June 27, 2026
અપરાધગુજરાત

ચીખલી પોલીસ સ્ટેશનમાં શંકાસ્પદ મોતના બનાવ પર આખરે ન્યાય મળ્યો

થોડા દિવસ પહેલા નવસારી જિલ્લાના ચીખલી પોલીસ સ્ટેશનમાં બે આદિવાસી યુવાનના શંકાસ્પદ મોતના બનાવ બન્યો હતો.

ન્યાય મેળવવા માટે પરીવાર જનો દ્વારા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મંગળભાઈ ગાવીત, જિલ્લા ભાજપના મહામંત્રી રાજેશ ભાઇ ગામીત સહિતના આગેવાનો વઘઇના મૃતક યુવાનના પરિવાર સાથે જિલ્લા પોલિસ વડાને રજુઆત કરી જવાબદાર પી.આઈ સહિતનાઓ સામે હત્યાનો ગુન્હો નોંધી કાર્યવાહી કરવાની માંગ કરાઈ હતી.

ત્યાર બાદ પોલિસ મૃતકનાભાઈ નિતેશ સુરેશભાઈ જાધવની ફરિયાદ અનુસાર પી.આઈ.અજીતસિંહ વાળા કોન્સ્ટેબલ શક્તિસિંહ ઝાલા,રામજીભાઈ ,રવિન્દ્ર રાઠોડ,કોંકડી પી.એસ.આઈ.ના તાબા હેઠળના કર્મચારી,પોલીસ કર્મચારી તરીકે ઓળખ આપતા અન્ય અગમ્ય અજાણ્યા વ્યક્તિઓને પકડી 7 દિવસ બાદ આખરે પોલિસે પી.આઈ. અજીતસિંહ વાળાં, 3 કોન્સ્ટેબલ સહિત 6 થી વધુ સામે હત્યા , અપહરણ, ગુનાહીત કાવતરું તથા અટ્રોસિટી એક્ટ સહિતની જોગવાઈ મુજબ ગુન્હો નોંધી તપાસ હાથ ધરવામાં આવી છે

તપાસ  કરતા ચોંકાવનારા કિસ્સા સામે આવયા હતા કે તપાસ કર્યા વિના વધઇના જવાબદાર વ્યક્તિઓનો કે રેવન્યુ અધિકારીનો સંપર્ક કર્યા વિના મૃતક રવિભાઈની 18 જુલાઈના રોજ મજૂરી પર જતાં જતાં ત્યારે રસ્તામાં રોકી ગેરકાયદેસર અટકાયત કરી બળજબરીથી પૂર્વક કબૂલાત કરાવવા અપહરણ કરી જિંદગીને ભયમાં મૂકીને મૃત્યુ નીપજે ત્યાં સુધી મારમારી શારીરિક અને માનસિક ત્રાસ આપી ભૂખ્યાં અને તરસ્યા રાખી તેમની જિંદગીનો અંત આણવા સડયંત્ર રચી મોત નીપજાવેલ, ગંભીર ઈજાઓ પહોંચાડી મૃત્યુ નિપજાવી પંખા સાથે લટકાવીલ દીધેલ હોવાનું પણ જણાવાયું છે

મૃતક યુવાનોના પરિવાર જનો 20 જુલાઈના રોજ પોલિસ મથકે આવી પૂછપરછ કરવા જતા ” તું મારી સામે જબાન લડાવે છે હું પોલિસ અધિકારી વાળા સાહેબ છે” એમ કહી તેઓને બહાર કાઢી મુકવા જણાવેલ મરનાર રવિએ મરતા મરતા તેનાભાઈ અને બહેનને ઈશારાથી પોતાનું ભૂખ્યું પેટ બતાવી કહ્યું હતું કે ” આ વાળા સાહેબ ,શક્તિ સિંહ અને રવિન્દ્ર પોલિસે ખૂબ મારમારેલ ” તે સમયે ત્યાં હાજર પોલિસ કર્મચારીઓએ તેમને ત્યાંથી કાઢી મુક્યા હતા

New up 01

Related posts

મહામારી માં રાહતના સમાચાર, ગેસ સિલેન્ડરની કિંમતમાં ઘટાડો

Ahmedabad Samay

સેવન્‍થ ડે સ્‍કૂલમાં અભ્‍યાસ કરતા ૧૦માં ધોરણના વિદ્યાર્થી પર અન્ય વિદ્યાર્થી દ્વારા તીક્ષ્ણ સાધન વડે હુમલો કરવામાં આવ્‍યો હતો. આ હુમલામાં વિદ્યાર્થી સારવાર દરમિયાન મૃત્યુ પામ્યો

Ahmedabad Samay

રાજ્યના ૦૭ IPSને બઢતી અપાઈ

Ahmedabad Samay

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આજે પાટનગર ગાંધીનગરના મહેમાન બન્યા હતા

Ahmedabad Samay

વીર સાવરકર સ્પોર્ટ કોમ્પ્લેક્ષ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ અને ડાન્સ પ્રોગ્રામ કરાયો

Ahmedabad Samay

કાલુપુર બ્રિજ બુલેટ ટ્રેન કોરિડોરના નિર્માણ કાર્ય માટે 22 મે થી 25 મે સુધી રાત્રે વાહન વ્યવહાર માટે બંધ રહેશે, જાણો વૈકલ્પિક માર્ગ

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો