May 7, 2026
ગુજરાત

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા  એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં તમામ ખાતાઓના વડાઓને ફર્નિચર ખરીદી માટેની વહીવટી પ્રક્રિયાને અનુસરવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે, જે તે ખાતાના વડા અધિકારીઓને 1.25 લાખની મર્યાદામાં ફર્નિચર મેળવવા માટે જરૃરી બજેટની ફાળવણી કરી, પોતાના ખાતાના ડે. કમિશનરની વહીવટી અને નાણાંકીય મંજુરી મેળવવાની રહેશે.

ડે. કમિશનરની મંજુરી મળ્યા બાદ જે તે ખાતાએ મંજુર થયેલા ફર્નિચરનું બજેટ ફાળવી, ઇન્ડેન્ટ ભરી જરૃરી ફર્નિચર સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી મેળવવાનું રહેશે. ઇન્ડેન્ટ વગર ફર્નિચર ઇસ્યુ થઇ શકશે નહીં. 1.25 લાખથી વધુ કિંમતના ફર્નિચર તેમજ સેન્ટ્ર્લ સ્ટોર્સ પાસે ઉપલબ્ધ ન હોય તેવા ફર્નિચરની જરૃરિયાત માટે ફરજિયાત મ્યુનિ.કમિશનરની મંજુરી મેળવવાની રહેશે. ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Related posts

અટલ બ્રિજની લાખો લોકોએ કરી મુલાકાત, કરોડોની થઇ આવક

Ahmedabad Samay

પુરગ્રસ્ત ગામનો તાગ મળેવવા માટે ગેનીબેન પાંચ ફૂટ પાણીમાં ઉતર્યા હતા.

Ahmedabad Samay

ગુજરાત બોર્ડની એસએસસી પરીક્ષાનું એડમિટ કાર્ડ કરાયું જારી, આ રીતે કરી શકાય છે ડાઉનલોડ

Ahmedabad Samay

અમદાવાદ હાટકેશ્વર બ્રિજ મામલે સેશન્સ કોર્ટ આરોપીઓના જામીન મામલે આજે સંભળાવશે ચૂકાદો

Ahmedabad Samay

લોકડાઉન ૩.૦ ૪ મેં થી લાગુ, ૩.૦માં ઝોન વાઇઝ છુટ અપાશે.

Ahmedabad Samay

તથાસ્તુઃ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૧૨૦૦ બેડમાં અપાઇ રહી છે, ચા નાસ્તા અને જમવાની સેવા પુરી પાડવામાં આવે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો