June 22, 2026
ગુજરાત

મ્યુનિ.કમિશનરની મંજુરી વગર ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

અમદાવાદ મ્યુનિ. કમિશનર દ્વારા  એક પરિપત્ર કરવામાં આવ્યો છે જેમાં તમામ ખાતાઓના વડાઓને ફર્નિચર ખરીદી માટેની વહીવટી પ્રક્રિયાને અનુસરવા માટે આદેશ કરવામાં આવ્યો છે જેમાં જણાવ્યું છે કે, જે તે ખાતાના વડા અધિકારીઓને 1.25 લાખની મર્યાદામાં ફર્નિચર મેળવવા માટે જરૃરી બજેટની ફાળવણી કરી, પોતાના ખાતાના ડે. કમિશનરની વહીવટી અને નાણાંકીય મંજુરી મેળવવાની રહેશે.

ડે. કમિશનરની મંજુરી મળ્યા બાદ જે તે ખાતાએ મંજુર થયેલા ફર્નિચરનું બજેટ ફાળવી, ઇન્ડેન્ટ ભરી જરૃરી ફર્નિચર સેન્ટ્રલ સ્ટોર્સ ખાતેથી મેળવવાનું રહેશે. ઇન્ડેન્ટ વગર ફર્નિચર ઇસ્યુ થઇ શકશે નહીં. 1.25 લાખથી વધુ કિંમતના ફર્નિચર તેમજ સેન્ટ્ર્લ સ્ટોર્સ પાસે ઉપલબ્ધ ન હોય તેવા ફર્નિચરની જરૃરિયાત માટે ફરજિયાત મ્યુનિ.કમિશનરની મંજુરી મેળવવાની રહેશે. ફર્નિચરને લગતી કોઇપણ આઇટમ કોઇપણ ખાતાએ ખરીદવાની રહેશે નહીં.

Related posts

અમદાવાદ: શહેરમાં તાપમાન 42 ડિગ્રી નજીક પહોંચ્યું, હજુ બે દિવસ ગરમીનો પારો વધવાની વકી

admin

ગુજરાતમાં શિયાળો 20 ફેબ્રુઆરી પછી વિદાય લેશે, ત્યારબાદ ધીમે ધીમે હવામાન નોર્મલ થવાનું શરૂ થશે

Ahmedabad Samay

CM ના ફોટો શેસને જનતા રોષે ભરાઈ,CM ભુપેન્દ્ર પટેલે દ્વારા છત્તીસગઢમાં પુર ગ્રસ્તોને સહાય મોકલતા ભાજપનો ઝંડો બતાવતા સોશિયલ મીડિયા પર ફોટા મુક્ત લોકોએ રોષ વ્યકત કર્યો

Ahmedabad Samay

અમદાવાદના ઇસનપુરમાં યુવતી સાથે લગ્નની લાલચ આપી બળાત્કાર ગુજાર્યો હતો.

Ahmedabad Samay

ઉડાન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા વેકસીનેશન સેન્ટર સુધી પહોંચાડવા “રસીકરણ સેવા રથ” થકી વેકસીનેશન શરૂ કરાયુ

Ahmedabad Samay

ઇન્ટરેસ્ટિંગ અને થ્રિલર સ્ટોરી સાથે આવી રહી છે ગુજરાતી ફિલ્મ “ કાચું ફુલ ”

Ahmedabad Samay

એક ટિપ્પણી મૂકો