થી ૦૩ વાગ્યા સુધી નો સમય નિર્ધારિત કરવામાં આવ્યું હતું અને રાત્રે ૦૮ વાગ્યા થી સવારના ૦૬ વાગ્યા સુધી કરફ્યુનો સમય રાખવામાં આવ્યો હતો જે હવે સમય ઘટાડી ને ૦૯ વાગ્યા થી કરફ્યુનો સમય નક્કી કરવામાં આવ્યું અને કડકાઇ પૂર્વક રાત્રી કરફ્યુનો પાલન કરવાનું કહેવામાં આવ્યું છે પરંતુ….

આ નરોડા પાટિયા વિસ્તારમાં જાણેઆ નિયમ ફક્ત સરકારી ચોપડા પુરતોજ છે તેવું જોવા મળી રહ્યું છે,કારણકે નરોડા પાટિયા થી થોડાજ અંતરે એક ટ્રાફિક પોલીસની ચોકી અને એક પોલીસ ચોકી આવેલી છે તો પણ પાટિયા પર ચાલતા દેશી દારૂના અડ્ડા, ખાણી પીણીની દુકાનો,પાનના ગલ્લા અને ચા ની કીટલીઓ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહે છે,

એટલુજ નહિ થોડા દિવસ પહેલા રાત્રીના ૦૯:૦૫ મિનિટે નરોડા પાટિયા પર રસ્તા પરથી પોતાના ઘરે પરત ફરતા એક રાહદારીને નાઇટ કરફ્યુનો ભગ કરવાના ગુન્હામાં ધરપકડ કરવામાં આવી હતી.

જ્યારે તેજ સ્થળે ઓછામાં ઓછા ૫૦ થી ૬૦ જેટલા દેશી દારૂના અડ્ડા ધમધમે છે ખાણી પીણીની દુકાનો, પાનના ગલ્લાઓ રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રહે છે ત્યાં પોલીસ દ્વારા કોઇ કાર્યવાહી કરવામાં આવતી નથી દારૂ પીધેલી હાલતમાં લથડીયા ખાતા લોકો જાહેરમાર્ગ પર ફરેછે ત્યારે તેવા લોકોને અને દારૂના અડ્ડા ચલાવનારની કોઇ ધરપકડ કરવામાં આવતી નથી કારણકે પોલીસના નરોડા પાટિયા વિસ્તારમાં અને છારાનગરમાં ઉચ્ચા હપ્તા ચાલતા હોયછે પોલીસને દારૂ પીધેલા હાલતમાં જાહેરમાર્ગમાં ચાલતા નહિ પણ નોકરી થી છૂટીને થોડું મોડું પડેલા લોકો ગંભીર ગુનાહમાં સંડોવાયેલા આરોપી લાગે છે અને હકીકતના આરોપીઓ અને બુટલેગરો બિન્દાસ્ત 24/7 પોતાનો અડ્ડો ચલાવે છે અને જાહેર માર્ગ પર ક્રિકેટ રમે છે.

નરોડા પાટિયાના આ દ્રશ્યો જોઈને એક કહેવત ખરેખર સાર્થક થાય છે કે “ કાનુન આંધળો છે ” ક્યાં સુધી નરોડા પાટિયા અને છારાનગરમાં પોલીસ આંખો બંધ રાખશે ક્યાં સુધી માસુમ લોકોનો ભોગ લેવાશે ?

Related posts

ગુજરાતની પ્રજા ચેતી જજો, મહારાષ્ટ્રમાં આજથી સોમવાર સવાર સુધી લોકડાઉન

Ahmedabad Samay

મુકેશ ઋષિ જીના હાથે હાર્દિક હુંડિયા દ્વારા પ્રકાશિત મોદી રાજમાં હાર્દિક વ્યંગચિત્ર નું વિમોચન કરાયું

Ahmedabad Samay

અમદાવાદમાં બની માનવતાને શરમાવે તેવી ઘટના,નવજાત ૦૪ બાળાને ત્યજી દેવાઇ

Ahmedabad Samay

અનલોક 3 ની તૈયારી શરૂ, ઇન્ટરનેશનલ ફ્લાઇટ, જીમ, થિયેટર ચાલુ થાય તેવી શકયતા

Ahmedabad Samay

અમદાવાદમાં રથયાત્રાને શરતોને આધીન મંજૂરી આપવામાં આવી

Ahmedabad Samay

૨૦૦૦₹ની નોટોની અફવાથી દૂર રહેવું,જેમની પાસે બેંક ખાતું નથી, તો તેઓ ૨૦૦૦ રૂપિયાની નોટ આ રીતે બદલી શકશે.

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો