March 15, 2026
ધર્મ

પૂજ્ય શ્રી મોરારી બાપૂની 863મી રામકથા 31 જુલાઇએ અમરકંટકમાં સીમિત શ્રોતાઓ સાથે શરૂ થશે

પૂજ્ય શ્રી મોરારી બાપૂની 863મી રામકથા 31 જુલાઇએ અમરકંટકમાં સીમિત શ્રોતાઓ સાથે શરૂ થશે

માં નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકમાં 31 જુલાઇથી 8 ઓગસ્ટ, 2021 સુધી પૂજ્ય શ્રી મોરારી બાપૂની 863માં રામકથા યોજાશે. કોરોના મહામારીમાં અગાઉની કથાઓની માફક જ આ કથામાં પણ સીમિત શ્રોતાઓને કથા સ્થળ ઉપર આવવાની મંજૂરી છે.

બાપૂનો વિનમ્ર અનુગ્રહ પૂર્વક આદેશ છે કે માત્ર યજમાન અને આયોજક દ્વારા પહેલેથી આમંત્રિત શ્રોતાઓ જ કથા સ્થળમાં પ્રવેશ કરે. એક તરફ કોરોનાનું જોખમ હજી દૂર થયું નથી અને બીજી તરફ અમરકંટક સ્થાન ઘણું દુર્ગમ હોવાને કારણે વધુ લોકોની વ્યવસ્થા કરવી મૂશ્કેલ છે. આથી આયોજક અને યજમાન પરિવારને કોઇપણ વ્યક્તિ કથામાં ઉપસ્થિત રહેવા આગ્રહ ન કરે અને ત્યાં આવીને અમને ના કહેવા મજબૂર ન કરે. ના કહેવું અમારા સ્વભાવથી વિપરીત છે અને કોઇ જબરદસ્તી આવે તો તેમને ના કહેવામાં અમને વધુ તકલીફ થાય છે. રામકથા આપણા બધા માટે છે. તેનો આનંદ ઘરે બેઠાં આસ્થા અને યુટ્યુબ ચેનલ ઉપર લઇ શકાય છે.

New up 01

કથામાં ઉપસ્થિત રહેવું એટલું આવશ્યક નથી, જેટલું કથામાં હોવું જરૂરી છે. આથી તમે ઘરે બેઠા પણ પ્રવેશ કરી શકો છો તેવા ભાવ સાથે અને સહયોગ માટે આભાર.

Related posts

આજથી કચ્‍છના ગાંધીધામમાં બાગેશ્વર ધામના બાબા ધીરેન્‍દ્ર શાસ્ત્રીનો દિવ્‍ય દરબાર ભરાશે

Ahmedabad Samay

PM મોદીએ વિશ્વની સૌથી ઉંચી પ્રભુ શ્રી રામની ૭૭ ફૂટ ઊંચી અને કાંસ્ય ધાતુથી નિર્મિત પ્રતિમાંનુ અનાવરણ કર્યું

Ahmedabad Samay

કાલે છે મહાશિવરાત્રી, મહાશિવરાત્રીએ આ સમયે પૂજા કરશો તો થઇ જશો ધન્ય. શિવજીની કૃપા વરસા થશે.

Ahmedabad Samay

નાગપંચમી પહેલા સપનામાં સાપ દેખાય તો કઈ વાતનો સંકેત આપે છે? જાણો ક્લિક કરીને

Ahmedabad Samay

Weekly Rashifal: આ રાશિના જાતકો આ સપ્તાહ માટે ભાગ્યશાળી રહેશે, જલ્દી પ્રમોશન મળશે

Ahmedabad Samay

શુક્રવારે આ રાશિઓ પર રહેશે માતા લક્ષ્મીની કૃપા, અહીં વાંચો આજનું રાશિફળ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો