February 6, 2026
અપરાધગુજરાત

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

થોડા દિવસ પહેલા નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનના શંકાસ્પદ મોતના બનાવ બન્યો હતો.

ન્યાય મેળવવા માટે પરીવાર જનો દ્વારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત, જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશ ભાઇ ગામીત સહિતના આગેવાનો વઘઇના મૃતક યુવાનના પરિવાર સાથે જિલ્લા પોલિસ વડાને રજુઆત કરી જવાબદાર પી.આઈ સહિતનાઓ સામે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.

ત્યાર બાદ પોલિસ મૃતકનાભાઈ નિતેશ સુરેશભાઈ જાધવની ફરિયાદ અનુસાર પી.આઈ.અજીતસિંહ વાળા કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા,રામજીભાઈ ,રવિન્દ્ર રાઠોડ,કોંકડી પી.એસ.આઈ.ના તાબા હેઠળના કર્મચારી,પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપતા અન્ય અગમ્ય અજાણ્યા વ્યક્તિઓને પકડી 7 દિવસ બાદ આખરે પોલિસે પી.આઈ. અજીતસિંહ વાળાં, 3 કોન્સ્ટેબલ સહિત 6 થી વધુ સામે હત્યા , અપહરણ, ગુનાહીત કાવતરું તથા અટ્રોસિટી એક્ટ સહિતની જોગવાઈ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે

તપાસ  કરતા ચોંકાવનારા કિસ્સા સામે આવયા હતા કે તપાસ કર્યા વિના વધઇના જવાબદાર વ્યક્તિઓનો કે રેવન્યુ અધિકારીનો સંપર્ક કર્યા વિના મૃતક રવિભાઈની 18 જુલાઈના રોજ મજૂરી પર જતાં જતાં ત્યારે રસ્તામાં રોકી ગેરકાયદેસર અટકાયત કરી બળજબરીથી પૂર્વક કબૂલાત કરાવવા અપહરણ કરી જિંદગીને ભયમાં મૂકીને મૃત્યુ નીપજે ત્યાં સુધી મારમારી શારીરિક અને માનસિક ત્રાસ આપી ભૂખ્યાં અને તરસ્યા રાખી તેમની જિંદગીનો અંત આણવા સડયંત્ર રચી મોત નીપજાવેલ, ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી પંખા સાથે લટકાવીલ દીધેલ હોવાનું પણ જણાવાયું છે

મૃતક યુવાનોના પરિવાર જનો 20 જુલાઈના રોજ પોલિસ મથકે આવી પૂછપરછ કરવા જતા ” તું મારી સામે જબાન લડાવે છે હું પોલિસ અધિકારી વાળા સાહેબ છે” એમ કહી તેઓને બહાર કાઢી મુકવા જણાવેલ મરનાર રવિએ મરતા મરતા તેનાભાઈ અને બહેનને ઈશારાથી પોતાનું ભૂખ્યું પેટ બતાવી કહ્યું હતું કે ” આ વાળા સાહેબ ,શક્તિ સિંહ અને રવિન્દ્ર પોલિસે ખૂબ મારમારેલ ” તે સમયે ત્યાં હાજર પોલિસ કર્મચારીઓએ તેમને ત્યાંથી કાઢી મુક્યા હતા

New up 01

Related posts

વડાપ્રધાન મોદીએ ગાંધી આશ્રમની મુલાકાત લીધી,બુકમાં સંદેશો પણ લખ્યો

Ahmedabad Samay

સમાનતા ફાઉન્ડેશન દ્વારા વાલીપણા ની મહત્ત્વતા સમજાવવા ના ઉદ્દેશ્યથી ‘પેરેન્ટ્સ ડે’ (માતા-પિતા દિવસ) નિમિત્તે “Pedal for Change – સાયકલ રેલીનો ગાંધીનગર ખાતે આયોજન કરાયું

Ahmedabad Samay

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ  પટેલે અમદાવાદ મહાનગરમાં પાંજરાપોળ અને પંચવટી પર બે નવા ફ્લાય ઓવર બ્રિજ બનાવવા માટે ૧૮૫.૧૨ કરોડ ફાળવવાની સૈદ્ધાંતિક મંજૂરી આપી

Ahmedabad Samay

વર્ષના અંતિમ માસમાં ચાર મોટા બદલાવ થવા જઇ રહ્યા છે

Ahmedabad Samay

અમદાવાદના વસ્ત્રાલમાં આતંક મચાવનારા વધુ ૩ અસામાજિક તત્ત્વો ઝડપાયા,જેમાં ૪ના મકાન પર બુલડોઝર ફરશે

Ahmedabad Samay

રોડ ઉપર પતંગ ઉડાડવા પર પ્રતિબંધ તેમજ ઉડતી પતંગો પકડી પણ શકાશે નહિં

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો