February 5, 2026
ગુજરાત

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા  એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં તમામ ખાતાઓના વડાઓને ફર્નિચર ખરીદી માટેની વહીવટી પ્રક્રિયાને અનુસરવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે, જે તે ખાતાના વડા અધિકારીઓને 1.25 લાખની મર્યાદામાં ફર્નિચર મેળવવા માટે જરૃરી બજેટની ફાળવણી કરી, પોતાના ખાતાના ડે. કમિશનરની વહીવટી અને નાણાંકીય મંજુરી મેળવવાની રહેશે.

ડે. કમિશનરની મંજુરી મળ્યા બાદ જે તે ખાતાએ મંજુર થયેલા ફર્નિચરનું બજેટ ફાળવી, ઇન્ડેન્ટ ભરી જરૃરી ફર્નિચર સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી મેળવવાનું રહેશે. ઇન્ડેન્ટ વગર ફર્નિચર ઇસ્યુ થઇ શકશે નહીં. 1.25 લાખથી વધુ કિંમતના ફર્નિચર તેમજ સેન્ટ્ર્લ સ્ટોર્સ પાસે ઉપલબ્ધ ન હોય તેવા ફર્નિચરની જરૃરિયાત માટે ફરજિયાત મ્યુનિ.કમિશનરની મંજુરી મેળવવાની રહેશે. ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Related posts

અમદાવાદના શાહીબાગ ખાતે આવેલ મહારાણા પ્રતાપની પ્રતિમા પર જન્મ જ્યંતી નિમિત્તે ફુલહાર ચડાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરાઇ

Ahmedabad Samay

અખંડ રાષ્ટ્રીય હિન્દૂ સેના દ્વારા ગણેશ મહોત્સવ દરમિયાન ગણેશજીની આરતી કરાઇ

Ahmedabad Samay

અમદાવાદમાં ઓમિક્રોનના કુલ 7 કેસ નોંધાયા

Ahmedabad Samay

શ્રી અજયસિંહ ભદૌરીયાએ ઉત્તર ભારતીય વિકાસ પરિષદની કચેરી ખાતે મુલાકાત કરી

Ahmedabad Samay

અખબારનગર અંડર પાસમાં પુરઝડપે જતી બીઆરટીએસ બસ અંડર પાસની દિવાલ સાથે ધડાકાભેર ટકરાઈ

Ahmedabad Samay

સમગ્ર ગુજરાતમાં ૪ થી ૭ જુલાઈ સુધી અમુક વિસ્‍તારોમાં ૧ ઈંચ થી ૬ સુધી  ભારે વરસાદ પડી શકે છે

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો