March 23, 2026
ગુજરાત

આજ રોજ જી.સી.એસ. ખાતે “એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન કરાયું

“એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તકનું વિમોચન કરાયું”

કોરોના રોગચાળાના આ સમયગાળા દરમિયાન , એનેસ્થેસિયોલોજિસ્ટોએ કોરોનાની લડતમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે. પ્રખ્યાત એનેસ્થેસિયોલોજિસ્ટ્સના તબીબી અનુભવોને તબીબી વિદ્યાર્થીઓને ઉપયોગી શિક્ષણમાં ફેરવતા, ડો.હિના છાનવાલ (પ્રોફેસર અને હેડ – એનાસ્થેસિઓલોજી, જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, અમદાવાદ), ડો.અમિત કોહલી (મૌલાના આઝાદ મેડિકલ કોલેજ અને લોકનાયક હોસ્પિટલ, નવી દિલ્હી) અને ડો.અભિજિત કુમાર (વીએમએમસી, સફદરજંગ હોસ્પિટલ, નવી દિલ્હી) દ્વારા રચિત અને સંપાદિત “એસેન્શિયલ્સ ઓફ કોવિડ -19 ફોર એનેસ્થેસિયોલોજિસ્ટ્સ” પુસ્તક બધા એનેસ્થેસિયોલોજિસ્ટના રેસિડેન્ટ ડોક્ટરોને COVID-19 ના સંપૂર્ણ પાસાઓને સંક્ષિપ્ત કરે તે હેતુથી રચવામાં આવ્યું છે .

આ પુસ્તકમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાના 51 પ્રતિષ્ઠિત લેખકોના COVID-19 ના વિવિધ પાસાઓની સમજણના જ્ઞાનના સારરૂપે 24 પ્રકરણ અને 300 પાનામાં આવરેલ છે, જે બધા રેસિડેન્ટ ડોક્ટરને કોરોનની સમજ માટે ઉપયોગી છે.આ પુસ્તક ઓનલાઈન પણ ઉપલબ્ધ છે. આ પુસ્તક 18 જૂન 2021 ના ​​રોજ જીસીએસ હોસ્પિટલમાં લોન્ચ કરવામાં આવ્યું હતું.

Related posts

સ્‍માર્ટ મીટર ધારકનું રીચાર્જ મહિના દરમિયાન નેગેટિવ બેલેન્‍સમા હશે તો પણ તેને ડિસ્‍કનેકશન કરવામાં આવશે નહિ.

Ahmedabad Samay

વડાપ્રધાનનો આજથી બે દિવસનો ગુજરાત પ્રવાસ, રાજકોટથી ગાંધીનગર સુધીનો આ છે કાર્યક્રમ

Ahmedabad Samay

સુરત – સરકારી અનાજની કાળાબજારી કરનાર સામે કાર્યવાહી, 5 મહિના પછી બેની ધરપકડ

Ahmedabad Samay

પંજાબ અને હરિયાણા ખેડૂત આંદોલનના કારણે ગુજરાતમાં ગેરકાયદેસર દારૂના પ્રવાહને અસર થઈ

Ahmedabad Samay

અમદાવાદ – તેજસ્વી યાદવ સામે માનહાનિના કેસની સુનાવણી આજે અમદાવાદ કોર્ટમાં થશે

Ahmedabad Samay

અમદાવાદનો જર્જરીત શાસ્ત્રી બ્રિજ આખરે ભારે વાહન ચાલકો માટે કરાયો બંધ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો