રામોલ વિસ્તારમાં આવેલ અમરનાથ ટેનામેન્ટમાં આરોપી અજય ઉર્ફે અજયાએ સાગરીતો સાથે મળી નિલેશ મિશ્રા નામના યુવકની હત્યાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો હતો. પરંતુ રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાને અંજામ આપનાર અજય રમેશભાઈ ખટીકની ધરપકડ કરી છે. આરોપીની પ્રાથમિક પૂછપરછમાં હત્યા પાછળનું કારણ જૂની અદાવત હોવાનું જાણવા મળેલ છે.
આરોપી અજય ખટીક વસ્ત્રાલના વૃંદાવન પાર્કમાં રહી ટેમ્પો ચલાવી પોતાનું ગુજરાન ચલાવતો હતો. આરોપી અજય ખટીકને થોડા સમય પહેલા નિલેશ મિશ્રા સાથે કોઈ બાબતે તકરાર થઇ હતી. CCTV ફુટેજમાં સ્પષ્ટ દેખાય છે કે, સોમવારની મોડી રાત્રે આરોપી અજય ખટિક ઉર્ફે અજયો જ્યારે વસ્ત્રાલ વિસ્તારમાં અમરનાથ ટેનામેન્ટના ગેટ પાસે ઊભો હતો.
ત્યારે અચાનક ભોગ બનનાર નિખિલેશ મિશ્રા લાકડાનો ડંડો લઈને પોતાના સાગરિત સાથે ત્યાં આવે છે. અચાનક અજય ખટિક પર હુમલો કરતાં પલટવારમાં આરોપી અજય તીક્ષ્ણ હથિયારના ઘા ઝીંકીને નિખિલેશ મિશ્રાની હત્યા કરી નાખે છે.
પોલીસે જ્યારે ઘટના બાબતે આરોપી અજયની પૂછપરછ કરી ત્યારે મૃતક નિખિલેશ મિશ્રા “તું મને બદનામ કેમ કરે છે” કહીને મારામારી કરવા આવ્યો હતો. પરંતુ અજય ખટિક ઉર્ફે અજયા પાસે તીક્ષ્ણ હથિયાર હોવાથી તેણે નિખિલેશ મિશ્રા પર હુમલો કેરી ચકચારી હત્યાને અંજામ આપ્યો અને ફરાર થઈ ગયો. રામોલ પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીની ધરપકડ કરી છે.
